“શ્વેતા” ના સર્જનની વાત…

Image

“શ્વેતા” ના સર્જનની વાત…

Post 88

૧૬ જાન્યુઆરી ૨૦૧૪ ગુરુવારથી શરૂ થતી નવલકથા “શ્વેતા” ના સર્જનની વાત…

એક સવારે માધવીનો ફોન આવ્યો.

મીઠ્ઠી, મમતાળુ માધવી મને મામા કહે.

મામા, હું તમને એક વાર્તાબીજ આપું. મારી ફ્રેન્ડની ફ્રેન્ડની આ સત્ય ઘટના છે. લગ્નની પહેલીજ રાત્રે નવપરિણિતાને તેના પતિએ કહ્યું, ‘હું અન્યના પ્રેમમાં છું. તારે માટે હું મરેલો છું. તું આજથી જ વિધવા છે.’

યુવકના માતાપિતા જાણતા હતા કે પુત્ર બીજી ગોવાનીસ છોકરીને પ્રેમ કરતો હતો. લગ્ન પછી સુધરી જશે એ આશાએ સમજાવી પટાવી લગ્ન કરાવ્યા હતા. પ્રેમિકા બીજા ધનિકને પરણી ગઈ.

પ્રેમિકા બીજે પરણી જતાં પરિણિતાનો પતિ છેવટે પત્નીને અપનાવે છે. પત્નીનો પ્રેમ સમજે છે. પણ ટુંક સમયમાં જ બોમ્બેથી પૂના જતાં માર્ગમાં અક્સ્માતમાં મૃત્યુ પામે છે. પત્ની બીજું વૈધવ્ય ભોગવે છે.

સત્ય વાત. કઠોર અને કરૂણ વાસ્તવિકતા. છતાં વાર્તા માટે તો ચવાઈ ગયેલી વાત જ કહેવાય. . દુખદ વાત એ, કે આવી વાતો માટે લોકમાનસે સંવેદનશીલતા સદંતર ગુમાવી દીધી છે.

આમ છતાં આ વિષય પર વાર્તા લખવી-નલખવીની દ્વિધામાં જ કથાબીજ પરથી નાયીકા શ્વેતાના પાત્રનું સર્જન થઈ ગયું. એક વાર્તા “અખંડ વૈધવ્ય”નો શબ્દ દેહ ઘડાવા માંડ્યો. ટૂંકી નવલિકાને બદલે એ વાર્તાએ લઘુ-નવલનું રૂપ ધારણ કરી લીધું. શ્વેતા, ખૂબ ઝડપથી મોટી થઈ ગઈ. નાનું બાળક નજર સામે મોટું થાય એમજ સ્તો.

મારી “શ્વેતા” લાચાર, ગરીબડી, અસહાય વિધવા નારી ન હતી. એ નારી શક્તિ “શ્વેતા” સુંદર અને શિક્ષિત હતી.

માંબાપ બાળકને જન્મ આપે. બાળક નાનું હોય ત્યાં સૂધી પોતાની ગમતી રીતે ઉછેરવાની કોશીશ કરે, પણ મોટું થતાં એ પોતાની સૂઝથી પોતાની દિશામાં આગળ વધે. વડીલોએ પણ યુવાન થયેલા સંતાનને અનુસરવું પડે. બસ એજ રીતે મારે મારા જ સર્જેલા પાત્રોના પ્રવાહો સાથે વહેવું પડ્યું. પાત્રોનો સ્વયંભૂ વિકાશ થયો. અંકૂશ બહાર પોતાની રીતે જ વિકસ્યા. મુળ સત્ય ઘટનાને વફાદાર રહ્યા વગર એ વહેતી વાર્તા આઘુનિક નવલકથા બની ગઈ.

એ વહેતી વાર્તા કેવા વળંકો લેશે, ક્યાં ભટકશે, ક્યાં અટકશે એ કશું જ નક્કી ન હતું. પાત્ર અને પાત્ર સર્જક તરીકે હું પોતે પણ અજાણ હતો. વાર્તા આપોઆપ વહેતી ગઈ. વાર્તાના પ્રવાહમાં હું નવોસવો લેખક ઘસડાયો. સાથે મેં ઘસડ્યા મારા “ગુજરાત દર્પણના” વાચક સમુદાયને. ન્યુ જર્સીમાંથી પ્રગટ થતા માસિક “ગુજરાત દર્પંણમાં” શ્રી સુભાષ શાહે “ન જાણું હું જાનકીનાથ, પ્રભાતે શું થવાનું છે” ના લાંબા શિર્ષક હેઠળ એ વાર્તા પ્રગટ કરવા માંડી. “શ્વેતા” નામકરણથી પુસ્તક રૂપે પ્રગટ થઈ. મિત્રો અને સ્નેહીઓમાં એ પુસ્તક વહેંચાયું. જ્યાં એ નથી પહોંચી શક્યું ત્યાં બ્લોગ દ્વારા આપ સૂધી પહોંચાડવાનો આ નમ્ર પયાસ છે. આ ચીલાચાલુ રોતલ વિધવા નારીના રોદણાંની વાત નથી. આ વાત છે શ્વેતાની. દર ગુરુવારે આપને સાદર થતી રહેશે એક અનોખી નવલકથા “શ્વેતા”

                                                                      *****

“શ્વેતા” મારી પહેલી જ નવલકથા છે. હું મારી જાતને લેખનક્ષેત્રમાં નવો નિશાળીયો ગણું છું. તો એ સંદર્ભમાં મારા સાહિત્યકાર હાસ્યલેખક મિત્ર શ્રી હરનિશ જાની એમની પ્રસ્તાવનામાં લખે છે….

‘સિત્તેર વરસની ઉંમરે અને અમેરિકાના પચાસ વર્ષના લાંબા વસવાટ પછી જે લેખક સમજપૂર્વક કલમ ઊપાડતા હોય અને જેમની આવી કૌવતવાળી ભાષાશૈલી હોય તેને ભલા નવોદિત કેમ કહેવાય!

“શ્વેતા” ની પ્રસ્તાવના “મિત્રને વધાઈ-” માં તેમણે જણાવ્યું કે….

‘એમાં નવાઈની વાત એ છે કે એમણે પચાસ વરસ (૪૦-૫૦ કરતાં ૫૦નો આંકડો સારો લાગે) પચી કલમ ઊપાડી છે. વાર્તા સિદ્ધહસ્ત લેખકની જેમ વહેતી રહે છે. રસભંગ કે પ્રવાહભંગ થતો નથી. વળી આ નવલકથામાં વાચકને જકડી રાખવાનો બધો મસાલો છે. પ્રેમ-લગ્ન-બિકઝનેસ-પાર્ટી-ડ્રગ્સ-દગો-પોલિસ અને જેના વિના વાર્તામાં રસ જ ન પડે એ – સેક્સ – એ બધું જ છે. મારા જેવા વાચકને ખુશ કરવા સેક્સની વાતો, શ્વેતાને છોડીને શ્વેત છોકરીના રોમાન્સમાં લેખકે અજમાવી છે. એ બતાવે છે કે લેખક સાઠનો દાયકો છોડીને નવા મિલેનિયમમાં પ્રવેશી ચૂક્યા છે અને વર્તમાન ગુજરાતી સમાજ ને ચિતર્યો છે.’

                                                                             *******

વી.ટી.સી. સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન, સુરતના નિવૃત્ત આચાર્ય અને મારા ગુરુવર્ય પૂજ્યશ્રી ડો. હરિકૃષ્ણ જોષી સાહેબ લખે છે….

ભાઈ પ્રવીણ શાસ્ત્રીની લઘુ-નવલ “શ્વેતા” વાંચી અને માણી.

પાત્રો, પ્રસંગો અને ઘટનાઓના મનભાવન મેળામાં મહાલતાં આનંદ તો થયો જ અને સાથે સાથે મનમાં આકાર લેતી અનુભૂતિઓમાં ખોવાતો પણ ગયો. ઘટના-પ્રધાન એવી આ લઘુ-નવલનાં પ્રસંગો, પાત્રો અને મનોભાવો વાચકને વાર્તા પ્રવાહમાં સફળતાપૂર્વક ખોવાયલો રાખે છે. સ્થળ-પસંદગી કે પ્રસંગ વર્ણન પણ ઔચિત્યસભર રહ્યાં છે.

વાંચન-રસિકો અને જિવનના અવકાશને આનંદમય બનાવવા ઈચ્છતા સૌને આ નવલ ગમશે, એટલું જ નહીં પણ એવી જ અન્ય વાર્તાઓની અપેક્ષા રાખતા પણ કરશે.

તો મિત્રો આપને “શ્વેતા” ન મળી હોય તો આપને જરૂર મળશે ૧૬ જાન્યુઆરી ૨૦૧૪ ને રોજ; આ જ સરનામે

https://pravinshastri.wordpress.com

 

2 responses to ““શ્વેતા” ના સર્જનની વાત…

  1. DR. CHANDRAVADAN MISTRY December 15, 2013 at 3:43 PM

    The Book “Sweta” is a nice book.
    Pravinbhai…Thanks for sending it to me.
    You are ALL invited to know MORE of this Book @
    http://chandrapukar.wordpress.com/2013/08/26/%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b5%e0%ab%87%e0%aa%a4%e0%aa%be-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%aa%e0%ab%81%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%95-%e0%aa%b5%e0%aa%be%e0%aa%82/
    Hoping you will read this Post…..You will get the idea of this Book.
    As Pravinbhai published from that….You will enjoy it !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo @ my Blog Chandrapukar !

    Like

  2. સનતકુમાર ચ દવે..... December 13, 2013 at 6:25 PM

    આદરીણીય પ્રવીનકાન્ત શાસ્ત્રી જી…..
    શ્વેતા વાર્તા નું બીજ આમો એ વાંચ્યું ન આપ ની નવલકથા ની રાહ ૧૬ મી જાન્યુઆરી ૨૦૧૪ સુધી…..!!!!
    બને tau મારી એક પ્રત મોકલવા વિનંતી ………..
    આપના તરફથી સપ્રેમ હોયે વધુ દીપશે!!!!!!!!! હા હા હા …………..
    હક્ક દાવા થી કહી શકું…..!!!!!????
    ઈચ્છું ટૂંક સમયમાંજ બધી વેચયી જાયે ને આપ ને પૂનઃપ્રકાશિત કરવી પડે…..!!!!
    gbu jsk jmj jj…
    દાદુ……
    @૬.૨૧ pm….૧૩.૧૨.૧૩…USA…….

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: