દેહ રથ – વિજય ઠક્કર

ભડભડ બળેલા કૃષ્ણના રથને તપાસીએ…….

Image result for burning arjun rath

“વાહન બનેલા દેહની કેવી દશા થશે ?

ભડભડ બળેલા કૃષ્ણના રથને તપાસીએ “

– ચિનુ મોદી… ઇર્શાદ

ગુજરાતના ખૂબ પ્રચલિત અને અગ્રેસર કવિ ગઝલકાર શ્રી ચિનુ મોદીની બે પંક્તિની વાત કરવી છે ઉપરોક્ત શીર્ષક પંક્તિ મારી ખૂબ

ગમતી અને જીવનના સત્યને ઉજાગર કરતી પંક્તિ છે. મનુષ્ય દેહમાંથી શબ બનેલા જીવનરથને કેમ બાળવામાં આવે છે એ સમજવા તો કૃષ્ણરથની કથા જ તપાસવી પડે.

મહાભારતની એ કથા ક્યાં કોઈથી અજાણી છે કે જેમાં ૧૮ દિવસના ભીષણ મહાયુદ્ધ પછી લાશોના ઢેર અને રક્તરંજિત કુરુભુમી કેવી બિહામણી લાગે છે..? કુરુક્ષેત્રનું યુદ્ધ સમાપ્ત થયું અને સારથી શ્રીકૃષ્ણ, કૃષ્ણરથને યુદ્ધભૂમિથી દૂર હંકારી ગયા અને અર્જુનને કહ્યું..” પાર્થ રથમાંથી નીચે ઊતર..” અર્જુન હિચકિચાટ અનુભવે છે.. એને સંશય થાય છે કે કેમ આજે કેશવ રથને આટલે દૂર લઈ આવ્યા. યુદ્ધના અઢાર દિવસ સુધી ક્યારેય કૃષ્ણએ મને રથમાંથી પહેલા ઊતરવાનું કહ્યું નથી અને શિષ્ટાચાર અને નીતિશાસ્ત્ર તો એવું કહે છે કે સારથીએ રથમાંથી એના અસવારથી પહેલા ઊતરવાનું હોય. યુધ્ધભૂમી પર જે દિવસથી શ્રીકૃષ્ણએ અર્જુનના સારથી બનવાનું સ્વીકાર્યું ત્યારથી યોગેશ્વર નીતિશાસ્ત્રના એ સીધ્ધાંત પ્રમાણે જ વર્ત્યા હતા તો આજે એથી વિપરીત વ્યવહાર કેમ???

જોકે અર્જુનના મન અને હ્રદયમાં એક વાત પણ એટલી જ સુનિશ્ચિત હતી કે શ્રી કૃષ્ણના વચન ક્યારેય નિરર્થક ના હોય છતાં એક ક્ષણ માટેય અર્જુનને થયેલી વિમાસણ શ્રીહરિ પામી જાય છે. મધુસૂદન અર્જુનના સંશયનું સમાધાન કરવાને બદલે એને ગાંડીવ અને બાણોનું ભાથું લઈને ખૂબ ઝડપથી રથમાંથી નીચે ઊતરવા કહે છે. પાર્થ નીચે ઊતરે છે અને પછીની કથા જાણીતી છે. કર્ણના અસ્ત્રશસ્ત્રના પ્રહારથી એ રથતો ક્યારનોય ભસ્મીભૂત થઈ ગયેલો પરંતુ શ્રી કૃષ્ણએ એમની માયાવી શક્તિથી યુદ્ધના અંત સુધી એને સહી સલામત રાખ્યો….અને અંતે અર્જુનને નીચે ઉતારી કેશવ રથની નીચે ઊતર્યા અને એ સાથેજ રથ ભડભડ સળગી ઊઠે છે.

