આઝાદી અમેરિકન સ્ટાઈલ. હરનિશ જાની

harnish jani

ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની ૮–૭– ૨૦૧૫

આઝાદી અમેરિકન સ્ટાઈલ.

***

અમેરિકામાં જેમણે હાઈસ્કુલ કરી હોય તેમને માટે આ લેખ નથી. ચોથી જુલાઈ આવી અને ગઈ. ૨૩૯ વરસ થયા,અંગ્રેજો પાસેથી આઝાદી મેળવે. આમ અંગ્રેજો પોતાને દેશ પાછા જાય તેવા નહોતા. પરંતુ તેઓને હરાવનારા પણ અંગ્રેજો જ હતા. તેમની નવી પેઢી હતી. જેમને પોતાના પૂર્વજોના દેશ સાથે કોઈ પ્રેમ નહોતો. અને તેમણે અમેરિકાને પોતાનો દેશ ગણી સ્વતંત્ર પણે જીવવું હતું. વાત પણ ખરી હતી. જે કિંગની અને ચર્ચની ચુંગાલમાંથી છુટી જઈ નવી ધરતી પર સ્થાયી થયા હતા. ત્યાં જૂના કાયદા અને ટેક્ષની જંજાળ ન જોઈએ. અંગ્રેજો એ તો ભારત અને આફ્રિકાના દેશોમાં પોતાની કોલોનીઓ બનાવી દીધી હતી. અને તે જ ટેવ મુજબ આ અમેરિકાની નવી ધરતીને કોલોની બનાવવા પ્રયત્ન કર્યો. જેની સામે થોમસ જેફરસન, બેન્જામીન ફ્રેન્ક્લીન અને જ્યોર્જ વોશિંગ્ટન જેવા સ્વતંત્ર વિચારકો અને દેશભક્તો ઊભા થયા. જેમને આ ગુલામી મંજુર નહોતી. અને અંગ્રેજ કિંગને આ હાથમાં આવેલી નવી ભૂમિ પોતાના હાથમાંથી છટકી જતી દેખાતી એટલે અમેરિકન પ્રજા સામે જંગે ચઢ્યા. આ લડત અમેરિકાના પૂર્વ કિનારે આવેલા ૧૩ સ્ટેટસ્ (કોલોની) અને ગ્રેટ બ્રિટન વચ્ચે થઈ. અમેરિકાના મધ્ય પૂર્વના રાજ્યોમાં ફ્રેન્ચ અને સ્પેન હતા. જેમને પણ આ કોળિયો હડપ કરવો

હતો. તેમણે અમેરિકનોને દરિયાઈ યુધ્ધોમાં મદદ કરી. અને સ્પેને , વોશિંગ્ટનના અમેરિકન રિવોલ્યુશનરી આર્મીને લશ્કર આપીને મદદ કરી હતી અમેરિકનોને તેમની મદદ પણ કામ લાગી. અને એકવાર બ્રિટીશરોને હરાવ્યા કે આઝાદીની જાહેરાત કરી. અમેરિકાની રિવોલ્યુશનરી કોંગ્રેસે ૪થી જુલાઈ ૧૭૭૬ના દિવસે ,આઝાદીનું જાહેરનામું (ડેકલેરેશન ઓફ ઈન્ડીપેન્ડન્ટ) બહાર પાડ્યું હતુ. તે દિવસ આઝાદ દિન તરીકે પસંદ કર્યો. પરંતુ ખરેખર ૧૮૭૦માં ગવર્નમેંટે એ તારીખ ઓફિસીયલી નક્કી કરી. પોલિટીક્સમાં યુરોપિયનોને કોઈ ન પહોંચે. જે ટેરીટરી સ્પેન પાસે હતી. તે ફ્રેન્ચ લોકોએ સંધિ કરીને સ્પેન પાસેથી પડાવી લીધી. અને ફ્રેન્ચના હાથમાં હતી. તે ૧૮૦૩માં ખરીદીને અમેરિકાએ તેના આઠ સ્ટેટ બનાવ્યા. જે ઈતિહાસમાં “લુઈઝીયાના પરચેઝ” ના નામથી ઓળખાય છે. ત્યારે ફ્રાંસ, નેપોલિયનના હાથમાં હતું અને નેપોલિયનને બ્રિટન સામે લઢવા પૈસા જોઈતા હતા. એટલે આ લુઈઝીયાના ટેરીટરી (જેમાંથી અમેરિકાએ આઠ રાજ્યો બનાવ્યા.) સસ્તામાં ત્યારના ૧૫ મિલીયન ડોલરમાં (આજના ૨૫૦ મિલીયન ડોલર) માં કાઢી નાખી.અમેરિકાને ૩ સેન્ટમાં એક એકરલેખે પડી.
અમેરિકાના આ પચાસ રાજ્યો કેવી રીતે બન્યા એનો આ જાતનો ટચૂકડો ઈતિહાસ છે.

*
જેઓને આઝાદીની ઉજવણી કરવી હોય તેને ઈતિહાસ બિતીહાસની શું પડી હોય ! દરેક વખતની જેમ આ આઝાદીને દિવસે દરેક શહેરોમાં ફાયર વર્કસ્ થયા. ન્યૂ યોર્ક, વોશિન્ગટન ડીસી, બોસ્ટન જેવા શહેરોમાં લોકો બાળકો સાથે ઉમટ્યા. આ શહેરોમાં ફિલહાર્મોનીક ઓરક્રેસ્ટ્રાના મ્યુઝિકની પણ રસમ છે. ન્યૂ યોર્ક અને ફિલાડેલ્ફીયામાં સઢવાળા વહાણોની પરેડ પણ હડસન રીવરમાં નિકળી.

*


૧૯૮૬માં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને સો વરસ થયા તેની ઉજવણી ૪થી જુલાઈએ રાખી હતી. હું મારું કુટુંબ લઈને લિબર્ટી આયલેન્ડ પર ફાયર વર્કસ્ જોવા ગયો હતો. તે આયલેન્ડ પર લાખોની ભીડમાં અમે ફસાઈ ગયા હતા. તે બીજે દિવસે સૂર્યોદયે નિકળ્યા. ત્યાર પછી ટી.વી. પર દારુખાનું ફૂટતાં જોતા થઈ ગયા. અને બહુ ધડાકા થાય તો ટીવીનું વોલ્યુમ નાનું કરી દેવાનું. દરેક નાના મોટા ગામમાં પાર્કમાં પાર્ટીઓ થઈ. મોડી રાત સુધી ધડાકા સંભળાયા કર્યા. આનંદની વાત એ હતી કે એ ધડાકા ફટાકડાના હતા. સાચી ગનની ગોળીઓના નહોતા. અમેરિકામાં બધું સારું છે. ત્યારે માણસે જ પેદા કરેલ આ ગોળીબારનો ભય અતિશય ખરાબ છે.

*
અમેરિકાનો આખો ઈતિહાસ ખૂનામરકીથી ભરેલો છે. આખો મુલક અજાણ્યો હતો. અહીંના મૂળ રહેવાસી રેડ ઈન્ડીયનોને મારી નાખી, તેમનો પ્રદેશ છિનવી લેવાયો હતો. તે ગન વિના ન થાય. આ યુરોપીય પ્રજાને પ્રેમ અને દયા જેવા શબ્દો નથી આવડતા. તો અમેરિકાનો ઈતિહાસ રેડ ઈન્ડિયનોને મૂળથી કાઢવામાં ગયો છે.
*
પછી રેડ ઈન્ડિયનો છુટા છવાયા હુમલા કરતા.તેનાથી બચવા સ્ત્રી પુરુષ અને બાળકો ગન રાખતા થયા.૧૯મી સદીમાં તો મારે તેનો કાયદો. તેમાં અટવાણો કાળો માણસ. કાળા ગુલામોને તો કાયદાનું રક્ષણ જ નહીં. કાળા ગુલામોને તો ગોરા લોકો પશુથી બદતર હાલતમાં રાખતા. આજે અમેરિકામાં કોઈને નોકરીમાંથી કાઢી મકે તો કહેવાય કે તેને “ફાયર” કર્યો. આ “ફાયર શબ્દ આવ્યો ક્યાંથી? જ્યારે કાળા ગુલામને સજા કરવી હોય ત્યારે ઝાડના થડ સાથે બાંધીને સળગાવી દેતાં તેને ગોરા લોકો કહેતા “આઈ ફાયર હીમ”.

*

આમ જુઓ તો દેશમાં સ્વતંત્રતા દેખાય છે.બધું સરસ સરસ લાગે છે. પરંતુ ગોરી પ્રજાના મૂળમાં રંગદ્વેષ છે જ. ૨૦૧૨માં વિસ્કોનસીન સ્ટેટમાં ગુરુદ્વારા પર હુમલો કરી શીખ ભક્તો પર એક ગોરા રંગદ્વેષીએ ગોળીઓ છોડી. પેન્સીલવેનીયામાં કોઈક ગોરાએ આમિસ(ડચ રિલીજીયન) લોકોની બે નાની છોકરીઓ પર ગોળી છોડી. આવો બનાવ ગયા મહિને ચાર્લ્સ્ટન સાઉથ કેરોલાયનાની ઐતિહાસીક ઈમેન્યુઅલ આફ્રિકન મેથોડિસ્ટ ચર્ચમાં એક ગોરા યુવાને નવ ભક્તો પર ગોળીઓ ચલાવી, તેમને મારી નાખ્યા– ફક્ત રંચદ્વેષથી પિડાઈને જ. એક આડ વાત. અમેરિકાના સાઉથના રાજ્યો ગુલામો રાખવા માંગતા હતા. જેની સામે ઉત્તરના રાજ્યો ગુલામોની મુક્તી માંગતા હતા. અને ઉત્તર–દક્ષિણ ૧૮૬૦ના દાયકામાં જંગે ચઢ્યા હતા. તે ઝનુન આજે પણ સાઉથના રાજ્યોમાં જોવામાં આવે છે. તેઓ આજે પણ તે સ્ટેટની વિધાન સભા પર આજ  સુધી સિવીલ વોર વખતનો તેમનો યુધ્ધનો ફ્લેગ રાખ્યો હતો. જેને ભારતિય મૂળના ગવર્નર નિક્કી હેલીએ વટ હુકમ બહાર પાડીને ઊતારાવી દીધો છે. પરંતુ ત્યાંના ગોરાઓના મનમા્ રંગદ્વેષ કાઢી શકશે ખરા? હું છેલ્લા ચાલીસ વરસથી સાંભળતો આવ્યો છું. મંદીરો, જ્યુઈશ ટેમ્પલએ ખુલ્લા ટારગેટ છે. ખરેખર તો મારો લેખ અમેરિકાના ગુજરાતીઓએ વાંચવો જરૂરી છે. આપણાં ગરબા થાય છે. ત્યારે પાંચ કે દસ હજાર સ્ત્રી પુરુષો માતાજીની આરતી ગાવા અને ગરબા કરવા ભેગા થાય છે. સ્ત્રીઓ સોનાના દાગીનાથી લદાયેલી હોય છે. કાયદેસર એક બે પોલિસ કાર રાખવી પડે છે. હજારો માણસો માટે તેટલા પુરતા નથી હોતા.તેમાં પાછા ગૌરવથી મેઈન રોડ પર શોભા યાત્રાઓ કાઢે છે. વચ્ચે ગુરુજી–મહારાજોને પાલખીમાં ઊંચકે છે. જાણે કોઈ ભયંકર બનાવની રાહ જોઈએ છીએ. આપણે ત્યાં લોકોના ખિસ્સામાં મોબાઈલ હોય છે. તેમ અહીં કેટલાય ની પાસે ગન હોય છે. બસ આ બ્રાઉન ચામડીવાળાઓને જોઈને એકાદ ગાંડાનું મગજ ઉછળવું જોઈએ. આપણા આવા ફંક્શનો તો એક જ રાતે પાંચ દસ હોય છે. નવા ખુલેલા રોબિન્સવિલ, ન્યૂ જર્સીના સ્વામીનારાયણ મંદીર સિવાય બીજા કોઈ મંદીર પાસે પોતાનો સિક્યુરીટી ફોર્સ હોય એ જાણવામાં નથી આવ્યું .સ્વામી નારાયણના આ મંદીરમાં તો ગેટ પર જ ચેક કર્યા પછી બધી કારને મંદીર પાસે જવા દેવામાં આવે છે. આવું દરેક મંદીરમાં થવું જોઈએ. મારા પિસ્તાલીસ વરસના રહેવાશ દરમિયાન મેં ગોરા અમેરિકનોમાં રંગદ્વેષ બહુ જોયો છે. “તમે ઈન્ડિયનો અહીં કેમ આવ્યા છો?” એ સવાલ તો મેં ઘણીવાર સાંભળ્યો છે. ન્યૂ યોર્ક શહેરની એક ટેક્ષટાઈલ મિલમાં હું ૪૧ વર્કર્સ નો સુપરવાઈઝર હતો ત્યારે મને કેટલા ય લોકોએ પૂછ્યું છે કે “તને આ નોકરી મળી કેવી રીતે? તું ઈન્ઠિયન અમને ઓર્ડરો આપી શકે જ કેવી રીતે? ” એક તો હું ટેકનીકલ ડિગ્રી સાથે બીજા ઉપરીઓને ફાવતો. અને બીજું મારી ૫–૧૦ની ઊંચાઈ કામ આવતી. જેને લીધે લેબરર ગ્રુપ સાથે કોન્ફીડન્સથી ઊભો રહી શકતો. આમાં કેટલા ય પાસે ગન હતી. તેમ છતાં મળતાવડા સ્વભાવ અને સેન્સ ઓફ હ્યુમરની સાથે સાત વરસ તે નોકરી કરી. તે ગાળામાં પ્લાસ્ટિક ટેલનોલોજીનું ભણીને પ્લાસ્ટિક કંપનીમાં રિસર્ચમાં નોકરી લઈ લીધી.

*
એક સર્વે મુજબ ૪૭ ટકા અમેરિકનો પાસે લાયસન્સ ગન છે. કહેવાય છે કે જે હિંસાથી જીવે છે તે હિંસાથી મરે છે. એ વાત અમેરિકામાં લાગુ પડતી નથી. અમેરિકામાં તો અહિંસાથી જીવનારા પણ ગોળીઓ ખાય છે. વરસોથી ગન રાખતા લોકોને ગન રાખવી છે. બધાંને ખબર નહીં હોય પણ અમેરિકામાં “એન.આર. એ.– નેશનલ રાયફલ એસોશીએશન “છે. જે ખૂબ પાવરફૂલ ગન લોબી છે. અમેરિકાના પ્રમુખની તાકાત નથી કે “નો ગન”નો કાયદો લાવે. કારણ કે એન.આર.એ. ના ખિસ્સામાં અમેરિકાની કોંગ્રેસના કેટલા ય રિપબ્લીકનો અને ડેમોક્રેટો છે. જેમને એન.આર.એ. ઈલેક્શન જીતવા પૈસા આપે છે. અને જો કોઈ બહાદુર કહે કે “મને જીતાડશો તો ગન પર બંધી લાવી દઈશ” તેને એન.આર.એ.ના લાખો મેમ્બર્સનો એક વોટ ન મળે. આ છે ગનની આઝાદી!!

છેલ્લી વાત–

Queen

બ્રિટનના રાણી ઈલિઝાબેથે અમેરિકાની મુલાકાત લીધી. ત્યારે અમેરિકાના પ્રેસિડન્ટ રોનલ્ડ રેગન હતા. જે પોતે સાહસી કાઉબોય પણ હતા. રાણીને પોતાના ફાર્મની વિઝીટે લઈ ગયા. રેગન સાહેબ ,રાણી સાહેબા સાથે દૂર ઘોડા પર બેસી ફાર્મ જોવા નિકળ્યા. ત્યારે રાણી સાહેબાના ઘોડાએ “હવા છોડી”.અને ધડાકો થયો. રાણી અને પ્રેસિડન્ટ બન્ને ચમક્યા. રાણી સમજી ગયા. તે બોલ્યા,”સોરી આઈ એમ એમબારેસ્ડ” પ્રેસિડન્ટ થોડા ગુચવાયા. પછી બોલ્યા, ” ઓહ એમ હતું. મને એમ કે તમારા ઘોડાએ ધડાકો કર્યો.”
Email- harnishjani5@gmail.com

7 responses to “આઝાદી અમેરિકન સ્ટાઈલ. હરનિશ જાની

  1. Tushar Bhatt July 24, 2015 at 8:35 AM

    Nice sharing!

    Liked by 1 person

  2. મનસુખલાલ ગાંધી, U.S.A. July 16, 2015 at 1:29 AM

    નવી નવી જાણકારી આપતો સુંદર લેખ છે.

    Liked by 1 person

  3. pravinshastri July 15, 2015 at 5:08 PM

    આ યશ તો હરનિશ જાનેનો.

    Like

  4. હિમતભાઇ મેહતા July 15, 2015 at 2:40 PM

    શાસ્ત્રીજી સરસ લેખ છે અમેરિકા વિષે .

    Liked by 1 person

  5. pravinshastri July 15, 2015 at 4:32 AM

    આભાર તો આપનો દોસ્ત. આપની હાજરી મારા બ્લોગ મંડપની શોભા અને ગૌરવ છે.

    Like

  6. harnishjani52012 July 14, 2015 at 11:21 PM

    Thank you PravinKumar.

    Liked by 1 person

  7. Pravin Patel July 14, 2015 at 6:53 PM

    હિન્દુસ્તાનમાં અનામત જાય તોપણ અમેરિકામાંથી ગન ના જાય !
    અમેરિકાના કાળીયા ત્રાસ વેઠે અને ત્રાસ ફેલાવે તેવું ભારતમાં મુસ્લિમો રોષ વેઠે અને ત્રાસ ફેલાવે !!
    સારી સદગુણોની વાતો શાસ્ત્રો અને પ્રવચનો જ અકબંદ છે,બાકી પૃથ્વીના પટ પર મનુષ્ય લડતો ઝગડતો જ રહે !

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: