Recent Posts
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ January 14, 2022
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ (૨) January 7, 2022
- જિપ્સીની ડાયરી-જરા યાદ કરો… October 17, 2021
- જિપ્સીની ડાયરી-Battle of Fatehpur – 8 sikh light infantry October 12, 2021
- જિપ્સીની ડાયરી-પૂર્વસૂચન? October 7, 2021
- જિપ્સીની ડાયરી-નો મૅન્સ લૅંડ October 3, 2021
- વૃદ્ધત્વઃ મારું મનોમંથન October 1, 2021
- જિપ્સીની ડાયરી-વિજય કે નામોશી? September 30, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રીના સંસ્મરણો September 29, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રી September 26, 2021
હું કોઇને અખંડ સૌભાગ્યવતી ના આશીર્વાદ આપતો નથી
LikeLike
એક મિત્રની વાસ્તવિક વેદના ને વાર્તારૂપે ઢાળી છે.
LikeLike
અમેરીકા હોય કે ભારત…શ્રી વસંતભાઈની સલાહ એકદમ સચોટ અને બંધબેસ્તી છે. ‘દીકરા સાથે છો તો સુખે દુખે દીકરા સાથે જ રહેજો. એક વાર છૂટા થયા પછી ફરી સાથે રહેવાનું મુશ્કેલ બની જશે.’…..એક વખત કોઈ પણ દીકરા-દીકરીનું ઘર છોડ્યા પછી, જ્યારે પાછા જશો ત્યારે કુટુંબી કે વડીલ તરીકે નહીં પણ, એક મહેમાન, ગમતા કે અણગમતા… દીકરા-દીકરીને તો કદાચ વાંધો ન હોય, પણ, Grand Children ને તો નહીંજ ગમે અને આ હકીકત છે. અને ૭૫-૮૦ વરસે પુનર્લગ્ન કરવા એ કંઈ સુઝાવ નથી.
LikeLike
આભાર સાહેબ.
LikeLike
દીકરા સાથે છો તો સુખે દુખે દીકરા સાથે જ રહેજો. એક વાર છૂટા થયા પછી ફરી સાથે રહેવાનું મુશ્કેલ બની જશે. બેમાંથી એક થશો ત્યારે મારા જેવી મનોયાતના ના ભોગવવી . mos realistic and practical hints for Indian seniors whether in U S or in India.
LikeLiked by 1 person
શ્રી પ્રવિણભાઈ અમે બે મિત્રો ૮૧ અને ૭૮ થયા છીએ અને વનવાસ મસ્તીથી ભોગવી રહ્યા છીએ .એમને કહો કે શિકાગોનું સરનામું મોકલાવો તો તેમને મળીને બધા નેગેટીવ વિચારો ખંખારાવીને પોઝીટીવ વિચારતા કરી દઈએ.અથવા શ્રી સુરેશભાઈ.જાની પાસે પહોચી જાય.
LikeLiked by 1 person
મારી વાત કે વાર્તા કરતાં પણ આપનો પ્રતિભાવ અને કાવ્ય સંકલન એક ઉત્તમ સ્વત્રંત્ર લેખ બને છે. છે.
અને આપના વિચારો…” વિઘુર કે વિઘવા…..કોઇઅે પણ પુન:લગ્ન કોઇ સમજદાર અને પોતાને માટે યોગ્ય હોય તેવી જ વ્યક્તિ સાથે લગ્ન કરી લેવા જ જોઇઅે.” એજ વાત મારી રિવર્સલ શ્રેણીનો પાયો છે. આમ છતાં એ ઉમ્મર અને શારીરિક માનસિક સ્થિતિ પર આધાર રાખે છે. દરેકને માટે એ શક્ય નથી એ વાસ્તવિકતા છે. લગ્ન વગર પણ એક વિજાતિય મૈત્રી અને અંગતપણું સહાયભૂત રહે.
LikeLike
મિત્રો,
મિત્રો તરીકે તમને સંબોઘન કરવા પાછળ હેતુ છે….હું પણ આ ઉમરના માળખામાં છું.
ઘણું ઘણું વાંચ્યુ છે. સમય આવે જીવનમાં કોઇક જગ્યાઅે ફીટ થઇ શકે છે.
પહેલી વાત…ટૂંકી ને ટચ…‘ કવિ વિજય શાહ, ‘ ઢળતી સાંજે, સખી તારી સાથે , જોવો સૂર્યાસ્ત.‘
શૈફ પાલનપૂરી, ‘ જીવનની સમી સાંજે, જખ્મોની યાદી જોવી હતી; બહુ ઓછા પાના જોઇ શક્યો, અંગત અંગત નામો હતાં.‘
હવે પ્રાણિ જગતની વાત: પક્ષી…બાળકને જન્મ આપે…ખવડાવે…પાંખ આવે અેટલે તે બાળક માળો છોડીને ઉડી જાય. આઝાદીના પંખો ઉગે…..
કોઇ નીગેટીવ વાત કહી ગયુ છે..: કોણ બાંઘે અમને તોરણે,? અમે પાખરનાં પીળાં પાન.‘
In English, ” Grow old with me, the best is yet to be.”
A successful marriage requires falling in love many times, always with the same person.”
અને સૌથી મોટી હકીકત..જીવનની અે છે કે, ‘ ઉદાહરણ આપવું ખુબ સહેલું છે…પરંતુ, ઉદાહરણ બનવું મુશ્કેલ છે.‘
ઘણું ઘણું આજના વિષય સાથે મેળ ખાય તેવી વાતો છે પરંતુ પછી કોઇવાર……માનવ જીવનમાં શું પંખી કે પ્રાણિજીવનને ફીટ બેસાડી શકાય ? માનવજીવન સૌથી અલગ જીવન છે.
કવિ ઉમાશંકર જોશી : બાળકને જોઇને જે રીઝે, રીઝે બાળક જોઇ જેને, વત્સલમૂરત સ્નેહલ સૂરત, હૃદય હૃદયનાં વંદન તેને.‘
કવિ સાજીદ સૈયદ :‘ જો આંગળી કપાય તો લોહીની ઘાર નીકળે, લોહીના બુંદે બુંદે મારી માનું ઉઘાર નીકળે.‘………….અને છેલ્લે કવિ કહે છે….‘ સાત જન્મોની સઘળી પુંજી લગાવી દંઉ્ તો ય મારી માવડી મારી લેણદાર નીકળે.‘
આ બઘા તથ્યોને દરેક વાચક પોતાના જીવનમાં કોઇ સાચી જગ્યાઅે ફીટ કરી જૂઅે.
મારા વિચારો: જ્યારે આપણે બાળકનો જન્મ આપીઅે છીઅે ત્યારે આપણે તેઓની પરવાનગી લઇને નથી જન્મ આપતાં. પરંતુ આ જીવનનો ક્રમ છે. તે પ્રમાણે જીવન ચાલે છે. જ્નમ આપીને બાળકને ઉછેરવાનું કર્મ, ભણાવવાનું કર્મ, અને…પરણાવવાનું કર્મ….કરીઅે છીઅે…કેમકે તેમને આ દુનિયામાં લઇ અાવીને આપણી ફરજ…ડયુટી…બની જાય છે અને તે પેરેન્ટસ્ બજાવે છે. હવે તેમન લગ્ન પછી વહુના આવ્યા પછી તેમની વર્તણુક બદલાય છે. પરંતુ જ્યારે વડીલ કોઇ બાબતની ઇચ્છા કરે ત્યારે તેને તેઓ ‘ અેક્સપેક્ટેશન‘ કહીને સંબોઘે છે પરંતુ તેઓ ભૂલી જાય છે કે હવે વડીલની સેવા તેમની ફરજ..ડય્ુટી…બને છે…ગીવનચક્ર ચાલુ જ રહે છે…તેઓ પણ ઘરડાં થવાના છે….ત્યારે જ…ઉદાહરણ આપવું કરતાં ઉદાહરણ બનવું મુશ્કેલ બને ંે…તેમને માટે. મા બાપને પ્રત્યે ફરજ સમજનારાની સંખ્યાં કદાચ દસ ટકાથી વઘારે નહિ હોય…..
નરસિંહ મહેતાઅે પણ આજનો આ પ્રશ્ન ચર્ચેલો હતો….
ઘડપણ કોણે મોકલ્યુ ? જા૬યુ જોબન રહે સૌ કાળ,
ઉંબરા તો ડુંગર થયા રે, પાદર થયા પરદેશ;
ગોળી તો ગંગા થઇ રે, અ.ગે ઉજળા થયા કેશ…..
ન્હોતું જોઇતું તે શીદને આવ્યું રે, નહોતી જોઇ તારી વાત ,
ઘરમાંથી હળવાં થયા રે, ખૂડે ઢાળો અેની ખાટ….
……
……..
દીકરા તો જૂજવા થયા રે, વહુઆરો દે છે ગાળ,
દીકરીઓને જમાઇ લઇ ગયા રે, હવે ઘડપણ ના શા હાલ ?
હવે વેસ્ટર્ન વર્લ્ડની સંસ્કૃતિની વાત કરીઅે. સાયકોલોજીકલી આનંદથી જીવવા માટે…વિઘૂરતાને ભૂલવા અને ડીપ્રેશનમાં નહિ પડવા માટે…..સ્ત્રીઓ અને પુરુષો મિત્રતા બાંઘે અને હુંફ આપવા સાથે રહે…પુરે પુરી સમજ સાથે..અેકબીજાને ખુશી આપવા માટે….લગ્ન પણ કરે…..
કવિ વિવેક ટેલર પોતાના લગ્નજીવન માટે સુખ પામવા હે છે કે…‘ અે રીતે બઘી વાતે સમાઘાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.
મારા વિચારો: વિઘુર કે વિઘવા…..કોઇઅે પણ પુન:લગ્ન કોઇ સમજદાર અને પોતાને માટે યોગ્ય હોય તેવી જ વ્યક્તિ સાથે લગ્ન કરી લેવા જ જોઇઅે.
શ્રઘ્ઘા કે અંઘશ્રઘ્ઘાને બાજુ પર મુકીને જીવન…ભાવિ જીવનની પાળ બાંઘવી જોઇઅે.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
નવીનભાઈ, જેમની સાથે દાયકાઓનું સહજીવન જીવ્યા હોય અને તે જતાં જે વેક્યુમ ઉભું થાય તે માનસિક રીતે અસહ્ય બની જાય છે. એકલી પડેલ વ્યક્તિની ઉમ્મર, હેલ્થ, અંગત સજોગો ઘરની અંદર અને બહારની પ્રવૃત્તિ સાથે કેટલા સંકળાયલા છે તેના પર એમના માનસિક સુખ દુઃખનો આધાર રહેવાનો છે. આ વાર્તા કે વાત નો પાયો એક નક્કર હકિકત પર રચાયો છે. દુઃખનું ઓસડ દહાડા એ મોટાભાગનાને રાહત જનક હોય; ફાવશે, ચાલશે, ગમશે, ભાવશે વગેરે જીવનમાં કડવી દવાની જેમ ગળતા રહેવાનું હોય એ મોટાભાગના સ્વીકારી લે છે. કોઈક મારા મિત્ર જેવાથી એ સ્વીકારી શકાતું નથી અને ધીમે ધીમે ડિપ્રેશનમાં સરતા જાય છે.
પ્રજ્ઞા બહેને હળવી રીતે પ્રતિભાવ આપતા કહ્યું છે કે પત્ની જતાં ભલું થયું ભાંગી જંજાળ અને અન્જોય ધ ફ્રીડમ. કેટલાક એ પણ કરી શકે છે અને રિબામણીથી મુક્ત રહે છે.
મારી “રિવર્સલ” સીરીઝ પણ આજ પાયા પર છે. સહજીવન “ટીલ ડેથ ડુ અસ ડિપાર્ટ” સૂધીનું રાખ્યા પછી ફરી નવજીવન શરૂ કરવાનો એક પ્રયાસ છે.
LikeLike
મારે તો સંતાનો જ નથી. પત્ની સાથે છે. એ જશે પછી હું એકલો પડી જઈશ. અને..હું પહેલાં જઈશ તો એને એકલીને ઇન્ડીયા જઈને રહેવાનું છે.
નવીન બેન્કર
LikeLiked by 1 person
આભાર ચિમનભાઈ. સુધારી લઈશ.
LikeLike
સરસ વિષય! ગમ્યો!
તમારી નીચેની ટાઈપો એરર જરા જોઈ લેશો.
આંખ નૂછીને/આર્થિક રીતે રીતે
LikeLiked by 1 person
દરેક જણને પોતાની જિંદગી હોય છે. દીકરા – દીકરી પેદા કરી, એમને ભણાવી ઠેકાણે પાડીએ એટલે આપણો ધર્મ પુરો થઈ ગયો.વધારે કશી અપેક્ષા રાખવી નહીં. સમય પસાર કરવા હજાર નુસખા છે. ના જડતા હોય તો સુરેશ ચોકસી ને સુરેશ જાનીનું ઈમેલ સરનામું આપી દેજો.
એમનું કરી નાંખીશ !!!!
લો … આજે તરતો મુકેલો પ્રોજેક્ટ…કાપી નાંખો !
https://scratch.mit.edu/projects/126402695/
LikeLiked by 1 person
Shastriji – Aap Aa sunder Lakhan ne – Tunki Varta Ko – K pachi – what in Reality is expected on Ageing of being a Male -that will be in order for Most of Us whether U like it or not – Having a ” Y ” Gene on our D N A [Egoist ]
LikeLiked by 1 person
મળ્યું એ ‘ *_માણવા*_ ‘ની પણ મઝા છે,
ના મળ્યું એ ‘ *_ચાહવા*_ ‘ની પણ મઝા છે !!
એક માં એક ઉમેરો તો બે થાય’-એવુ *_શિक्षક*_ શિખવાડી ગયા…પણ,
‘બે માંથી એક બાદ કરો તો,એકલા થઇ જવાઈ’
-એવુ *_જીંદગી*_ શિખવાડી ગઈ !
LikeLiked by 1 person
આપણી જાણબહાર આપણે પત્નિની હૂંફ, પ્રેમ અને કાળજીના પરાવલંબી બની જઈએ છીએ. શારિરિક આઅર્થિક રીતે સક્ષમ હોવા છતાં જે ગુમાવીએ છીએ તે વ્યથા કહેવાતી નથી અને સહેવાતી નથી. જ્યારે વ્યાવસાયિક કે કૌટુંબિક કારણે યુવાનીમાં જ સંતાનથી છૂટા થઈ ગયા હોય અને એકલા થઈએ ત્યારે આધેડ થઈ ચૂકેલા સંતાન સાથે રહેવાનું થાય ત્યારે બન્ને પક્ષે ન છૂતકે નિભાવતા હોય એવી અનુભૂતી થાય. ચાલશે, ભાવશે, ફાવશે, ગમશે એ માત્ર આવરણ છે.
LikeLiked by 1 person
પ્રિય મિત્રો
ફક્ત થોડા દિવસ માટે હું અને કમ્પ્યુટર જુદાઈનો આનંદ લઈશું .
એટલે કોઈને મારાથી જવાબ નહીં અપાય .
LikeLiked by 1 person
pravinbhai,
once again you have touched very touchy topic of reality of life..you expressed it touching all aspect and children with different profession and family..yes we get used to this life to stay in comfort zone…with wife like Sarala…
i think we should fight a lot before parting–so as pragnaben says we can sing a song with in heart “bhalu thayu bhangi janjal….”
yes as we cross certain age say 70+ or more so when 80+ this becomes our constant fear…
in india dongare maharaj and other has taught ” chalshe- favashe- gamashe”
i think diverting mind from same recording can help- but as said in comment above
સ્વાનુભવ વગર આ સુખનો અંદાજ આવવાનું મુશ્કેલ છે
and you concluded: દરેક વ્યક્તિએ પોતાના ભાવીજીવનનો ચિતાર અત્યારે જ કલ્પીને માનસિક તૈયારી રાખવાની જરૂર છે.
we can discuss individually what way we are preparing ourselves..how ever vacuum we all will face..no preparation of swimming withought plunging into will help us…but yes can give us direction like Map.
LikeLiked by 1 person
તૃપ્તીબન વારતા કહો કે માત્ર વાત પણ આ એક વિધુરની વાત નથી આપના પિતાશ્રી જેવા અનેક વિધુરો આ માનસિક દશામાં જીવી રહ્યા છે. વિધવા મા તો ઘરની કામવાળી તરીકે પણ જીવી જાય. હૈયામાં મમતા જીવતી હોય. પુરુષનો ઈગો અને અપેક્ષા વ્યક્ત કરવાનું અઘરું છે. વિધવા રડી શકે છે. વિઘુર તો રડી પણ શકતો નથી.
LikeLike
સંતાન એમના બાપને હડધૂત કરે છે?જી ના, પણ સંતાનો ને પણ તેમની જિંદગી છે. તેથી બને ત્યાં સુધી જુદા રહેવામા જ આનંદ છે. વિધુર ની કહાની હર્દય ને હચમચાવી ગયી, પણ સામાન્ય રીતે દરેક વ્યક્તી એ આ પરિસ્થીતી મા થી મને યા ક મને પસાર થવુ પડે છે.સ્મય અને સંજોગો ની સાથે હસતા હસતા લડી લેવા મા જ આપણી મર્દાન્ગી ના દર્શન થતા હોય છે.
LikeLiked by 1 person
don’t know what to say,it’s so real and true that it made me more sad by thinking about my father who is all alone in India and without my mom , seems like he has lost his identity. He doesn’t want to come here and stay with me because of all the unsaid reasons you just mentioned in the article.
LikeLiked by 1 person
અમેરીકાની વાત અનોખી…ટેવાવું પડે પણ અમારા ન્યુજર્સીના સ્નેહી કહે છે-પુરુષ સ્ત્રીના વિરહમાં ઝૂરી રહ્યો છે એવું માની લેવામાં આવે તો એ વખતે કરુણારસ નહિ, હાસ્યરસ જ પ્રગટે. આવા વિરહી પુરુષની સૌ મજાક જ ઉડાવે.સ્ત્રી ગુજરી જાય છે ત્યારે પતિના હૃદયને ખાલી ચડતી નથી. હા, પતિનું હૃદય ભરાઈ જાય છે પણ શોકથી નહિ, હર્ષથી. આવી માન્યતા ઘણી પ્રબળ છે. આઝાદી મળવાની હોય ત્યારે હૃદયમાં ઊભરાતો આનંદ હૃદયમાં સમાવવાનું ઘણું અઘરું છે. મુકમ્મિલ આઝાદી એટલે કેવી ? ચરણ ચાંપી મૂછ મરડી કોઈ કાચી ઊંઘે જગાડી દેનાર ન હોય, હવે છાપું મૂકો ને બ્રશનું પતાવો, નાહી લો. એવું કોઈ કહેનાર ન હોય, હવે નાચનખરાં કર્યા વગર જે છે તે ખાઈ લો એવી આજ્ઞા કરનારું કોઈ ન હોય – ‘માંહી પડ્યા તે મહાસુખ માણે’ એવી આ વાત છે. સ્વાનુભવ વગર આ સુખનો અંદાજ આવવાનું મુશ્કેલ છે
આજ મહારાણી ! પ્રભુ ઘર જતી જોઈને
પતિના હૃદયમાં હર્ષ જામે.’…જેવા જેના અનુભવ
LikeLiked by 1 person
Uttam prakirna prasadi. Aa paristhti anhi pan thai shake chhe..etle ummar dhalata mansik rite taiyari rakhi hoy to j haste modhe sahan kari shako.Ne…..no other way!
LikeLiked by 1 person