ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની – લેડિઝ પાવર હરનિશ જાની.

ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની      

૧૦મી જાન્યુ.૨૦૧૮

લેડિઝ પાવર

harnish jani 

સૌજન્ય

હરનિશ જાની.

 

            જગતમાં નારીશક્તિ જેવી બીજી શક્તિ નથી. પરુષ તો તેની આગળ નબળો જ પડે છે. પરુષને એમ થાય છે કે પોતે કોઈ પણ સ્ત્રીથી ચડિયાતો છે. તે પણ સ્ત્રીશક્તિનું એક રુપ છે. સ્ત્રી જ પુરુષને તેવું લાગવા દે છે. ભગવાન સ્ત્રીઓના જન્મ વખતે જ એમના મગજમાં પુરુષને કંટ્રોલ કરવાનો  પ્રોગ્રામ ગોઠવી આપે  છે.  બે ત્રણ વરસની દીકરી પણ દાદાને બનાવી શકે છે. અને ટિનએજ કિશોરી બાપુની પાસે ધાર્યું કામ કરાવી શકે છે. સદીઓથી દરેક દેશમાં,દરેક ધર્મમાં સ્ત્રીઓને સિસ્ટમેટિક રીતે  દબાવી દેવામાં આવી છે. શરૂઆત વસ્ત્રોથી કરી. સ્ત્રીઓએ જ માથું અને મોઢું  ઢાંકવાનું. સ્ત્રી પોતાના ધર્મમાં ઊંચો હોદ્દો ભોગવી ન શકે કોઈ હિન્દુ મઠની મહંત ન બની શકે. .સ્ત્રી કદી પોપ ન બની શકે. “ અવતાર પયગંબરકો દેતી હૈ, ફિર ભી શયતાનકી બેટી હૈ “ આમ સાહિર લુધિયાનવી ટોણો મારે છે. અથવા તો  એક સ્ત્રીની કુખે પેદા થનાર તુલસીદાસજી લખે કે પશુ અને નારી તાડનકે અધિકારી.”  હવે નવા જમાનામાં પુરુષોએ ધર્મના નામે ચડાવી દીધેલા પોતાને ફાવતા કાયદા ન ચાલે. આજકાલ તો “તીન તલાક “થી પણ મુશ્લીમ સ્ત્રીઓને સદીઓની સતામણી પછી મુક્તી મળી રહી છે.  વિસમી સદીના પાછલા ભાગ પછી અમુક દેશોના લિડર તરીકે સ્ત્રીઓ દેખાવા લાગી. ૧૭૭૬માં આઝાદ થયેલ  અમેરિકામાં લોકશાહીની વાતો પહેલે દિવસથી થઈ પણ સ્ત્રીઓને વોટીંગ હક્ક માટે વરસો લડત આપવી પડી હતી.અને ૧૯૨૦માં તે હક્ક મળ્યો. અને તે અધિકાર માટે સુઝન.બી.એન્થની જેવી સ્ત્રીએ વરસના  સો સો પ્રવચનો કર્યા હતા. આવી બીજી સ્ત્રીઓની જહેમતથી આજે સુઝન.બી.એન્થનીના નામનો સિલ્વર ડોલર પણ બહાર પડયો છે. બાળકને જન્મ આપવો એ ખૂબ જ મોટી વાત છે. અને તેનો અધિકાર ભગવાને સ્ત્રીને જ આપ્યો છે.

          ૧૮૭૦ પહેલાં ફ્રાંસમાં લગભગ પચાસ ટકા સ્ત્રીઓ ડિલીવરી દરમિયાન મરી જતી હતી. બાળકો પણ જન્મ વખતે મરી જતા હતા.આમાં સ્ત્રીજાતી પર અથવા તો કહીએ કે માનવજાત પર સૌથી મોટો ઉપકાર કર્યો હોય તો તે સાયન્ટિસ્ટ લુઈ પાસ્ટરે, મારી દ્રષ્ટિએ ૧૯મી સદીના એક મહાન સાયન્ટિસ્ટ હતા. જેમણે પોતાની લેબોરેટરીમાં પ્રયોગો દ્વારા શોધી કાઢ્યું કે આ મૃત્યુ માયક્રોબ–બેકટેરિયાથી થાય છે. તે જમાનામાં ડિલીવરી મિડવાઈફ( દાઈ, સુયાણી ) કરાવતી હતી. અને તે મિડવાઈફ ડિલીવરી પહેલાં હાથ નહોતી ધોતી. અને લુઈ  પાસ્ટર પેરીસના ડોક્ટરોને ડિલીવરી પહેલાં હાથ અને સાધનો ગરમ પાણીથી ધોવાનુ કહ્યું. જે વાત ડોક્ટરોની મેડિકલ સોસાયટીને ન ગમી કે એક કેમિસ્ટ ડોક્ટરોને કઈ હેસિયતથી સાલાહ આપે છે? નેપોલિયન ત્રીજાના કાન ભંભેરીને મી.પાસતરને પેરીસ છોડાવ્યું. તે જ વરસે ૧૮૭૦માં નેપોલિયન ત્રીજાએ પણ બીજી રાજકીય રમતોને કારણે ફ્રાસની ગાદી છોડવી પડી.લુઈ પાસ્તરે દુનિયાને માયક્રોબાયોલોજી અને બેકટેરીયોલોજી જેવા બે નવા વિષય આપ્યા. અને શોધી પણ કાઢ્યું કે સ્ટરીલાઈઝેશન– ૧૦૦  ડિગ્રી વરાળવાળા ઉકળતા પાણીમાં ડિલીવરીના સાધનો ધોવામાં આવે તો કોઈપણ જાતના બેક્ટેરિયા મરી જાય છે. તે વખતે ભારતમાં શોધાયું કે શિતળાના જંતુઓ મારવા શિતળા માતાને નારિયેલ ચઢાવવું. લુઈ પાસ્તરે  કોલેરાની રસી પણ શોધી અને બીજા રોગોના વેક્સીનેશન પણ શોધ્યા. તેમની શોધોને પાયો બનાવી બીજા નવા સાયન્ટિસ્ટ પેદા થયા. અને માયક્રોબાયોલોજીના ક્ષેત્રમાં અવનવી  શોધો કરી.  એમની થિયરી અને શોધખોળોએ ફ્રાંસની જ સ્ત્રીઓને ડિલીવરીમાં મરતી અટકાવી એટલું જ નહીં પણ જગતના દરેક દેશની સ્ત્રીઓને મરતી અટકાવી.  પેસ્ચ્યુરાઈઝડ મિલ્ક અને વાઈનની બનાવટ મી. લુઈ પાસ્તરને આભારી છે. વિસમી સદીની શરુઆતમાં ગુજરાતમાં દરેક ઘરમાં દસ દસ બાર બાર બાળકો જન્મતા. તેમાં પાંચ સાત પુખ્ત વયના થઈ શકતા. ૧૯૫૦ પછી બાળ મૃત્યુ ઘટ્યા.તેનો જશ માઈક્રોબાયોલોજી અને બેક્ટેરીયોલોજીના ક્ષેત્રના  વિકાસને કારણે છે. છેલ્લા ત્રીસ ચાલીસ વરસમાં મારી જાણ મુજબ મેં કોઈ પણ બાળ મૂત્યુ સાંભળ્યું નથી.આ વધારે બાળકોની પ્રથા દરેક દેશમાં હતી. તેમાં અમેરિકામાં આજકાલ નેચરલ ચાઈલ્ડ બર્થ પર ચર્ચાઓ ચાલે છે. ટાઈમ મેગેઝિને  ૯૧૩ સ્ત્રીઓનો એક સર્વે લીધો તેમાથી ૭૦ ટકા સ્ત્રીઓ નેચરલ બર્થમાં માનતી હતી. પણ જેવું ડિલીવરીનું લેબર ચાલું થયું કે મોટા ભાગની સ્ત્રીઓએ એનેસ્થેસીયાની માંગણી  કરી તેમાં ૪૩ ટકાને લેબરનું દર્દ સહન ન થતા. હોસ્પીટલમાં દાખલ કરવી પડી. અને બીજી ૨૦ ટકાને તો સિઝેરીયન કરવું પડ્યું હતું. આ સ્ત્રીઓનું કહેવું છે કે સદી પહેલાં આ  હોસ્પીટલો નહોતી. ત્યારે સ્ત્રીઓની ડિલીવરી ઘરમાં જ કરાતી. તો ડોક્ટરોની વાત સમજવા જેવી છે. તેમનું કહેવું છે કે ૧૯મી સદીમાં  ડિકીવરીમાં મૃત્યુનું પ્રમાણ પણ બહુ હતું. જે આજે નહીવત્ છે. તેમ છતાં કેથોલિક ધર્મમાં લખ્યા મુજબ પોપસાહેબ ગર્ભનિરોધક સાધનોની વિરુધ્ધ છે. તે સ્ત્રીની વ્યક્તિગત તંદુરસ્તી માટે તો ખરાબ છે જ. પરંતુ જગતની વસ્તીના વધારા માટે પણ ખતરનાક છે.

છેલ્લી વાત–

એક શેઠે,એક અસ્થિર મગજના (ગાંડા) લોકોની સંસ્થાને સ્વિમીંગ પૂલ બનાવવા મટે દાન કર્યું. એકાદ વરસ થયું અને તેમણે સંસ્થાના પ્રમુખને ફોન કર્યો.” પ્રમુખ શ્રી ,પછી પેલો સ્વિમીંગ પુલ તૈયાર થયો કે નહી?” પ્રમુખ શ્રી, બોલ્યા, “અરે હા, તૈયાર થઈ ગયો અને છ એક મહિના પર તેનું ઉદ્ઘાટન પણ થઈ ગયુ. અને દર્દીભાઈઓ તેનો આનંદથી લાભ લે

છે.” “કોઈ દર્દીભાઈ ડૂબી જશે એનો ભય નથી?” “ના ના, કોઈના ડૂબવાનો સવાલ જ નથી. સ્વિમીંગપુલમાં હજૂ પાણી જ ભર્યું નથી.‘

E mail-harnishjani5@gmail.com

3 responses to “ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની – લેડિઝ પાવર હરનિશ જાની.

  1. pragnaju January 21, 2018 at 9:22 PM

    સ રસ લેખ
    અમારી વાતો ફરી ફરી વાંચી
    ધન્યવાદ

    Liked by 1 person

  2. ગાંડાભાઈ વલ્લભ January 13, 2018 at 1:54 AM

    સરસ લેખ. હાર્દીક આભાર હરનીશભાઈ તથા પ્રવીણભાઈનો.

    Liked by 1 person

  3. મનસુખલાલ ગાંધી January 12, 2018 at 9:13 PM

    ઘણા વખતે હરનીશભાઈના લેખની પ્રસાદી મલી. બહુ મજા આવી..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: