ફેક ન્યૂઝ: ખોટાં, બનાવટી કે તરકટી સમાચારની વાત/ પરેશ વ્યાસ

ફેક ન્યૂઝ ખોટી માહિતીનું પ્રસારણ છે, લોકોને ગેરમાર્ગે દોરવા માટેનું આયોજનબદ્ધ છેતરામણ છે. એ સનસનીખેસ હેરતઅંગેઝ હોય છે, વાતનું વતેસર હોય છે અને સાગમટે કહેવાયેલા નિહાયતી જૂઠ્ઠાણાનું પોટલું હોય છે. એની અસર એવી હોય છે કે તે પછી કોઈ સાચી વાત પણ લોકો માનવા તૈયાર થતા નથી. ચોતરફ ફેક ન્યૂઝની ભરમારનાં કારણે સાચા પત્રકારની સાચી સ્ટોરી પર પણ શંકા થઇ આવે છે. સાચા પત્રકારને ખભે ઘેટું હોય તો ય લોકો એને કૂતરો સમજે, એવો પ્રભાવ ફેક ન્યૂઝનો હોય છે. પછી લોકશાહીના મધદરિયે વિશ્વાસે ચાલતા વહાણ ડૂબી જાય છે. અમે તો માત્ર કાનૂની ચેતવણી જ આપી શકીએ કે ફેક ન્યૂઝનું સેવન લોકશાહીનાં સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
શ્રી પરેશ વ્યાસ નો વાંચવા સમજવા જેવો સરસ લેખ પરેશભાઈ અને પ્રજ્ઞાબેન વ્યાસના આભાર સહિત આપ મિત્રો માટે રિબ્લોગ કરું છું.

નીરવ રવે

ફેક ન્યૂઝ: ખોટાં, બનાવટી કે તરકટી સમાચારની વાત

एक आंसू भी हुकूमत के लिए खतरा है, तुमने देखा नहीं आंखों का समंदर होना. -मुनव्वर राना

ગુજરાતમાં ચૂંટણીનો જોરશોર છે. સમાચારમાં સ્વાભાવિક રીતે ચૂંટણી છવાઈ ગઈ છે. ભાજપ પાસે કોંગ્રેસની ભૂતકાલીન મેલી મથરાવટીનો મુદ્દો છે. કોંગેસ પાસે ભાજપની નોટબંધી, જીએસટીનાં આડેધડ અમલ અને વધતી મોંઘવારીનો સાંપ્રત મુદ્દો છે. ગયા વર્ષે નોટબંધી થઇ ત્યારે એક સેવા નિવૃત્ત લશ્કરનાં જવાન નંદલાલ એટીએમની લાઈનમાં આંસુ વહાવી રહ્યા હતા, એવા ફોટા સાથે રાહુલ ગાંધીએ મહાન શાયર મુન્નવર રાણાનો ઉપરોક્ત શેર, સર્જકનું નામ લખવાનાં સૌજન્ય દાખવ્યા વગર, થોડા દિવસો પહેલાં ટ્વીટ્યો. તે પછી ન્યૂઝ એજન્સી એએનઆઈએ નંદલાલ પાસે જઈ એની પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરી. નંદલાલે કહ્યું કે ખરેખર તો નોટબંધીથી સમૂળગાનો ફાયદો થયો છે. લો બોલો! તે પછી ભાજપે કોંગ્રેસ પર ‘ફેક ન્યૂઝ’ ફેલાવવાનો આરોપ મુક્યો. અમને શબ્દો મળ્યા ‘ફેક ન્યૂઝ’ અને અમે રચી ફેક ન્યૂઝની સાચી શબ્દસંહિતા.
ફેક એટલે ખોટાં, બનાવટી કે તરકટી. આમ ઉપરથી…

View original post 754 more words

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: