છઠ્ઠી બુલેટ

Suiside

છઠ્ઠી બુલેટ

આખો કોર્ટરૂમ ચિક્કાર હતો. કોર્ટની બહાર સેંકડો માણસોના ટોળાં ચુકાદાની રાહ જોતાં હતાં. બરાબર અગિયાર વાગ્યે ન્યાયાધીશે એનું સ્થાન ગ્રહણ કર્યું. હથોડીના એક જ ઠપકારમાં કોર્ટરૂમનો ગણગણાટ શાંત થઈ ગયો. સૌ ચુકાદો જાણવા આતુર હતા. કેસ, રેપ અને મર્ડરનો હતો. બળાત્કાર અને હત્યા. આરોપી સામાન્ય વ્યક્તિ ન હતી.  મુખ્યઆરોપી તરીકે વગદાર અને સિનિયર ધારાસભ્ય શ્રી જગન્નાથ હતા.

શ્રી જગન્નાથજીના ચારિત્ર્ય અંગે વર્ષોથી ટેબ્લોઈડ જર્નાલિઝમે ઓછાં માછલાં ન્હોતા ધોયા; પણ એક પણ મહિલાએ એમની વિરૂધ્ધ એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો. આ એક પહેલો જ કેસ એવો હતો કે જેમાં થોડા   સાંયોગિક પુરાવાની લિન્ક રજુ થઈ હતી અને તે ટેબ્લોઈડની રિપોર્ટરે જ ચગાવ્યો હતો.

ભારતિય સેનાના ફાઈવ પોઈન્ટ થ્રીસ્ટાર કેપ્ટન રવિન્દ્રસિંહની બ્રિટિશ પત્ની એલિઝાબેથ અને તેની બાર વર્ષની પુત્રી પર બળાત્કાર થયા પછી તેમની હત્યા કરાઈ હતી. બધી દિશાઓ તરફથી રેલો જગન્નાથજી તરફ જ જતો હતો.

એલિઝાબેથ ઈંગ્લેન્ડથી એક્ષ્ચેઇન્જ સ્ટુડન્ટ તરીકે ભારત આવી હતી. રવિન્દ્રસિંહ તે સમયે તે જ યુનિવર્સિટીમાં ટેકનોલોજીનો સ્ટુડન્ટ હતો. ટોલ, ડાર્ક અને હેન્ડસમ રવિન્દ્રસિંહની ઓળખાણ કોમન ફ્રેન્ડ વિદ્યુતિએ એલિઝાબેથને કરાવી. એકબીજાની મૈત્રી ધીમે ધીમે પ્રેમ અને પછી એ પ્રેમ પરિણયમાં પરિણમ્યો. એલિઝાબેથ રવિન્દ્રને લઈને ઈંગ્લેન્ડ જવા ઈચ્છતી હતી પણ રવિન્દ્રસિંહને ઈન્ડિયન આર્મિમાં સેવા આપવાની ધૂન હતી. અને એને કમિશન્ડ ઓફિસર તરીકે સારી તક પણ મળી ગઈ. પોસ્ટિંગ પણ મુંબઈમાં મળ્યું. એલિઝાબેથે ભારતનું નાગરિકત્વ સ્વીકારી લીધું. બન્નેના સુખદ સંસારમાં એક બાળકીનો પ્રવેશ થયો. એ પાંચ વર્ષની થઈ ત્યારે રવિન્દ્રસિંહનું પોસ્ટિંગ લડાખ એરિયામાં થયું અને ત્યાંથી જુદા જુદા કેમ્પમાં ફરતો રહ્યો. ફોન પર કુટુંબ સાથે વાતો થતી રહેતી. વર્ષમાં બે ત્રણ વાર રવિન્દ્રસિંહ મુંબઈ આવતો. આ ભારત સૈન્યના જવાનની પત્ની એલિઝાબેથ અને તેની બાર વર્ષની કુમળી પુત્રીના વસ્ત્રાવરણવિહીન મૃત દેહો હોટલની એક રૂમમાંથી મળી આવ્યા હતા. અને એના ખૂન માટે જગન્નાથ પર કેસ ચાલ્યો હતો.

એ નાની હોટલની પાછળ જ એક ફાઈવ સ્ટાર હોટલ “રાજઘરાના” છે જેમાં જગન્નાથજીનો એક સ્વિટ કાયમનો બુક કરેલો જ હોય છે. એક સાક્ષીની જુબાની પ્રમાણે જગન્નાથજી પાછળના રસ્તે એલિઝાબેથની હોટલરૂમમાં આવ્યા હતા અને બપોરે બે કલાક રોકાયા હતા. ત્યાર પછી એક ધોતીકુર્તાવાળો વયસ્ક અને એક જીન પહેરેલો જુવાન દાખલ થયા હતા પણ ક્યારે એ બન્ને બહાર નીકળ્યા તેની માહિતીનો રેકોર્ડ ન હતો. એલિઝાબેથનો હોટલરૂમ માત્ર એક દિવસ માટે જ  બુક કરાયો હતો. ચેકઆઉટ થવાના ત્રણ કલાક પછી એલિઝાબેથ તરફથી કોઈ સંકેત ન મળતાં બારણું ખટખટાવાયું હતું. અને એનો પ્રત્યુત્તર ન મળતાં એક મહિના પહેલાં જ નવા આવેલા મેનેજર દ્વારા પોલિસને ખબર અપાઈ હતી. નાની હોટલ બહાર ફળની રેંકડી વાળાએ એલિઝાબેથની રૂમની બારી પાસે જગન્નાથજીને જોયા હતા.

જગન્નાથજી દિલ્હીથી તે જ રાત્રે પટણા ગયા હતા. અને બીજી સવારે પટણાથી બિઝનેસ અંગે એક વીક માટે હોંગકોંગ ગયા હતા. ફળની લારીવાળા અને મેનેજરની જુબાનીના આધારે જગન્નાથ હોંગકોંગથી પાછા ફરતાં એની ધરપકડ કરવામા આવી હતી.

કેસ શરૂ થતાં પહેલા જ ફળની લારીવાળા વૃધ્ધનું અવસાન થયું હતું. નાનીહોટલના મેનેજરને બીજી સારી નોકરી મળતાં તે પણ ચાલ્યો ગયો હતો. ન્યુઝ મિડીયા જગન્નાથના જાત જાતની વાત અફવા પ્રસારમાં મંડી રહ્યા હતા. એલિઝાબેથ મર્ડર એક કેસ  સરકારી વકીલ દ્વારા કોર્ટમાં ચાલતો હતો. બીજો કેસ ન્યુઝ મિડિયા અને સોસિયલ મિડિયામાં ચાલતો હતો. એની અને એલિઝાબેથની ભૂતપૂર્વ કોલેજ મિત્ર વિદ્યુતી એક ટીવી ચેનલ માટે ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટર હતી. એણે સીધી આડકરી લિન્કથી તારણ કાઢી સંયોગિક પુરાવા તરીકે મિડિયા પર પ્રસાર કર્યું હતું.

જગન્નાથ મુંબઈમાં એના પરિવાર સાથે એક રિશેપ્શનમાં રવિન્દ્રસિંહ અને એલિઝાબેથને મળ્યા હતા. ઓળખાણ થઈ હતી. બીજી વાર એઓ એકલા મુંબઈ આવ્યા હતા. અને એલિઝાબેથના ફ્લેટ પર માત્ર હલ્લો કરવા ગયા હતા. તે સમયે એલિઝાબેથે જગન્નાથજીને એના પતિને મુંબાઈમાં પોસ્ટિંગ મળવાની શક્યતા અંગે સામાન્ય વાતો થઈ હતી. મુંબઈમાં જ કોમ્યુનિકેશન ટેક્નોલોજીનું સ્પેશિયલ ડિવિઝન શરૂ થનાર હતું.  મોટી થતી દીકરીની સાથે કુટુંબ જીવન જીવવાની ઈચછા હતી. રવિન્દ્રએ પુરતો સમય બોર્ડર કેમ્પમાં  ગાળ્યો હતો. તે સમયે જગન્નાથજીએ સધ્ધ્યારો આપ્યો હતો કે એ પોતાની લાગવગનો ઉપયોગ કરી ટૂંક સમયમાં જ એની બદલી કરાવી આપશે.

આ વાત થયા પછી બે વાર જગન્નાથ મુંબઈ આવી ગયા હતા. જેટલી વાર આવ્યા તેટલી વાર એલિઝાબેથની સાથે એની પાડોસી મિત્ર નયના એના ક્લેટમાં હાજર હતી. એલિઝાબેથ ભોળી અને નિખાલસ સુંદરી હતી. નયના ખબરદાર હતી. એનો પતિ પણ આર્મી ઓફિસર હતો. નયનાએ એલિઝાબેથ પરની એની નજર ઓળખી હતી. એને જગન્નાથના ચારિત્ર્યની અફવાઓની પણ ખબર હતી. જ્યારે એલિઝાબેથે નયનાને કહ્યું કે જગન્નાથજીએ એને મળવા દિલ્હી બોલાવી છે ત્યારે એણે સલાહ પણ આપી હતી કે એકલી ન જતી. સાથે રવિન્દ્રને લઈને જજે. એલિઝાબેથ પોતાની દીકરીને લઈને જગન્નાથને મળવા મોટી અને ખોટી આશામાં એકલી દોડી ગઈ હતી. એણે રવિન્દ્રને ખબર પણ નહોતી આપી. એનો અને પુત્રીનો મૃતદેહ પિંખાયલી હાલતમાં દિલ્હીની હોટલમાં મળી આવ્યો હતો.

ફળની લારીવાળાની ઓળખ અને જુબાની પરથી જગન્નાથજીની ધરપકડ તો થઈ પણ બે દિવસમાં જ વૃધ્ધ ફળનીલારીવાળાનું મૃત્યુ થયું હતું અને ધારાસભ્યને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. મિડિયા પર વહેતી વાતોને ખૂદ પબ્લિક પ્રોસિક્યુટરે મહત્વ ન આપ્યું. એનો કેસ નબળો પડી ગયો હતો. પણ મિડિયાએ આ વાતને ખૂબ જ  ચગાવી હતી.

આજે જજ્મેન્ટ આવવાનું હતું. કોર્ટમાં ધારાસભ્ય જગન્નાથજી, બે હાઈપ્રોફાઈલ વકીલો સાથે બેઠા હતા. એક સમાજ સેવક જેવા ખાદીધારી સજ્જન અને મવાલી જેવો ગળે રૂમાલ બાંધેલો કરડી નજર વાળો બોડીગાર્ડ યુવાન પણ કોર્ટમાં હાજર હતો. આ જ યુવાન અને સમાજ સેવક જેવા દેખાતા સજ્જનને પોલિસ કસ્ટડીમાં બોલાવી પૂછપરછ કરીને જ જવા દેવામાં આવ્યા હતા.

કોર્ટ રૂમમાં કેપ્ટન રવિન્દ્રસિંહ, પાડોસી દંપતિ નયના અને એનો પતિ, રવિન્દ્રની મિત્ર વિદ્યુતી હાજર હતા. રવિન્દ્ર તદ્દન શાંત ચહેરે આંખો બંધ કરીને એના યુનિફોર્મમાં બેઠો હતો.

જજની સામે કોર્ટ ક્લાર્કે બે ત્રણ ફાઈલ મુકી. કોર્ટમાં જરા ગણગણાટ શરૂ થયો. અને જજની હથોડી થતાં શાંત થઈ ગયો. જજનો ચૂકાદો શરૂ થયો.

‘એલિઝાબેથ અને એની સગીરવયની પુત્રી પર થયેલા બળાત્કાર અને એમની હત્યા એ દુઃખદ ઘટના છે. બળાત્કાર અને હત્યાના આરોપી શ્રી જગન્નાથજી પર ભારતીય ક્રિમિનલ એક્ટ મુજબ મારી કોર્ટમાં પબ્લિક પ્રોસિક્યુટર તરફથી જે જે રજુઆત થઈ એની ઝીણવટથી નોંધ લીધા પછી હું શ્રી જગન્નાથને નિર્દોષ જાહેર કરું છું. માન પુર્વક એની સામે થયેલા તમામ આરોપોમાંથી એને મુક્ત કરું છું.’

જગન્નાથજીના મોં પર ખંધુ, નફ્ફટ વિજયી સ્મિત ફરકતું હતું.

ન્યાયાધિશે એમની ટીકા ચાલુ રાખી. ‘ગુનાનો કેસ લોકમાન્યતા પ્રમાણે શેરીઓમાં થાય અને કોર્ટના નિયમો અને કાયદા પ્રમાણે થાય એ બન્ને અલગ વાત છે. સક્ય છે કે લોક નજરે ગુનેગાર ગણાતી વ્યક્તિ કોર્ટમાં નિર્દોષ છૂટે છે અને નિર્દોષ ગુનેગાર સાબિત થાય છે. દુઃખદ વાત છે કે આ કેસમાં પ્રોસિક્યુશન ટીમ તરફથી જરૂરી ડોક્યુમેન્ટ અને સાક્ષીઓની જુબાની અને ઓળખ રજુ થઈ નથી એટલે પુરતા પુરાવાના આધારે, જગન્નાથજી પર કોઈ કાનુની આરોપ પુરવાર થતો નથી. સરકાર ઈચ્છે તો આગળ હાયર કોર્ટમાં અપીલ કરી શકે છે……..’

ન્યાયાધિશ આગળ બોલે તે પહેલાં રવિન્દ્રસિંહ એની ખુરશી પરથી ઉભો થયો. અને ત્રાડ નાંખી.

‘નાવ, આઇ વિલ બી ધ જજ ઈન ધીસ કોર્ટ. દેશ બહારના શત્રુને મારવા પહેલા દેશમાનો જ કચરો સાફ કરવાની મારી ફરજ બજાવવી જરૂરી છે. જય હિન્દ.’

એના ગજવામાંથી ગન નીકળી, આગળ બેઠેલા જગન્નાથની ખોપડીમાં માત્ર એક બુલેટની જ જરૂર હતી. બીજી બુલેટ એના ખાદીધારી મિત્રના વાંસામાથી હાર્ટમાં ગોઠવાઈ ગઈ લોહીના ફુવારાઓ ઊડ્યા. એક બુલેટે ધારાસભ્યના નાસી જતા બોડીગાર્ડના શરીરને ચેતનહીન બનાવી દીધું હતું. નાનો કોર્ટરૂમ ચિક્કાર હતો. રૂમની બહાર માનવ મેદની કિડિયારાની જેમ ઉભરાતી હતી. કોઈથી કોઈ દિશામાં નાસી છૂટાય એમ નહતું. એણે ગર્જના કરી. નાવ ઓન્લી ટુ. એની ગન જડ્જ તરફ વળી. જડ્જ થરથરતા હતા અને એકાએક એક એક બુલેટે ડિફેન્સ એટર્ની અને સરકારી વકીલને ઢાળી દીધા. પાંચ બુલેટે માત્ર પંદર સેકંડમાં પાંચ લાશના લોહીથી ન્યાયાલયને લાલ લાલ બનાવી દીધું.

રવિન્દ્ર ભયથી ધૄજતા જડ્જ પાસે પહોંચ્યો. ગન ન્યાયાધિશના લમણા પર ગોઠવાયલી હતી. ‘અત્યારે હું જજ છું.’

‘આઈ વીલ કોલ માઈ વિટનેશ વિદ્યુતિ.’

‘વિદ્યુતિ તારી ઓળખ આપ. હુ યુ આર?’

‘મારું નામ વિદ્યુતિ સિંહા. હું રવિન્દ્રસિંહ અને એલિઝાબેથની કોલેજ સમયથી મિત્ર છું. અને “સચ્ચી બાત” ટેબ્લોઈડની ઈન્વેસ્ટિગેશન રિપોર્ટર છું.’

‘મારી પત્ની અને પુત્રીના હત્યારા કોણ હતા?’

‘હત્યાને માટે ધારાસભ્ય જગન્નાથ, જીલ્લા પક્ષીય મંત્રી દ્વારકાદાસ અને જગન્નાથનો બોડીગાર્ડ બાબુ ત્રણે જવાબદાર છે. જગન્નાથજીએ ફોન કરીને રવિન્દ્રની પોસ્ટિંગના ખાસ સમાચાર આપવા માટે એલિઝાબેથને મે ની પચ્ચીસમી તારીખે દિલ્હી ઓલાવી હતી. એક દિવસ માટે એલિઝાબેથના નામે ફાઈવસ્ટાર હોટલના પાછળના ભાગની નાની હોટલમાં રૂમ બુક કરાયો હતો.  દિલ્હી ખાતેના રોકાણો માટે “રાજઘરાના” હોટલમાં જગન્નાથનો એક મોટો રૂમ આખા વર્ષ માટે બુક કરેલો જ હોય છે. બધી મિટિંગો અને ખાસ કરીને મહિલાઓ સાથેની મિટિંગો ત્યાં જ ગોઠવાતી હતી. રવિન્દ્રની ગેરહાજરીમાં બોમ્બેમાં એલિઝાબેથને ફસાવવાનો ઈરાદો પાડોસી નયનાની હાજરીને લીધે બર આવ્યો ન હતો. એટલે એને દિલ્હી બોલાવવામાં આવી હતી. બપોરે સાડા ત્રણ વાગ્યે જગન્નાથ અને દ્વારકાદાસ એલિઝાબેથની રૂમમાં દાખલ થયા હતા. હોટલમાં સાફસૂફી કરતા છોકરા સામુને કપલના રૂમમાં છાનામાના જોવાની એટલેકે પીપીંગની ટેવ હતી. એને ધમકાવીને પૂછતાં જણાવ્યું હતું કે જગન્નાથે  ઈંગ્લિસ લેડી સાથે છેડછાડ શરૂ કરી હતી. એલિઝાબેથે પોલિસને બોલાવવા ફોન કરવાની કોશીશ કરી. પણ જગન્નાથે ફોન ઝૂટવી લીધો. અને મેડમની માફી માંગી. પછી રૂમમાં ધોતીયા અને જીન વાળા બે માણસો દાખલ થયા. ધોતિયાવાળાએ છોકરીને પકડી રાખી એને જગ્ન્નાથ અને પેલા બીજા માણસે મેડમ પર બળાત્ય્કાર ગુજાર્યો હતો. બેમાંથી કોણે ગળચી દાબી તે સ્પષ્ટ દેખાયું ન હતું પણ મેડમના તડફડતા પગો બંધ થઈ ગયા હતા. એ બન્ને ચાલ્યા ગયા પછી પેલા ગુંડા જેવા દેખાતા માણસે છોકરીના કપડા ખેંચવાની શરૂઆત કરી હતી અને મારા મેનેજર સાહેબે બુમ પાડી એટલે મારે જતાં રહેવું પડ્યું હતું. બીજે દિવસે હું જ્યારે તે છોકરા સોમુની જુબાની સાક્ષીની હાજરીમાં રેકોર્ડ કરવા અને મેનેજર પાસે વધુ માહિતી મેળવવા ગઈ ત્યારે સ્ટેટમેન્ટના દિવસે જ મેનેજર રાજીનામુ આપીને ચાલ્યો ગયો હતો અને એ છોકરો પણ ગાયબ થઈ ગયો હતો. છોકરાએ જે ઈલેક્ટ્રિક વાયરિંગમાંથીના કાણામાંથી દૃષ્ય જોયું હતું તે હોલ પુરાઈ ગયેલો હતો. જે ફળની લારીવાળા ડોસાએ જગાન્નાથજીને ઓળખ્યા હતા તેનું બે દિવસમાં જ મૃત્યુ થયું હતું.’

‘પોલિસે અને પ્રોસિક્યુટરે મારી તપાસને કાલ્પનિક વાત ઘણીકાઢી હતી. આ બધીવાતોની સાંકળ મારા ન્યુઝ ટેબ્લોઈડ માટે સાચવી છે.’

“ઈટસ ઈનફ. થેન્કસ વિદ્યુતિ. પ્લીઝ પબ્લીશ ધીસ નેશનવાઈડ.’

‘જજસાહેબ, બસ આ જ સત્ય છે. પણ આખા દેશને કરપ્સનની ઉધઈ લાગી ગઈ છે. મારે જ કાયદો હાથમાં લેવો પડ્યો. હવે એ જ કાયદો મારા પર કેસ ચલાવશે મહિનાઓ સૂધી કેસ ચાલશે. સરકારી તિજોરીઓ વકીલો લૂટશે અને આખરે મને ફાંસી કે જન્મટીપની સજા થશે. મારે સેલમાં સબડીને લટકવું નથી. આખી જીંદગી જેલમાં સબડવું નથી. હું સૈનિક છું. દરેક ક્ષણ અમારે માટે મરવા મારવાની જ હોય છે.  મારે માટે હવે આ દુનિયામાં છે પણ કોણ? જય હિન્દ, સત્યમેવ જયતે’

…..અને એક મોટો ધમાકો….બાકીની છઠ્ઠી બુલેટ રવિન્દ્રસિંહે પોતાના લમણાંમાં ધરબી દીધી.

(ગુજરાત દર્પણ – ફેબ્રુઆરી ૨૦૧૮)

4 responses to “છઠ્ઠી બુલેટ

  1. pravinshastri February 15, 2018 at 1:26 AM

    આપ તો જાણો છો કે મારી બધી જવાર્તાઓ કાલ્પનિક હોય છે. આપના પ્રેમાળ પ્રતિભાવ બદલ હંમેશનો આભારી છું.

    Like

  2. મનસુખલાલ ગાંધી February 14, 2018 at 7:07 AM

    જો આવા બનાવો બને ત્યારે કૅપ્ટનની જેમ જાનને ભોગે ‘જાતે’ ન્યાય તોળે તો ન્યાયની પ્રક્રિયામાં જરૂર જબરદસ્ત મોટો ફરક આવી જાય… ખોટો ન્યાય તોળવાવાળા જરૂરથી વિચારે…

    Liked by 1 person

  3. pravinshastri February 11, 2018 at 10:53 PM

    આભાર બહેન. જેઓ ગુનેગાર છે એઓ જ કાયદા ઘડનારા બનીને પાર્લામેન્ટમાં જવા માંડ્યા છે.

    Like

  4. pragnaju February 11, 2018 at 2:26 PM

    ધન્યવાદ
    જસ્ટીસ ડિલેઇડ ઇઝ જસ્ટીસ ડિનાઇડ. એવા આદર્શને વરેલી ન્યાયપ્રણાલી એટલી વરવી છે કે ઝડપથી ન્યાય મળે એ શક્ય જ નથી. ગુનેગારને બચાવવાના તમામ સમ્ભવ પ્રયાસોની જાણે કે પેરવી ચાલતી હોય છે આપણી અદાલતોમા. એટલે જો કાયદો ખરેખર કાયદાનુ કામ કરતો હોત તો લોકોએ કાયદો હાથમા લેવો ન પડત. કાયદાથી માત્ર સામાન્ય માનવી જ ડરે છે, ગુનેગાર નહી. વારંવાર પકડાઇને છૂટી જતા
    કાયદો હાથમા લે તેવી અનેક વાર્તાને ટપી જાય તેવી આલ્ફ્રેડ હીચકોકને ટક્કર મારે તેવી વાત

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: