Recent Posts
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ January 14, 2022
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ (૨) January 7, 2022
- જિપ્સીની ડાયરી-જરા યાદ કરો… October 17, 2021
- જિપ્સીની ડાયરી-Battle of Fatehpur – 8 sikh light infantry October 12, 2021
- જિપ્સીની ડાયરી-પૂર્વસૂચન? October 7, 2021
- જિપ્સીની ડાયરી-નો મૅન્સ લૅંડ October 3, 2021
- વૃદ્ધત્વઃ મારું મનોમંથન October 1, 2021
- જિપ્સીની ડાયરી-વિજય કે નામોશી? September 30, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રીના સંસ્મરણો September 29, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રી September 26, 2021
શરદભાઈની તો વાત જ ન્યારી.
LikeLiked by 1 person
sharad bhai ni kalpana ni aakhi rajuaat khub gami..ane school thi kevireete kalpana nu shastra..ane pachi tema umerayu–SMRUTI nu pad…tethi bani Kabir ni chakki…aapade badha-j teni vacche pisaiye chiye..hu varta- kavita- sangeet banavi nathi shakato- pan સ્નેહીશ્રી મનસુખભાઈ nee jem mani shaku chu…ane swapna ma smruti ane kalpana nu aakhu natak roj roj jovu chu..ane have ek–AANADI KALPANA karu chu ke swpna ne actual recording najeek na bhavishya ma kari shakiye..to kevu maza nu !!!
LikeLiked by 2 people
કોઈ પણ સાહિત્ય એ લેખકોની કલ્પનાઓની જ નીપજ હોય છે.શરદભાઈ એ આ લેખ જ્યારે લખ્યો હશે એ પહેલાં કલ્પના કરી હશે જ કે આ લેખમાં વાચકોને માટે કલ્પના વિશેના વિષયને ન્યાય આપીને શું લખવું જોઈએ.
શ્રી પ્રવીણ શાસ્ત્રી જ્યારે એમની સંઘેડા ઉતાર સરસ વાર્તાઓ લખે છે ત્યારે તેઓ કલ્પના ના ઘોડાઓ ઉપર અસવાર થઈને મનમાં પાત્રોનું સર્જન કરતા હશે અને પાત્રો ના મુખે સંવાદ અને પ્રસંગોની કલ્પના કરી વાચકોને ગમે એવી વાર્તાઓ નું સર્જન કરે છે.એવું જ ચિત્રકારો માટે એમના ચિત્ર સર્જનનું છે. આમ કોઈ પણ સર્જન પાછળ કલ્પના મહત્વનો ભાગ ભજવે છે.
LikeLiked by 2 people
નમસ્તે પ્રવિણભાઇ, શરદભાઇની કલ્પનામા થોડુ ઉમેરવાનુ રહી ગયુ. એ છે ભગવાનનુ પ્રધાનમંડળ. આપણા દેશમા તો લોકશાહી બહુ મોડી આવી પણ ત્રેત્રીસ કરોડ દેવતા ને ભગવાનના સહાયક તરીકે આપણે નીમી દીધા છે. જેમ કે ઇન્દ્ર સેનાપતિ, કુબેર ખજાનચી, વરુણને વાયુખાતુ, ધનવંતરી એટલે ડોક્ટર. એની સહાયમા અનેક દેવતા ને સેક્રેટરી તરીકે અનેક
દેવીઓ. જુઓ રોજ નવી નવી દેવીમાતા કયાકથી પ્રગટ થાયજ છે ને!છેવટે દ્રારપાળ જેવા સાધૂબાબા,કોઇપણ મોટી કંપનીમા જાવ તો દરવાજે પહેલા તો દ્રારપાળ કે પટાવાળા મળે. માલિકને મળવા પટાવાળા થી માંડીને છેક કંપનીના મેનેજરને મળો તો જ માલિકની મુલાકાત થાય.વચ્ચેના પગથીયા આપણે જ ચણેલા છે.
પ્રવિણભાઇ , તમે google.com પર જશૌ પછી bloggers.com લખજો. મળી જશે.તમારી તબીયત સારી હશે એવી આશા. તમારી પાસે માતૃભાષા હજી ઋણ માગે છે. ને અમારા જેવા વાચકો પણ. એ જ વિમલા હિરપારા
LikeLiked by 1 person
વિમળાબેન ખૂબ સરસ વાત કરી.
મેં આપનો ઈ મેઈલ શોધ્યો પણ મળ્યો નહિ. મને ફરી વાર મોકલશોં shastripravinkant@gmail.com પર ફરી થી મોકલો. અત્યારે હું હોસ્પિટલ જાઉં છું. સાંજે જોઈશ. સાથે તમારો ફોન નં આપશો તો વાત કરીશું.
LikeLike
શરદભાઇ, વાસ્તવિક જગત કરતા કલ્પના જગત મોટુ છે.ર’રાઇના પર્વત જેવી વાત છે. ટેકરાને હિમાલય બનાવતા તમને કોણરોકે છે? આપણી કલ્પના પમાણે આપણે ખીઝડાના ઝાડ પર ‘મામા’ બેસાડી દઇએ, આવળબાવળમા અવગતિયા ભુત તરીકે દેખાય, જીવતા ન નડ્યા હોય એવા પિતૃ મર્યા પછી નડે,માબાપની અવગણના કરી હોય એ જ સંતાનો માબાપની શાંતિ માટે એના મરણ બાદ તાણ વેઠીન ે કે દેવુ કરીને ય શ્રાધ સરવણુ કરે એ પણ એક કાલ્પનિક ભય ના કારણે જ ને!
કબરો પર ઘીના દિવા થાય ને તાજમહાલ ચણાય.આમ જુઓ તો મોટા ભાગના લોકોને આ હવાઇ કિલ્લામા રાચવાનુ ને મન મનાવવાનુ હોય છે. એટલા પુરતી દુનિયામા શાંતિ. ઉપર ન્યાય મળશે એ આશાએ પૃથ્વી પર અન્યાય વેઠી લઇએ છીએ . દાનપુન્ય કરતી વખતે એ જ સ્વર્ગના સુખની કલ્પના.હા બુધ્ધિપુર્વકની કલ્પના નવા આવિષ્કારની જનેતા બને. એવા લોકો જ દુનિયા બદલી શકે. એ સાહસિકો ને વિચારકોની દુનિયા છે. વિમલા હિરપારા
LikeLiked by 2 people
શ્રી શરદભાઈ,
તમારો મસ્ત જવાબ વાંચ્યો. મારું કામ સારા સારા લેખો વાંચવાનું, અને જો ગમે તો પ્રતિભાવ આપવાનો. અને ન ગમે તો negetive કે ખરાબ લખવાને બદલે ન લખવું. તમારા લેખો તો બહુ ગમે છે અને કોઈના પણ ભલે વખાણ ન કરીએ કે પછી કોઈ પણ જાતનો પ્રતિભાવ ન આપીએ તો લખનારને શું મન થવાનું લખવાનું..? આ તો તમે કલ્પના વિષે લખ્યું એટલે મેં પણ એવી કલ્પના કરીનેજ મત દર્શાવ્યો હતો.
બસ લખતા રહો…
LikeLiked by 1 person
જો ફેસબુક હોત તો હીહીહીહી કરતે. અહિં ના થાય. બીલકુલ સીરીયસ.
LikeLike
તમારે વિનંતિ કરવાની ન હોય. મોજ કરવાની. મારી વાતને બહુ સિરીયસલી ન લેવી. હું તો હજી જ્ઞાનના સાગરમાં છબછબીયા કરું છું. ધમ પછાડા કરતા કરતાં થોડા છાંટા મિત્રો પર પણ ઊડાડું છું. બસ. પાસે રહેશો તો થોડા ભીના થઈ જવાય. ભીના થવાનુ ન ગમે તો થોડીવાર ફેસબુકના તડકે બેસી આવવું. પાછા કોરા… હતા તેવાને તેવા.
LikeLiked by 1 person
સ્નેહીશ્રી મનસુખભાઈ, અને શરદભાઈ,
આપ બન્નેને હું મળ્યો નથી, કદાચ મળીશ પણ નહિ; પણ હંમેશ એવો અહેસાસ રહે છે કે હું આપને ખૂબ નજીકથી જાણું છું. મનસુખભાઈને હું એક વિદ્વાન વાચક અને શરદભાઈને હું વિદ્વાન લેખક સમજતો આવ્યો છું. શરદભાઈની વાતો ગહન છે. જેમ ઊંડા ઉતરીએ એમ ઉચ્ચ કક્ષાના મોતી મળે. હું તો કિનારા પર નો માણસ છું. એ જે લઈ આવે તે તફડાવીને વહેંચનાર છું. મારી વાર્તાઓની સાથોસાથ મિત્રોને ચિંતનાત્મક વાતો મળે એ માટે શરદભાઈને વિનંતિ કરતો રહું છું.
LikeLiked by 1 person
પ્રિય મનસુખભાઈ,
મારા લખવા પાછળ, મને વાહ વાહ મળે તેવો ઉદ્દેશ્ય ઓછો અને એક નવી દિશામાં વિચાર પાંગરે અને જિવનને નવી દૃષ્ટિએ જોવાથી અને નવા આયમે ઉર્જાનો પ્રવાહ વાળવથી જીવનના ઘણા બધા રહસ્યો સમજાય છે તે તરફ વધુ હોય છે.
મારા લેખ કોઈના હૃદયને સ્પર્શે તો તેનાથી અધિક રુડુ શું હોય? મારી વાતનો વિરોધ થાય અને તેની ચર્ચા થાય તે વધારે શુભ છે. કોઈની હા, માં હા મિલાવવી તો સહેલી હોય છે. કોઈ સંઘર્ષ નહીં. પરંતુ જ્યારે નકારીએ ત્યારે એક યોધ્ધાનુ શોર્ય જોઈએ. મારા ગુરુ જોડે હું ખુબ લડ્યો છું. (બૌધિક રીતે). એટલે કોઈનો વિરોધ હોય તો પણ સર આંખો પર. ચિંતા ન કરો કે વાહ વાહ નહીં કરો તો લખવાનુ બંધ કરી દઈશ. એ લખાવે છે ત્યાં સુધી લખુ છું. બંધ કરાવશે ત્યારે બંધ કરી દઈશ.
LikeLiked by 1 person
જો પ્રવીણભાઈ આવા સરસ લેખો ન મુકે તો આપણને વાંચવા કેવી રીતે મળશે અને શરદભાઇ માટે જો સારો અભિપ્રાય નહીં આપીએ તો જો લખવાનું બંધ કરી દેશે તો આપણે શું વાંચશું…હજી તો સ્ત્રીના કેટલા અંગો બાકી રહી ગયા એની ખબર કોંણ આપશે…..આપણું શું થશે…. આવી આવી કલ્પના માત્રથી ધ્રુજારી છુટે છે….
LikeLiked by 1 person
પ્રજ્ઞાબેન સરસ કાવ્ય માણવા મળ્યું. આભાર.
LikeLiked by 1 person
કલ્પના જગતની આડે વિજ્ઞાન ક્યારે પણ આડું આવ્યું નથી. તેનાથી વિપરીત વિજ્ઞાને મારા કલ્પના જગતને, કવિ જગતને વધારે તાર્કિક પાંખો આપી ઈશ્વર ઈચ્છા બહુ બળવાન છે. આ વિશ્વ ભગવાનની માયાથી મોહિત થયેલું છે. જીવનના અલગ અલગ પડાવમાં માયા કેવી રીતે જીવને મોહિત કરે છે એનું વર્ણન કરવાનો આ કાવ્ય દ્વારા પ્રયાસ કર્યો છે. પ્રભુની માયાને સુવર્ણ મૃગ અને માયાના બંધનને તાર સ્વરુપે કલ્પના કરી કાવ્ય માણવામાં અદ્ભૂત આનંદ આવશે. ભાઇ રાહુલની કલ્પના
સુવર્ણ મૃગ
ઇશ્વર કેરી ઈચ્છા ભારી, જીવ ને બાંધે તારે.
સુવર્ણ મૃગ ના રુપે માયા, જગ માં છે વિસ્તારે
પ્રભુ ધામ છોડી ને જીવડો, માનવ ને જન્મારે.
મા ને ખોળે મુક્તિ લઈશું, એવું જ્યાં એ ધારે
ત્યાં સુવર્ણ મૃગ પધારે.
સંબંધ સ્નેહે હૈંયે ચાંપી, જીવ ને બાંધે તારે
હસતા રમતા મોટાં થઈશું, બાળક ને કિલકારે.
નિર્દોષ રમતમાં ખેલ ખેલતાં, પાર થશે જન્મારે
ત્યાં સુવર્ણ મૃગ પધારે.
સૃષ્ટિ ના કુતુહલ માં વશ થઈ, જીવ ને બાંધે તારે
સંસ્કારો ની મુઠ્ઠી બાંધી, દિપે દિપ પ્રકાશે.
માતા શિખવે પાઠ પ્રભુ ના, ધ્યાને જગ વિસરાવે
ત્યાં સુવર્ણ મૃગ પધારે.
મિત્રો ની સંગાથે દોરી, જીવ ને બાંધે તારે
સચ્ચિદાનંદ રુપ પ્રભુ નું, અંતર ના અજવાળે.
ઉમંગ હૃદય માં ખુબ ઉછળે, પ્રેમી ના પલકારે
ત્યાં સુવર્ણ મૃગ પધારે.
કામેચ્છા ના બાણે વીંધી, જીવ ને બાંધે તારે
અઢળક નાણાં સુખ સાહ્યબી, માંહ્યલા ને મુંઝાવે.
શું ખપ નું આ જીવતર મારુ, ખાવાનું ના ભાવે
ત્યાં સુવર્ણ મૃગ પધારે.
સમૃધ્ધિ ની આંટી-ઘુંટી, જીવ ને બાંધે તારે
ગુરુવર મળ્યાં હંસ સરીખાં, અગમ નિગમ ને જાણે.
રક્ત ના કણ કણ માં સ્થાપિત, શ્રદ્ધા છે સંચારે
ત્યાં સુવર્ણ મૃગ પધારે.
સિદ્ધિ પાછળ દોટ મુકાવી, જીવ ને બાંધે તારે
મોહ મમતા છોડી વનમાં, સિદ્ધો ને સથવારે.
યોગ તપોબળ વધતાં ભારી, માયા ને પડકારે
ત્યાં સુવર્ણ મૃગ પધારે.
અભિમાન ના છૂપા દ્વારે, જીવ ને બાંધે તારે
ભવ સાગર માં ભૂંડા ભટકી, અંત સમય જે આવે.
હરિ નામ શરણે વૈતરણી, પાર થશે કિનારે
ત્યાં સુવર્ણ મૃગ પધારે.
પાછળ શું થાશે ની ચિંતા, જીવ ને બાંધે તારે
LikeLiked by 2 people
શરદભાઈ મનોવૈજ્ઞાનિક વાતોને શ્બ્દોમાં કડારવામાં માહેર છે.
LikeLiked by 1 person
કલ્પનાના ઘોડા એટલે ભાવિનું કાલ્પનિક ચિતરામણ. આપણા જીવનની, સૌના અનુભવમાં આવતી વાતને સરસ રીતે આ.શ્રી શરદભાઈ શાહે આલેખી છે.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLiked by 2 people