Recent Posts
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ January 14, 2022
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ (૨) January 7, 2022
- જિપ્સીની ડાયરી-જરા યાદ કરો… October 17, 2021
- જિપ્સીની ડાયરી-Battle of Fatehpur – 8 sikh light infantry October 12, 2021
- જિપ્સીની ડાયરી-પૂર્વસૂચન? October 7, 2021
- જિપ્સીની ડાયરી-નો મૅન્સ લૅંડ October 3, 2021
- વૃદ્ધત્વઃ મારું મનોમંથન October 1, 2021
- જિપ્સીની ડાયરી-વિજય કે નામોશી? September 30, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રીના સંસ્મરણો September 29, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રી September 26, 2021
પુખ્ત વયના મિત્રો માટે….. વાર્તા સરસ છે, પણ, ગલગલિયા કરાવે એવું તો આમાં કંઇ લાગતું નથી.. ઉલટાનું કહેવતી ઘણીબધી કૌટુંબીક વાર્તાઓમાં આનાથી પણ વધારે શૃંગાર રસ હોય છે. ઘણી વ્યક્તિઓને એવી ટેવ હોય છે કે પોતે જે કંઇ કાર્ય કર્યું હોય તે સારું છે કે ખરાબ તેનો પોતેજ ન્યાય કરે. ઠીક છે, પણ, બ્લેક પેન્ટ અને વ્હાઈટ શર્ટ પહેરીને અંગ્રેજીમાં પણ કથા-ભાષણ કરનારા મોડર્ન મારુતિનંદને જે કર્યું છે તે શ્રી પ્રવીણભાઈના લખ્યા મુજબ “કામ” એ ઈશ્વરદત્ત દરેક જીવની નૈસર્ગીક પ્રક્રિયા છે. એનું શમન એ અકુદરતી છે, એ ખરેખર સત્ય છે, એ સત્યજ ભુલી જવાયું એટલે જાતેજ ન્યાય કરીને આપઘાત કરી લીધો..
સરસ વાર્તા..
LikeLike
સતિશભાઈ આભાર, આભાર આભાર. “કામ” એ ઈશ્વરદત્ત દરેક જીવની નૈસર્ગીક પ્રક્રિયા છે. એનું શમન એ અકુદરતી છે. હા નિયંત્રણ જરૂરી છે પણ કામને બળાત્કારથી દબાવી દેવાનો અર્થ નથી.
LikeLike
અદ્ભુત. શ્રુંગારરસનુ વર્ણન ખરેખર આબેહુબ અને નૈસર્ગિક પણ તેટલુ છે.હું . જયેન્દ્રભાઇ અશારાની વાત સાથે સંમત થાઉ છુ. આ કથિત બ્ર્હ્મચર્ય સાધુસંતો ની જમાત આમાથી કોઈ બોધ લે તો સમાજ ને ઉપયોગી થાય. ગીતામા પણ ક્રુશ્ન ભગવાને “કામોત્સ્મિ ભરતર્શ્ભ કહીને કામ વાસના ને એક યોગ ગણાવ્યો છે.શ્રુંગારરસ ને ઉદ્દીપિત કરવા માટે અને વાર્તા ને ય્ઓગ્ય ન્યાય મળે તે માટે આપે જે ભર્ત્રુહરી ના શ્લોકો ટાંક્યા છે તે ખરેખર તમારી લેખનકળાની વિદ્વતાના દર્શન કરાવે છે. લગે રહો શાસ્ત્રીજી. આવી વાર્તાઓ પીરસતા રહો.