કુરુક્ષેત્રના આ ભીષણ યુદ્ધમાં બંને પક્ષે વિશ્વશ્રેષ્ઠ યોદ્ધાઓ હતા. પાંડવ પક્ષે બધો જ મદાર અર્જુન પર હતો અને વળી એ જ તો યુદ્ધનો અગ્રયોધ્ધો હતો. પ્રતિપક્ષ કૌરવસેનાના તમામ મુખ્ય લડવૈયાઓ ના નિશાન પર અર્જુન હતો અને એટલે જ સૌથી વધુ પ્રહાર અર્જુન ભણી થયાં હતાં. નારાયણ આ સઘળું જાણતાજ હોય ને! દુશ્મનોના દુશ્પ્રહારોને એટલે જ તો કેશવે એમના તાપથી રોકી રાખ્યા હતાં પણ જેવા શ્રીહરિ રથમાંથી ઊતર્યા એ સાથેજ શ્રીહરીરુપી કવચમાંથી રથ મુક્ત થાય છે અને એ તમામ અસ્ત્રશસ્ત્ર બળીયા બની જાય છે, એમનો દુષ્પ્રભાવ વધી જાય છે….રથ ભસ્મીભૂત થઈ જાય છે.

મહાભારતના યુદ્ધના અર્જુનના વાહન-રથની વાત તો જાણીતી પણ છે અને મેં ઉપર એનો ઉલ્લેખ પણ કર્યો. ગુજરાતી સાહિત્યની ઉપરોક્ત શીર્ષક પંક્તિની પરિકલ્પના આ જ કથાતત્વને કેન્દ્રમાં રાખીને કેવી સરસ રીતે કરી છે. મનુષ્ય આખો જન્મારો પોતાના દેહને વાહન ગણીનેજ તો ઉપયોગમાં લે છે ને.! આ વાહન એટલેકે આપણું શરીર અને આ શરીરરૂપી રથમાં જ્યાં સુધી કૃષ્ણ રૂપી સારથી એટલેકે આત્મતત્વ બિરાજે છે એનું સુરક્ષા કવચ છે ત્યાં સુધી એ આ દેહરૂપી વાહન-રથ સુરક્ષિત છે અને ત્યાં સુધીજ એની કિંમત છે, એનું વજૂદ છે. જીવનું સત જતાંજ ચેતનવંતો દેહ શબ બની જાય છે, જેવું આત્મતત્વ-શ્રીહરિ આ રથમાંથી હેઠા ઊતર્યા …વિદાય થયા કે પછી આ દેહમાંથી ચેતના ચાલી જાય છે અને એ નિશ્ચેતન દેહ શબ બની જાય છે. પૂર્વાપર તમામ અવલંબનમાંથી મુક્ત બનેલા એ દેહને ચિતામાં આરૂઢ કરી અગ્નિદાહ દેવામાં આવે છે.

ભડભડ બળતું એ શબ એ મહાભારતના યુદ્ધમાં અર્જુનના રથ સાથે પ્રતીકાત્મક રીતે પ્રયોજાયું છે.


vijay-thakkar

વિજય ઠક્કર

શબ્દો: 557

લખ્યા તારીખ: September 17,2019

2 responses to “દેહ રથ – વિજય ઠક્કર

  1. pravinshastri November 15, 2019 at 10:04 PM

    જો કૃષ્ણની રક્ષા ન મળી હોત તો અર્જુનનો રથ યુદ્ધરક્ષા થઈ ગયો હોત.

    Like

  2. pragnaju November 15, 2019 at 4:47 PM

    ઠાકુરે એક સામાન્ય સારથી બની- અને અર્જુન નો રથ હાંક્યો હતો—કેમ ? બસ …માત્ર એક ….. ભસ્માન્તમ શરીરમ ભસ્મ ધરી ભડભડ બળતું એ શબ એ મહાભારતના યુદ્ધમાં અર્જુનના રથ સાથે પ્રતીકાત્મક રીતે પ્રયોજાયું છે.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: