Recent Posts
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ January 14, 2022
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ (૨) January 7, 2022
- જિપ્સીની ડાયરી-જરા યાદ કરો… October 17, 2021
- જિપ્સીની ડાયરી-Battle of Fatehpur – 8 sikh light infantry October 12, 2021
- જિપ્સીની ડાયરી-પૂર્વસૂચન? October 7, 2021
- જિપ્સીની ડાયરી-નો મૅન્સ લૅંડ October 3, 2021
- વૃદ્ધત્વઃ મારું મનોમંથન October 1, 2021
- જિપ્સીની ડાયરી-વિજય કે નામોશી? September 30, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રીના સંસ્મરણો September 29, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રી September 26, 2021
દીર્ઘાયુષ્ય દુઃખદ પણ બને છે.
LikeLike
બહુ વાસ્તવિકત લાગે જાણે…વાર્તા કરૂણ પણ ખરી… પણ ઘણાંના અંત આવા પણ ખરા.. અમારા અમેરીકાના એક પાડોષી ઍલ્ઝાઈમરને કારણે ન્યુ જર્સીના નર્સિંગ હોમમાં આજે ઘણા વખતથી રીબાય છે.
LikeLiked by 1 person
બહેન, કઈ કોમેન્ટ? હું ગુંચવાયો.
LikeLike
તમને પણ ન ગમી ટ્પટણી ?
LikeLiked by 1 person
આજની તદ્દન નવી વાર્તા તો અમારા સ્નેહીઓમા અનુભવાયેલી …અને અમારા જીવનમા વિચાર વંટોળ ઉભો કરનારી …અમારો અમેરીકા આવવા વિચાર ન હતો . ૧૯૯૫ના ડીસેમ્બરના પહેલા અઠવાડીયામા અમારી દીકરી રોમા સહકુટુંબ શ્યામલ મુન્શીના કાર્યક્રમમા…તેના સાસુ વીણાબેનને બ્રેન હેમોરેજ અને ત્યાંજ ડૉ શ્યામલે કરેલ નિદાન અને ૯૧૧ બોલાવેલ સારવાર બાદના ૧૧ વર્ષોના અમે સાક્ષી બન્યા તે દરમિયાન સ્હીનેઓમા જોયેલ નોન આલ્કોહોલીકમા છેલ્લા સ્ટેજનું લિવર કેન્સર , ડિમેન્ટીયા , ઍલ્ઝાઈમર બેફામ દવાના ઉપયોગને લીધે થયેલ માંદગી ઓ અને આવા “શાપિત શુભાશિષ.”વાળાના જીવનના હૉસ્પીસમા પીડા વગરની વિદાય…
ન ગમ્યો ઓશિકાથી ખૂન કરવાની વાત !
LikeLike
રક્ષાબેન, પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર.
LikeLike
વાર્તાએ દિલ વલોવી દીધું. કરૂણ અંતમાં કોણજાણે હાશકારાની લાગણી થઈ! સુંદરરીતે લખાયેલ વાર્તા!
LikeLiked by 1 person
બહેન, તમારી વાત સો ટકાસાચી જ છે. માનવીને માનવીની જરૂર છે જ. પણ કેટલાકના નસીબમાં એ સુખ નથી હોતું. પારકી ભૂમિ, ખૂબ લાંબુ આયુષ્ય અને અને સ્વજનનો અભાવ. ભાગ્યમાં સંતાન સુખ નહિ. લાગણીશીલ સમવયસ્કો વિદાય કે અપંગ અને લાચાર થઈ ગયા હોય. ત્યારે બેમાંથી એક સબળ ઈચ્છે કે મારી હાજરીમાં મારા પતિ/પત્ની ઉપડી જાય. બીજી પરાઈ વ્યક્તિ શું કાળજી રાખશે?
LikeLike
માફ કરજો પ્રવિણભાઇ, વિષયાન્તર થઇ ગયુ કોમેન્ટ લખવામાં. તમારી વાત સાચી છે કે કેટલાક આર્શીવાદ અમુક સમયે શાપ કે શ્રાપ? સાચો કયો શબ્દ? જેવા લાગે. શાસ્ત્રમાં પણ સો વરસની જિંદગી તંદુરસ્ત ને કાર્યરત હોય એ જ કામના કરવામાં આવી છે. નહિ કે રિબાઇ રિબાઇને જીવવાનુ. આજના આરોગ્યવિજ્ઞાને ઘણા રોગો પર કાબુ મેળવીને ઉંમરમાં વધારો તો કર્યો છે. પણ કેમ જીવવુ એ માણસ પર છોડ્યુ છે. જીવતા ના આવડે તો વૃધ્ધાવસ્થા જેવો કોઇ શાપ નથી. જે લોકોએ સમાજમાં સ્નેહ ને સબંધોનુ રોકાણ કર્યુ નથી એવા લોકોને એકલતા અસહ્ય થઇ જાય છે. ઝુરી ઝુરીને મરવાનુ. મજાની વાત કહુ તો ઘણીવાર લોકો ખોટી જગ્યાએ પ્રેમનુ રોકાણ કરે છે. જેમ કે આ દેશમાં સંતાનોને બદલે લોકોમ કુતરાબિલાડામાં રોકાણ કરે છે. ગેલછાની કક્ષાએ. ગમે તેટલુ પ્રાણી તમને વહાલુ હોય, પણ જરુર પડે એ તમને દવાખાને લઇ નહિ જઇ શકે. પડી ગયા તો ઉભા નહિ કરી શકે. તમારી સોસિયલ સિક્યોરીટી નહિ ભરે. એ માટે તો કુતરા કરતા દિકરા જ કામ આવશે. ઘરડાઘરમાં જુઓ કેટલા કુતરા એના માલિકની ચાકરી કરેછે?
LikeLiked by 1 person
પ્રવિણભાઇ, બહુ સમજવા જેવી વાત, યુવાનીમાં જેલોકો ખાસ કરીને પ્રેમી યુગલ જેની દુનીયા માત્ર પરસ્પરમાં સમાઇ જાય છે. એ સિવાય બીજા લોકોના સુખદુઃખમાં ભાગ લેતા નથી. આડોશપાડોશ ને બહારના લોકોને પોતાના સંસારમા જંજાળરુપ માને છે. અરે, એને તો પોતાના બાળકો પણ અડચણરુપ લાગે છે. મોટેભાગે તો બાળક હોતા જ નથી. એમનો પ્રેમ બે પુરતો જ મર્યાદિત હોય છે. એમને કોઇની જરુર લાગતી નથી. પણ કુદરતનો ક્રમ કે શરીર કાયમ એકસરખૂ રહેતુ નથી. ઉંમર વધે ત્યારે એક યા બીજુ કે બન્ને પાત્ર નબળા પડે ત્તારે બહારની મદદની જરુર પડે. પણ વાવ્યુ હોય તો લણવા જવાય ને? ને બે ય સાથે જ વિદાય લે એની પણ કોઇ ખાતરી નથી. અગ્રેજીમાં કહેવત છે કે એક જ બાસ્કેટમાં બધા ઇંડા ન મુકાય કે એક જ સ્ટોકમાં બધી મુડી ન રોકાય. હવે એક જ પાત્રમાં આપણે સ્નેહની મુડી રોકી હોય તો બેશક આવા સમયે આપણે ખુવાર થઇ જવાના. માણસને માણસની જરુર પડે છે કારણ કોઇ જન્મીને ચાલવા નથી માંડતુ કે મર્યા પછી ચાલીને મસાણ નથી જઇ શકતું. જલન માતરીએ કહ્યુ છે એમ માણસની લાશ ઉંચકવા ભગવાન નથી આવતો. જે લોકો સમાજની એસીતેસી કરીને બિન્દાસ જીવનને ખુમારી માનીને જીવે છે એ અંતે તો એની આગળ રાજમહેલ હોય કે તાજમહેલ, પોતાની સ્વનિર્મિત જેલમાં કેદી બનીને એકલતાની સજા ભોગવે છે. માન્યામાં નઆવે તો આપણા ‘વાચસ્પતિ’ રમણપાઠકનુ એકલતાનુ વિરહગાન કે વેદના વાંચજો. સમાજમાં સ્નેહના રોકાણ જેવી કોઇ મુડી નથી. એનુ વળતર અંતે મળતુ જ હોય છે.
LikeLiked by 1 person
ઓહ માય ગોડ. જ્યારે પાત્રનું નામ કરણ કર્યું. ત્યારે આપનો જરાયે ખ્યાલ જ ન હતો. ખૂબ જ મોટી ઉમરના ૯૫+ વડીલ ના નામ તો સાદા જ હોયને?
મેં ન્યુ જર્સીના બે નર્સિંગ હોમની મુલાકાત લીધી હતી. જોવા જાણવા માટે જ. ન્યુ જર્સીમાં ડો. મુકુંદ ઠાકરના ઘણાં નર્સિંગ હોમ છે. એમને મળ્યો.. દીર્ઘાયુષ્ય પણ શાપિત બને છે. …..ભાઈ આમાં આપની વાત નથી જ. વાર્તાથી દુઃખ થયું તે બદલ મને પણ દુઃખ છે. મિત્ર ક્ષમા યાચના.
LikeLike
પ્રવિણભાઇ, તમને વાર્તા લખવા હું જ મળ્યો ? શાંતિલાલ એટલે શાંતિલાલ ગરોળીવાલા અને સરોજ એટલે શોન્તાબા ? અમે ય પંચોતેર વર્ષના અને સંતાન વગરના. કેટલું રડાવ્યા છે તમે અમને બન્નેને ?
નવીન બેન્કર
LikeLiked by 1 person
આભાર વિમળાબેન.
LikeLike
હ્રુદય દ્રાવક છતાંય અનન્ય સ્નેહભરી કથા.
LikeLiked by 1 person