Recent Posts
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ January 14, 2022
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ (૨) January 7, 2022
- જિપ્સીની ડાયરી-જરા યાદ કરો… October 17, 2021
- જિપ્સીની ડાયરી-Battle of Fatehpur – 8 sikh light infantry October 12, 2021
- જિપ્સીની ડાયરી-પૂર્વસૂચન? October 7, 2021
- જિપ્સીની ડાયરી-નો મૅન્સ લૅંડ October 3, 2021
- વૃદ્ધત્વઃ મારું મનોમંથન October 1, 2021
- જિપ્સીની ડાયરી-વિજય કે નામોશી? September 30, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રીના સંસ્મરણો September 29, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રી September 26, 2021
સારું છે કે હરનિશ ભાઈએ ગુજરાતી ભાષાના સરળીકરણ માટે ચાલી રહેલી ઝુંબેશનો સાથ પણ નથી આપ્યો અને ખુલ્લંખુલ્લા તેની વિરોધમાં પણ જઈ બેઠા નથી. માત્ર તથ્યોનો ઉલ્લેખ કર્યો છે!
કોઈ પણ બાબત અઘરી લાગે એટલે તેને સહેલી બનાવવી અને સહેલી બનાવવાની સહેલી રીત એટલે તે બાબાતની ખૂબીઓને મિટાવી દેવી, એવું સ્વીકારાઈ ગયું છે. ‘સ”,’શ” અને “ષ “ને સ્પષ્ટ જુદા પાડીને લખાતી અને બોલાતી ગુજરાતી ભાષા કેવી મીઠી અને મંજુલ લાગે છે!હ્રસ્વ અને દીર્ઘ “ઈ” અને “ઉ’ છન્દો- બધ્ધ કવિતાનો પ્રાણ છે.પણ છંદ પકડમાં ન આવતા હોવાને કારણે નવા કવિઓ “અછાંદસ”ને રવાડે ચડ્યા છે! (મને પણ એજ સહેલું પડ્યું છે). અછાંદસ કવિતાના વિરોધમાં એક સરસ તર્ક શ્રી વિનોદ ભટ્ટના એક અભ્યાસ લેખમાં જોવા મળ્યો હતો કે, છંદ પાકા ન થાય ત્યાં સુધી અછાંદસ રચના ન કરાય, જેવી રીતે ગવર્નર પકડીને સાયકલ ચલાવતા ન આવડે ત્યાં સુધી છુટ્ટા હાથે સાયકલ ન ચલાવવી જોઈએ!
એક જ “સ” એક જ “ઈ” અને એક જ “ઉ”ના પુરસ્કર્તાઓ ” ઋ” ની તો શું દશા કરશે તે તો રામ જાણે! થોડા વર્ષો અગાઉ મારા જેવા ચોખલિયા એમ કહેતા ” કે ગુજરાતીમાં જોડણીની અવગણના કરીએ છીએ પણ અંગ્રેજીમાં સ્પેલિંગ ખોટા લખતા કેમ શરમાઈએ છીએ?”. હવેના જનરેશને ગુજરાતી સુધારીને નહિ પણ અંગ્રેજીને ય બગાડીને બધું સમથળ કરી નાખ્યું! “કેમ ૬ ? સારું ६ “! વાળી ભાષા વાપરીને પણ આપણે કોમ્યુનીકેશન જીવતું રાખ્યું છે તે સારું છે! બાકી રેડીમેઈડ એમોટિકોન, સ્ટીકર અને થમ્સઅપ નું ચિહ્ન, અને માત્ર પ્રશ્નાર્થ કે માત્ર આશ્ચર્ય ચિહ્નથી સફળ કોમ્યુનીકેશન કર્યા નો સંતોષ લેનારા મિત્રો પણ ઢગલો છે!
LikeLike
લેખ અહીં મુકવા બદલ પ્રવીણકુમારનો્. અને મિત્રોનો લેખ વાંચવા બદલ. આભાર
LikeLiked by 1 person
હરનીશભાઈએ હસતાં -હસાવતાં ભાષા શાસ્ત્રીઓ પર સરસ વ્યંગ કર્યો છે.
LikeLiked by 1 person
ભાષાને શું વળગે ભૂર
જગમાં જીતે એ શૂર
શ્રી હર્નિશભાઈની વિદ્વતાભરી વ્યંગ કલમને વંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLiked by 1 person
આમાં પણ હરનીશભાઈએ એક જબરૂં સશોધન કર્યું છે… બહુ સરસ..ત્રીજી-ચોથી ABCD ની અંગ્રેજીમાં લખાતું હોવાથીજ કોર્ટ-કચેરીના કાગળો વકીલો સિવાય કોઈ ઉકેલી સકતા નહીં હોય એટલેજ માં આપણા લોકોનેેમાં કોઈ ખબર પડતી નથી,
LikeLiked by 1 person
‘લેખકો કે છાપનારા ગમે તેટલી કાળજી રાખે પણ કોમ્પ્યુટર મહારાજ જુદી જ જોડણી છાપે.એટલે ન્યૂઝ પેપરમાં ખોટી જોડણી જુઓ તો લેખકને “અભણ”નો ખિતાબ નહીં આપવાનો. અંગ્રેજીમાં પણ બે પક્ષ દેખાય છે.’ અનુભવેલી વાત
સિધ્ધહસ્ત લેખકના સુંદર લેખ માનો એક
LikeLiked by 1 person