LikeLiked by 1 person
કેટલીકવાર હું જાતે લખતો નથી. પાત્રો પોતે જ મારા પર સવાર થઈને મને તેમની ધારેલી દિશામાં દોડાવે છેે. લખ્યા પછી મને લાગ્યું કે કદાચ કોઈકને લાગે કે હું જરૂર કરતાં શૃગારને વધુ પડતો તો લઈ નથી જતોને. પ્રખર બ્રહ્મચારીને નિયોગ માટે મજબુર કરવા દૈહિક અને શાબ્દિક મર્યાદા ઓળંગવી પડે તે આપોઆપ ઓળંગાઈ ગઈ. અને વાચક મિત્રોની ક્ષમા પણ માંગી લીધી. આ લખતાં પહેલાં ભૂલાઈ ગયેલી ભર્તૃહરિ અને પિંગળાની વાતો તાજી કરી, ભિક્ષા દેને મૈયા પિંગળા અને ભેખ ઉતારો રાજા ભરથરી માંડી મારા પ્રિય સંગીતમાર્કંડ ઓમકારનાથજીનું ભૈરવીમાં ગવાયલું “મત જા મત જા જોગી” તો ત્રણ વાર સાંભળી લીધું. અમૃતભાઈ આપનો રિવ્યુ કરેખર મારે માટે તો જરૂરી ઓક્સિજન સાબિત થાય છે.
LikeLike
રાજર્ષિ યોગીન્દ્ર ભર્તુહરિના. લખેલો ‘ નીતિશતક ‘ ખૂબ પ્રચલિત ગ્રંથ છે. તે ગ્રંથનો સમશ્લોકી અનુવાદ અને તેનું સંપાદન શ્રી લવજીભાઇ ભક્તે કરેલું છે.
પ્રવિણભાઇઅે બને કે ભર્તુહરિના ત્રણ શતકો….નીતિશતક, શૃંગારશતક અને વૈરાગ્યશતકના મૂળ સંદેશનો સુંદર ઉપયોગ આજની તેમની વાર્તામાં કર્યો છે પોતાની રીતે.
સુંદર પ્રતિરોપણ.
કયો વાચક મારિતિનંદનનો ભક્ત નહિ બને ? ખાસ કરીને સ્ત્રીઓ !
ફરી પાછો કહું કે પ્રવિણભાઇની પ્રવિણતા અહિં પણ છલકાય છે. શ્લોકોનો સહારો વાર્તાને વેગ આપે છે…સત્યતાના દર્શન કરાવે છે. આ જ તો લેખકની સફળતા છે.
ભર્તુહરિઅે રાજપાત છોડીને સન્યાસ લીઘો હતો.
હાર્દિક અભિનંદન., પ્રવિણભાઇ. આજથી તમારી બીજી વાર્તાની રાહ જોનારાની સંખ્યા અગણય બની રહેશે.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
સમાજમાં વિચાર અને વર્તનની એક ઘરેડ બની જાય છે. મને ગામડાઓના રસ્તા ખબર છે. શહેરમાં આવેલા ગાડાઓ કે ઘોડાગાડીઓ અમના ચાલક ઊંઘમાં હોય તો પણ જાણીતી ઘરેડમાં ચાલતા પશુઓ પોતાને ગામ પહોંચી જતાં. બસ એક વિચારધારા સ્થાપીત થઈ જાય તે સહેલાઈથી તોડવી મુશ્કેલ છે. મારુતિનંદન પણ સ્ખલનને નૈસર્ગિક ગણીને સ્વીકારી શક્યો નહિ. એ આત્મ હત્યા ન કરતે તો પણ કોણ જાણવાનું હતું? આ પાત્રની વિચારધારા પણ એ જ દિશા અને ઘરેડમાં આપોઆપ એની મેળે જ પ્રવાસ કરે છે. બ્રહ્મચર્ય ભંગનું પ્રાય્શ્ચિત આત્મ હત્યાદ્વારા કરે છે. આપનો ખુબ આભાર જયેન્દ્રભાઈ.
LikeLike
“જીવની ફરજ જીવના સર્જનની છે.”
એ અંતિમ સત્ય સમજ્યા વગર ઘણા વ્યક્તિ સાધુત્વની તુચ્છ પ્રકૃતિક-અપમાને મહાત્મા કેમ ગણાય? દેશ-ભારતમાં વૈરાગ્યને મહાન આલેખાયો ત્યારથી-જ સાંસ્કૃતિક સ્ખલન શરુ થયું …દેશ દમ્ભમાં રાચવા લાગ્યો …કુદરતના કામ પણ શરમ અનુભવવ લાગ્યો … એવા ધર્મ કે દેશનું પતન થાય તો પણ શું?
LikeLiked by 1 person