Recent Posts
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ January 14, 2022
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ (૨) January 7, 2022
- જિપ્સીની ડાયરી-જરા યાદ કરો… October 17, 2021
- જિપ્સીની ડાયરી-Battle of Fatehpur – 8 sikh light infantry October 12, 2021
- જિપ્સીની ડાયરી-પૂર્વસૂચન? October 7, 2021
- જિપ્સીની ડાયરી-નો મૅન્સ લૅંડ October 3, 2021
- વૃદ્ધત્વઃ મારું મનોમંથન October 1, 2021
- જિપ્સીની ડાયરી-વિજય કે નામોશી? September 30, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રીના સંસ્મરણો September 29, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રી September 26, 2021
વિમળાબેનની કોમેન્ટમાં મેં જણાવ્યું કે ઘણું થઈ શકે અને કદાચ થશે પણ ખરું; છતાં આપણા જીવન કાળમાં આપણું અશુભ નથી થવાનું બસ વર્તમાન માણી લઈએ.
LikeLike
એક તરફ બુરા અંજામ તો બીજી તરફ સ્વપ્ન આવે કે કદાચ આજે ભલે વિજ્ઞાન એવા લોકોના હાથમાં જતું રહ્યું હોય કે જેમને હિંસામાં વિશ્વાસ છે. પણ તે લાંબુ ટકવાનું નથી. વિજ્ઞાન જો હિંસાના આશરે રહ્યું તો માનવજાત ઉપર ભારે મોટું સંકટ આવી પડવાનું છે. આ વાત માણસ વહેલો મોડો સમજશે જ. અને તેથી માણસ વિજ્ઞાનને અહિંસા સાથે જોડશે. આજે મોટા મોટા વિજ્ઞાનીઓ આ તરફ વળી રહ્યા છે. અને ખરું જોવા જઈએ તો દુનિયામાં અહિંસાની વૃત્તિ જેટલી આજે જણાય છે તેટલી ઈતિહાસમાં અગાઉ ક્યારેય નહોતી. પ્રાચીન કાળથી આજ સુધીના ઈતિહાસ ઉપર નજર નાખીએ છીએ તો જણાય છે કે આજનો સામાન્ય માણસ પણ હિંસા-અહિંસાની વાત કરતો થઈ ગયો છે. જીવનના બધા પ્રશ્નો અહિંસાથી ઊકલી શકે કે નહીં, તેની ચર્ચા આજે થઈ રહી છે. આ પહેલાં આવી ચર્ચા ક્યારેય નહોતી થઈ. અગાઉના લોકો એમ માનીને જ ચાલતા કે હિંસાનું જીવનમાં કાંઈ ને કાંઈ સ્થાન છે જ, હિંસા વિના ચાલે જ નહીં. પરંતુ આજે માણસની સામે એવી આશા ઊભી થઈ છે કે હિંસાને આપણે માણસના જીવનમાંથી કાઢી નાખી શકીએ.જે હશે તે ન જાણ્યું જાનકી નાથે સવારે….
.
.
..
હંમણા તો વર્તમાન માણીએ…આગે જો હોગા દેખા જાયેગા
LikeLiked by 1 person
જે જે થશે તે બધું જ આપણાં જીવનકાળ દરમ્યાન નથી જ બનવાનું અને જે થશે તે મહદ અંશે અસરકારક નહિ રહે. બસ વાતો જ વાંચ્યા કરીશું.
LikeLike
પ્રવિણભાઇ, મારા ધારવા પ્રમાણે માનવબાળકનો જન્મ જ ફેકટરીમાં થશે. અત્યારે ટેસ્ટટયુબ બેબી તો આવી જ ગઇ છે.સ્ત્રી પુરુષ એકબીજાની જરુર જ નહિ રહે. કુટુંબ કે માબાપ, ભાઇબહેન જેવા લોહીના સંબંધ નહિ હોય. જન્મજ કારખાનામાંથી થાય. શ્રમ બિલકુલ ઘટી જશે. એટલે કુદરતના નિયમ પ્રમાણે જે અવયવનો ઉપયોગ ન થાય એ નાશ પામે. જેમકે માણસની પુંછડી. એમ માણસના હાથપગ દોરડી થઇ જશે. ઘરમાં રસોડુ નહિ હોય.ખેતી કે ગ્રોસરી સ્ટોરો નહિ હોય. માત્ર વિટામિન બનાવતી ફેકટરી હશે. માણસ સવારના કોમપ્યુટરની દબાવશે એટલે આખા દિવસના જરુરી વિટામીનની યાદી આવી જશે. ઘરમાં માત્ર એની બોટલો હશે. ગ્રોસરીને નામે. માણસના કાન ગાયબ હશે. કારણ એને હવે કશુ સાંભળવાનું નથી. બોલવાનું નથી એટલે ભાષા નથી. માત્ર આંખો મંગળના માનવીની માફક ગોળા જેવી હશે. કારણ એને કોમપ્યુટર સામે તાકીને બેસી રહેવાનું છે. નોકર કે મદદનીશ તરીકે રોબોટ હશે. એ નક્કી કરવુ ય મુશ્કેલ થશે કે કોણ માણસ છે ને કોણ રોબોટ? એક આડવાત. ચીનના બાળકોને ભાઇ,બહેન, કાકા,કાકી, મામા માસી જેવા સબંધો સમજણ બહારના લાગતા હશે. એ સીધુ એક જ લાઇનમાં દાદા,દાદી, માબાપ એમજ વાંસની માફક આગળ વધે છે. વાંસને શાખાઓ હોતી નથી.માત્ર એને મથાળે એક ફુલ હોય. એટલે જ વાંસ કદાચ ચીનનું સ્ટેટ ચિન્હ છે.
LikeLiked by 1 person
ચાલો મારા સડેલા ભેજાની કલ્પનાઓ આગળ ચલાઉં.
ધર્મ-મંદિર-ચર્ચ કાંઈ જ નહિ રહે. વિશ્વની દરેક સાંસ્કૃતિક માન્યતાનું ધ્રુવીકરણ થશે. અને સ્વાદિષ્ટ પાવભાજી બનશે. ક્રોસબ્રિડિંગને લીધે સમય જતાં એક સરખા પિગ્મેન્ટેશન વાળા માનવો જ પૃથવી પર વિચરતા હશે. દરેક માનવ વ્યક્તિગત રીતે પોતાની જરૂર પ્રમાણે રોબૉટ સર્જતો રહેશે. રોબોટ જ વિનિમયનું મુખ્ય અંગ બની રહેશે. લગ્ન સંસ્થા નાબુદ થઈ ગઈ હશે. આ ઉપરાંત ઘણું ઘણું થશે જે અત્યારે અ કલ્પનીય છે.
LikeLike
વિજ્ઞાન દ્વારા પૃથ્વીનું અને તેની ઉપર જીવતા જીવોનું ભાવી નક્કિ થશે….જે રીતે થશે તેનો ઉપસંહાર પ્રવિણભાઇઅે પોતાના ટર્ાંન્સલેશન દ્વારા આપ્યો. હજી વઘુ સવાલો મનમાં ઉપજી રહ્યા છે. જુદા જુદા ઘર્મોનું શું થશે? મંદિરોનું, મસ્જિદોનું, ચર્ચોનું શું થશે ? વર્ણવ્યવસ્થાનું શું થશે ? ચામડીના રંગોનું શું થશ? ઘર ઘરના રસોડાનું શું થશે ? રોગોનું નિદાન ઘરમાં થશે…તે રોગોની દવા કે સારવાર પણ આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સ દ્વારા થશે તો ડોક્ટરો, હોસ્પીટલોનું શું થશે ?…….આ બઘુ જ જો આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સ દ્વારા જ જો થવાનું હોય તો પ્રજોત્પત્તિનું શું થશે ? બઘુ જ જો મફતમાં મળતું થઇ જશે તો વેપાર, નોકરી, અમેરિકાના પ્રમુખની જગ્યાનું શું થશે ? જુઠુ બોલવાવાળા જ નહિ રહે તેવું જ બનશે કારણ કે આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સ કદી પણ જુઠુ નહી બોલે…તે તેના કાર્યક્રમને ઓનેસ્ટ હશે…..પોલીટીશીયનોની જરુરત નહિ રહે….પોલીટીક્સ જ નહિ હોય ? આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સ જો માનવ માટે કામ કરતી હશે…દરેક ક્ષેત્રમાં, તો દરેક માણસ ઘરે જ બેઠેલો રહેશે….પહેલેના જમાનામાં જે પૃથ્વિ ઉપરના સ્વર્ગની કલ્પના કરવામાં આવી હતી તે સાકાર થશે? કોમ્પયુટરના કાર્યક્રમો જ અેવા ઘડવામાં આવશે કે કોઇ તેમાં ફેરફાર નહિ કરી શકે….લોકોનું, લોકો માટે, લોકો દ્વારા ચાલતા રાજ્યો હશે….
.સ્વર્ગ પૃથ્વિ ઉપર માનવીઓના હાથમાં હશે…???? ચાલો આવતી કાલના આગમનને આવકારવા બહાર નિકળીઅે…..
અમૃત હઝારી.
LikeLiked by 1 person
જે છે – તે ‘આ’ છે !!!
LikeLiked by 1 person