પ્રકરણ 26
કુરેશી માટે એક મુસીબત ખડી થઇ ગઈ. યુરેનિયમ નું શું કરવું?
બજારમાં વેચવા નીકળે તો ગ્રાહકો તો ઘણા મળી રહે પણ એમાં
જોખમ મોટું હતું.ઘણી વાર વિચાર કર્યા પછી એણે ચીની જાસૂસી
ખાતાની સલાહ અને સહાય માંગવાનો નિર્ણય કર્યો. આમેય ચીની
જાસૂસી ખાતું ઇન્ડિયા નું હમદર્દ ન’તું. એટલે વાત ખાનગી જ
રહેવાની હતી.અલબત્ત, કુરેશી એન્રીચડ યુરેનિયમ પાણીના
ભાવે તો નહોતો જ વેચવાનો. કુરેશીને એ પણ ખાતરી હતી
કે ચીની જાસૂસી ખાતાને પણ સગવડ સાચવી લેતા આવડતું
હતું. કુરેશી પણ શેષ જીવન સુખચેન માં વિતાવવા માંગતો
હતો. એટલું જ નહીં પણ જરૂર પડ્યે આતંકવાદને ઉશ્કેરવા
માટે પોતાની ધનસંપત્તિનો ઉપયોગ કરવા ઉત્સુક અને આતુર
હતો. કોણે કહ્યું કે ધનવાન આરબ રાજ્યો જ છૂટ થી પૈસા વેરીને
ઇસ્લામી ધર્મઝનૂનને સળગતું રાખી શકે છે! કુરેશી નો પ્લાન
કઈં દૂરંદેશી ભર્યો તો ન હતો પણ વ્યવહારુ હતો. પોતાના
પૈસા ખર્ચીને એ સમૃદ્ધ આરબ રાજ્યો ની વિરુદ્ધ અસંતોષ
ના બીજ વાવી શકે, ત્યાંની પ્રજામાં લોકશાહી નો પ્રચાર
કરી શકે. મુઠ્ઠીભર શેખ, અમીરો અને સુલતાનોના આસન
ડોલાવે અને તેનાથી ધનવાન આરબ રાજ્યો માટે અસહ્ય
પરિસ્થિતિ સર્જાય. કુરેશી આવા રાજ્યકર્તાઓની વ્હારે
ધાય અને એમની સલ્તનત અને અમીરાત બચાવે અને
આભારની લાગણી પ્રદર્શિત કરવા માટે આરબ રાજ્યો
એને સારો જેવો શિરપાવ પણ આપે.
કુરેશી અન્ય તકસાધુઓ જેવો જ હતો.
અંગત સ્વાર્થના સાધકો અને તકસાધુઓ આતંકવાદ ,
નેતૃત્વ, ધર્મપ્રચાર અને કોમવાદ જેવા કઈંક મ્હોરાંઓ
પહેરીને અનાદિકાળથી લોકોને હોળીનું નાળિયેર
બનાવતા રહ્યા છે અને રહેશે., જ્યાં સુધી લોકોના
દ્ર્ષ્ટિબિંદુઓ અને દ્રષ્ટિકોણ ઉપર સદીઓથી જામી
ગયેલા પૂર્વગ્રહના પડ નહીં ઉખડે. એટલું યાદ રહે કે
તકસાધુઓના પંથમાં ભેદભાવ નથી, તેઓ વિશ્વવ્યાપી
છે.સમગ્ર વિશ્વના રાજકીય, સામાજિક, આર્થિક
ધાર્મિક તેમજ નૈતિક ક્ષેત્રોમાં હાજરાહજૂર છે.
ત્રિશૂળની સર્વેલન્સ ટિમ ના બે સદસ્યો
“પ્રભુ કૃપા” પર અવતર્યા.
ફ્લેટ ૨-B અને ૨-D જમણી બાજુએ હતા. લિફ્ટના બે
પડખે દાદરા હતા. ડાબે પડખે નીચે જવાનો અને
જમણે પડખે દાદરો ઉપર જતો. પરસાળમાં એક ટ્યુબ
લાઈટ હતી અને એના ફિક્સચર માં ફ્લેટ ૨-D ની
અવરજવર પર નજર રાખી શકે એવા મોશન ડિટેક્ટર
સેન્સર ઓપરેટેડ કેમેરા ફિટ કરવામાં આવ્યા.
કેમેરામાં ઝડપાયેલા દ્રશ્યો ફોન લાઈન મારફતે ત્રિશૂળ
ના કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરવાની વ્યવસ્થા થઇ ગઈ.
જાળ બિછાવી તો ખરી પણ સપડાશે કોણ?
વાહીદ કુરેશીની ઓફિસમાંથી બહાર નીકળ્યો.
વઝીર આરામ કરવા માટે એના આવાસ તરફ વળ્યો.
વાહિદે અસ્વસ્થતા દૂર કરવા હાઈકમિશન ની બહાર
દરિયાકિનારે જવાનો નિર્ણય કર્યો.અદતમુજબ એ
ચારેકોર સાવધાનીભરી નજર નાખતો હતો. રસ્તાની
સામેની બાજુએ રેસકોર્સ ના દરવાજા પાસે એક
સેન્ડવિચ વેચનારને જોયો. વહીદનું કુતુહલ સળવળ્યું.
જો કે આ કઈં નવું નહોતું.આવા દુકાનદારો તો શહેરમાં
કીડીયારાની જેમ ઉભરાતા હતા.નગરપાલિકા અને
પોલીસખાતાની મહેરબાની આ કીડીયારાને ફોલી ખાતી.
એમનું શોષણ કરતી;પરંતુ રૃશ્વતખોર હાથીઓને મણ
આપનાર આ કીડીયારાઓને કણ આપતો જ રહે છે.
એક પરોપજીવી જીવન ઘટમાળની સાંકળના આ
મણકાઓ એનો સબળ પુરાવોછે.
વાહીદ રસ્તો ઓળંગીને સેન્ડવિચ વેચનાર તરફ
વળ્યો. સેન્ડવિચ વેચનારે વહીદને હાઈકમિશનમાંથી
બહાર નીકળતો જોઈને એનો ફોટો લઈને ત્રિશૂળ
પર મોકલ્યો. તરત જ જવાબમાં ત્રિશૂળ તરફથી
વાહીદ વિશેની બાતમી અને સાવધાની રાખવાની
સૂચના મળી. વાહિદે સેન્ડવિચનો ઓર્ડર આપ્યો.
ત્રિશૂળ ના સેન્ડવિચ વેચનારે સેન્ડવિચ ઉપર
કલોરલહાઇડ્રેટથી ભરપૂર ચટણી લગાડી. ક્લોરલહાઇડ્રેટ
સ્વાદ, ગંધ અને વાસ વગરની ઘેન ની દવા છે. એટલે
કાવતરાની ગંધ આવવાની શક્યતા નહોતી.વાહીદ
સેન્ડવિચ ખાતા ખાતા ઔપચારિક વાતોએ વળગ્યો.
સેન્ડવિચ પુરી થવા આવી એટલે એને એક પાણીની
બોટલ ખરીદી.પાણીમાં પણ એજ ઘેન ની દવા હતી.
વાહીદ પોણી બોટલ ગટગટાવી ગયોઅને દરિયા તરફ
વળ્યો. દશેક ડગલાં મંદ ચાલ્યો હશે અને એની આંખે
અંધારા આવ્યા.દ્રષ્ટિ ઝાંખી થઇ. અચાનક પગ લથડ્યો
અને મામલો બિચકી જાય એ પહેલા ત્રિશુલના ઓફિસરે
વાહિદની સહાય કરી અને રેસકોર્સની દીવાલ પાછળ દોર્યો.
જતાવતા લોકોની નજર ન પડે તેમ સુવાડ્યો.
ત્યારબાદ ત્રિશૂલને ફોન કર્યો અને કહ્યું કે ” ગ્રાહક સેન્ડવિચ
ખાઈને ઘસઘસાટ ઊંઘી રહ્યો છે.” અડધા કલાકમાં ત્રિશૂળ ની
એમ્બ્યુલન્સ આવી અને વહીદને લઇ ગઈ.
આર્થર રોડ હોસ્પિટલના કોમ્પ્લેક્સમાં એક જૂનું મકાન
હતું જ્યાં રક્તપિત્ત એટલે લેપ્રસી જેવા કુષ્ટ રોગોથી પીડાતા
દર્દીઓની સારવાર કરવામાં આવતી. ઘણા વખતથી આ
રોગનો ફેલાવો અટક્યો હતો, નાબૂદ તો નહોતો થયો પણ
આવા રોગોની સારવાર માટે નાસિક નજીક એક આરોગ્યધામ
સ્થાપવામાં આવ્યું હતું.અહીં રોગીઓના ઉપચાર અને ઉદ્ધાર
માટેની સવલતો હતી.કલંક સમાન ગણાતા આ રોગના
કમનસીબ દર્દીઓને સ્વાવલંબી અને ઉદ્યમી બનાવવાના
પ્રયત્નોને સફળતા મળી હતી.જો કે જુનવાણી અને રૂઢિચુસ્ત માન્યતાઓને લીધે આવા દર્દીઓ અછૂત જેવી હાલતમાં
જીવતા. શારીરિક અને માનસિક રોગોનો ઈલાજ સફળતાથી
કરનાર ડોકટરો પણ પારંપારિક માન્યતાઓનો કોઈ ઈલાજ
કરી શકે એમ નહોતા. બહારથી જૂનું લાગતું આર્થરરોડ
હોસ્પિટલ નું મકાન અંદરથી અદ્યતન સુવિધાઓ ધરાવતું
હતું. વિવિધ લેબોરેટરીઓ, ઓપરેશન થીએટર અને એવી
તો કૈંક સગવડો હતી. ત્રિશુલના વપરાશને અનુરૂપ આ મકાન
અસ્તિત્વમાં નહોતું. સરકારી દસ્તાવેજો માં મકાન તોડી
નાખ્યાની નોંધ હતી.
એમ્બ્યુલન્સ વહીદને લઈને સીધી આર્થર રોડ હોસ્પિટલ માં
પહોંચી ગઈ.ડોક્ટર યશવંત લાખાણીએ વહીદને તાબડતોબ
ઓપરેશન થિએટરમાં લઇ જવાની સૂચના આપી. વ્યવસાયે
એનેસ્થિસિઓલોજીસ્ટ ડોક્ટર લાખાણી બેભાન માણસ
પાસેથી બાતમી કઢાવવામાં અજોડ હતા. જાતજાતના
ઔષધો અને રસાયણો વાપરીને બેભાન માણસ ના
મગજનો ખૂણેખૂણો ખૂંદી વળે અને બાતમી કઢાવે.
કેમિકલ્સની માત્રા હળવી હોય તો પેલો માણસ ભાનમાં
આવે ત્યારે એની યાદદાસ્ત, તાજેતરમાં બનેલા બનાવો
વિશે બેખબર હોય છે. વિકલ્પે જો બાતમી કઢાવવા
માટે વપરાયેલા કેમિકલ્સ ખતરનાક હોય તો યાદદાસ્ત
હ્મ્મેશ માટે જતી રહે. આમેય આવા ભુલા ભટકેલાઓનો
ક્યાં તોટો છે! એકનો વધારો થાય એટલુંજ.
ડો.લાખાણીએ કસબ અજમાવ્યો અને
વાહીદની વાચા ફૂટી નીકળી. કુરેશી, ખતીજા, વઝીર,
કાલિપ્રસાદ અને પીટર નામોનો ઉલ્લેખ થયો. એ પણ
જાણવા મળ્યું કે કુરેશી કોઈક ખતરનાક યોજના ઘડી રહતો.
અણુકેન્દ્રના કાફલાને કેવી રીતે ખોરંભે ચડાવવામાં આવ્યો
તેની અક્ષરઃશ માહિતી મળી. વાહિદે ખાત્રીપૂર્વક જણાવ્યું
કે એનરિચ્ડ યુરેનિયમ અણુકેન્દ્રની કારમાં બાંગ્લાદેશ
હાઈકમિશન ના કબજા માં સલામત હતું. પરીક્ષિતને આ
માહિતી પહોંચાડવામાં આવી. કુરેશી અને ખતીજાના
નામો સિવાય બીજું કઈં નવું જાણવા ન મળ્યું.
ગૌતમ દીવાનના કહેવા પ્રમાણે એનરિચ્ડ યુરેનિયમ
અણુકેન્દ્રની કારમાં તો નહોતું. પરીક્ષિતની મૂંઝવણ અપાર
હતી. ક્યાં હશે એનરિચ્ડ યુરેનિયમ? પરીક્ષિતની સેક્રેટરીએ
સ્ટાફ મિટિંગની યાદ દેવડાવી અને જણાવ્યું કે બધા
ઓફિસરો આવી ગયા હતા. પરીક્ષિત મિટિંગ રૂમમાં
પ્રવેશ્યો. અત્યારસુધી બનેલા બનાવો અને હકીકત ની
સમીક્ષા કરી અને સલાહસૂચનો આવકાર્યા.
કુરેશી અને ખતીજા વિશે શક્ય તેટલી માહિતી
મેળવવાનું નક્કી થયું. વાહીદ, વઝીર, કાલિપ્રસાદ અને
પીટર ની હિલચાલ ઉપર નજર રાખવાનું પણ નક્કી થયું.
આઝાદ ઈમ્પોર્ટસ પર છાપો મારવાની દરખાસ્ત મંજુર થઇ.
બાંગ્લાદેશ હાઈકમિશનની ફોન લાઈન પરનો સંદેશ
વ્યવહાર આંતરવા માટે કોર્ટની મંજૂરી પણ મેળવી લેવી,
એવું નક્કી થયું.એનરિચ્ડ યુરેનિયમની ભાળ મેળવવા
માટે કોઈ નક્કર સૂચનો ન ઉદભવ્યા.અંતે એમ નક્કી
થયું કે કુરેશી અથવા પીટર પાસેથી બાતમી કઢાવવી.
પરીક્ષિતે સંમતિસૂચક વલણ તો અપનાવ્યું પણ
એનરિચ્ડ યુરેનિયમ નો પ્રશ્ન એક વણથંભ્યા દાવાનળની
જેમ સળગતો રહ્યો. ત્રણ દિવસની મુદતમાં આ બધી
કાર્યવાહી પુરી કરવાનો આદેશ આપ્યો અને મિટિંગ
બરખાસ્ત કરી.
પરીક્ષિત પોતાની ઓફિસ માં પાછો ફર્યો.
એનરિચ્ડ યુરેનિયમનો પ્રશ્ન પડછાયાની જેમ જ પીછો
કરતો હતો. એનું મન એક વૈજ્ઞાનિકની ઢબે નિરાકરણ
કરવા લલચાયું. હકીકતોની હારમાળાના મણકા
વેરણછેરણ પડ્યા હતા. હકીકત એ હતીકે યુરેનિયમ
લાપત્તા છે.હકીકત એ હતી કે એક ભયંકર ષડ્યંત્રનો
અમલ થશે, હકીકત એ હતી કે વિના વિલંબે બધા
પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો ભયાનક પરિણામો
નિશ્ચિત હતા. પરીક્ષિતની હૈયાસૂઝ સતેજ થઇ. હકીકતો
ની હારમાળાના વેરાયેલા મણકાઓને એકત્રિત કરવા
જ રહ્યા. મણકા પરોવવા માટે દોરો ક્યાંથી લાવવો?
દોરાનો વિચાર કરતા એમ લાગ્યું કે કદાચ ભુલથાપ
આપવા માટે તો આ મણકાઓને વેરવામાં નહીં
આવ્યા હોય ને! આંધળે બહેરું તો નહીં કૂટાતું હોય ને!
ખોટી દિશામાં આંગળી ચીંધીને કોઈ ભરમાવે છે કે શું?
શંકાના વાદળો ઘેરાયા, ઘનિષ્ઠ થયા અને પરીક્ષિતની
ભીંતર વસેલું વૈજ્ઞાનિક અસ્તિત્વ આ શંકાનું સમાધાન
કરવા ઉતાવળું અને ઉત્સુક થયું.
ડો. લાખાણી કામ પતાવીને આર્થરરોડ
હોસ્પિટલમાંથી નીકળ્યા. સાંજના ઇન્ડિયન મેડિકલ
એસોસિએશન ની મિટિંગ માં હાજરી આપવાની હતી.
મિટિંગ તો દર મહિને નિયમિત યોજવામાં આવતી
પણ એમની હાજરી નિયમિતપણે અનિયમિત રહેતી.
આજની મિટિંગ એક મોટી ફાર્માસ્યુટિકલ કંપનીના
સૌજન્યને આભારી હતી. તાજેતરમાં જ બંધાયેલા
ઝંકાર નામના હોલ માં આયોજન કરવામાં આવ્યું હતું.
હોલ અદ્યતન સગવડો ધરાવતો હતો એટલુંજ નહીં પણ,
પાર્કિંગની પળોજણને પહોંચી વળવાનો પ્રબંધ પણ
કરવામાં આવેલો હતો. હોલનું દૈનિક ભાડું તો કોઈ
રાજકીય નેતાની કુલ સત્તાવાર અને બિનસત્તાવાર
આવકથી પણ વધારે હતું. સામાન્યતઃ આવી મીટીંગોમાં
શિષ્ટાચારનો રિવાજ હોય છે અને ક્યારેક બીજા આચરણ પણ થતા રહે છે.
ભીંતર ના વ્હેણ
પ્રકરણ 26
કુરેશી માટે એક મુસીબત ખડી થઇ ગઈ. યુરેનિયમ નું શું કરવું?
બજારમાં વેચવા નીકળે તો ગ્રાહકો તો ઘણા મળી રહે પણ એમાં
જોખમ મોટું હતું.ઘણી વાર વિચાર કર્યા પછી એણે ચીની જાસૂસી
ખાતાની સલાહ અને સહાય માંગવાનો નિર્ણય કર્યો. આમેય ચીની
જાસૂસી ખાતું ઇન્ડિયા નું હમદર્દ ન’તું. એટલે વાત ખાનગી જ
રહેવાની હતી.અલબત્ત, કુરેશી એન્રીચડ યુરેનિયમ પાણીના
ભાવે તો નહોતો જ વેચવાનો. કુરેશીને એ પણ ખાતરી હતી
કે ચીની જાસૂસી ખાતાને પણ સગવડ સાચવી લેતા આવડતું
હતું. કુરેશી પણ શેષ જીવન સુખચેન માં વિતાવવા માંગતો
હતો. એટલું જ નહીં પણ જરૂર પડ્યે આતંકવાદને ઉશ્કેરવા
માટે પોતાની ધનસંપત્તિનો ઉપયોગ કરવા ઉત્સુક અને આતુર
હતો. કોણે કહ્યું કે ધનવાન આરબ રાજ્યો જ છૂટ થી પૈસા વેરીને
ઇસ્લામી ધર્મઝનૂનને સળગતું રાખી શકે છે! કુરેશી નો પ્લાન
કઈં દૂરંદેશી ભર્યો તો ન હતો પણ વ્યવહારુ હતો. પોતાના
પૈસા ખર્ચીને એ સમૃદ્ધ આરબ રાજ્યો ની વિરુદ્ધ અસંતોષ
ના બીજ વાવી શકે, ત્યાંની પ્રજામાં લોકશાહી નો પ્રચાર
કરી શકે. મુઠ્ઠીભર શેખ, અમીરો અને સુલતાનોના આસન
ડોલાવે અને તેનાથી ધનવાન આરબ રાજ્યો માટે અસહ્ય
પરિસ્થિતિ સર્જાય. કુરેશી આવા રાજ્યકર્તાઓની વ્હારે
ધાય અને એમની સલ્તનત અને અમીરાત બચાવે અને
આભારની લાગણી પ્રદર્શિત કરવા માટે આરબ રાજ્યો
એને સારો જેવો શિરપાવ પણ આપે.
કુરેશી અન્ય તકસાધુઓ જેવો જ હતો.
અંગત સ્વાર્થના સાધકો અને તકસાધુઓ આતંકવાદ ,
નેતૃત્વ, ધર્મપ્રચાર અને કોમવાદ જેવા કઈંક મ્હોરાંઓ
પહેરીને અનાદિકાળથી લોકોને હોળીનું નાળિયેર
બનાવતા રહ્યા છે અને રહેશે., જ્યાં સુધી લોકોના
દ્ર્ષ્ટિબિંદુઓ અને દ્રષ્ટિકોણ ઉપર સદીઓથી જામી
ગયેલા પૂર્વગ્રહના પડ નહીં ઉખડે. એટલું યાદ રહે કે
તકસાધુઓના પંથમાં ભેદભાવ નથી, તેઓ વિશ્વવ્યાપી
છે.સમગ્ર વિશ્વના રાજકીય, સામાજિક, આર્થિક
ધાર્મિક તેમજ નૈતિક ક્ષેત્રોમાં હાજરાહજૂર છે.
ત્રિશૂળની સર્વેલન્સ ટિમ ના બે સદસ્યો
“પ્રભુ કૃપા” પર અવતર્યા.
ફ્લેટ ૨-B અને ૨-D જમણી બાજુએ હતા. લિફ્ટના બે
પડખે દાદરા હતા. ડાબે પડખે નીચે જવાનો અને
જમણે પડખે દાદરો ઉપર જતો. પરસાળમાં એક ટ્યુબ
લાઈટ હતી અને એના ફિક્સચર માં ફ્લેટ ૨-D ની
અવરજવર પર નજર રાખી શકે એવા મોશન ડિટેક્ટર
સેન્સર ઓપરેટેડ કેમેરા ફિટ કરવામાં આવ્યા.
કેમેરામાં ઝડપાયેલા દ્રશ્યો ફોન લાઈન મારફતે ત્રિશૂળ
ના કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરવાની વ્યવસ્થા થઇ ગઈ.
જાળ બિછાવી તો ખરી પણ સપડાશે કોણ?
વાહીદ કુરેશીની ઓફિસમાંથી બહાર નીકળ્યો.
વઝીર આરામ કરવા માટે એના આવાસ તરફ વળ્યો.
વાહિદે અસ્વસ્થતા દૂર કરવા હાઈકમિશન ની બહાર
દરિયાકિનારે જવાનો નિર્ણય કર્યો.અદતમુજબ એ
ચારેકોર સાવધાનીભરી નજર નાખતો હતો. રસ્તાની
સામેની બાજુએ રેસકોર્સ ના દરવાજા પાસે એક
સેન્ડવિચ વેચનારને જોયો. વહીદનું કુતુહલ સળવળ્યું.
જો કે આ કઈં નવું નહોતું.આવા દુકાનદારો તો શહેરમાં
કીડીયારાની જેમ ઉભરાતા હતા.નગરપાલિકા અને
પોલીસખાતાની મહેરબાની આ કીડીયારાને ફોલી ખાતી.
એમનું શોષણ કરતી;પરંતુ રૃશ્વતખોર હાથીઓને મણ
આપનાર આ કીડીયારાઓને કણ આપતો જ રહે છે.
એક પરોપજીવી જીવન ઘટમાળની સાંકળના આ
મણકાઓ એનો સબળ પુરાવોછે.
વાહીદ રસ્તો ઓળંગીને સેન્ડવિચ વેચનાર તરફ
વળ્યો. સેન્ડવિચ વેચનારે વહીદને હાઈકમિશનમાંથી
બહાર નીકળતો જોઈને એનો ફોટો લઈને ત્રિશૂળ
પર મોકલ્યો. તરત જ જવાબમાં ત્રિશૂળ તરફથી
વાહીદ વિશેની બાતમી અને સાવધાની રાખવાની
સૂચના મળી. વાહિદે સેન્ડવિચનો ઓર્ડર આપ્યો.
ત્રિશૂળ ના સેન્ડવિચ વેચનારે સેન્ડવિચ ઉપર
કલોરલહાઇડ્રેટથી ભરપૂર ચટણી લગાડી. ક્લોરલહાઇડ્રેટ
સ્વાદ, ગંધ અને વાસ વગરની ઘેન ની દવા છે. એટલે
કાવતરાની ગંધ આવવાની શક્યતા નહોતી.વાહીદ
સેન્ડવિચ ખાતા ખાતા ઔપચારિક વાતોએ વળગ્યો.
સેન્ડવિચ પુરી થવા આવી એટલે એને એક પાણીની
બોટલ ખરીદી.પાણીમાં પણ એજ ઘેન ની દવા હતી.
વાહીદ પોણી બોટલ ગટગટાવી ગયોઅને દરિયા તરફ
વળ્યો. દશેક ડગલાં મંદ ચાલ્યો હશે અને એની આંખે
અંધારા આવ્યા.દ્રષ્ટિ ઝાંખી થઇ. અચાનક પગ લથડ્યો
અને મામલો બિચકી જાય એ પહેલા ત્રિશુલના ઓફિસરે
વાહિદની સહાય કરી અને રેસકોર્સની દીવાલ પાછળ દોર્યો.
જતાવતા લોકોની નજર ન પડે તેમ સુવાડ્યો.
ત્યારબાદ ત્રિશૂલને ફોન કર્યો અને કહ્યું કે ” ગ્રાહક સેન્ડવિચ
ખાઈને ઘસઘસાટ ઊંઘી રહ્યો છે.” અડધા કલાકમાં ત્રિશૂળ ની
એમ્બ્યુલન્સ આવી અને વહીદને લઇ ગઈ.
આર્થર રોડ હોસ્પિટલના કોમ્પ્લેક્સમાં એક જૂનું મકાન
હતું જ્યાં રક્તપિત્ત એટલે લેપ્રસી જેવા કુષ્ટ રોગોથી પીડાતા
દર્દીઓની સારવાર કરવામાં આવતી. ઘણા વખતથી આ
રોગનો ફેલાવો અટક્યો હતો, નાબૂદ તો નહોતો થયો પણ
આવા રોગોની સારવાર માટે નાસિક નજીક એક આરોગ્યધામ
સ્થાપવામાં આવ્યું હતું.અહીં રોગીઓના ઉપચાર અને ઉદ્ધાર
માટેની સવલતો હતી.કલંક સમાન ગણાતા આ રોગના
કમનસીબ દર્દીઓને સ્વાવલંબી અને ઉદ્યમી બનાવવાના
પ્રયત્નોને સફળતા મળી હતી.જો કે જુનવાણી અને રૂઢિચુસ્ત માન્યતાઓને લીધે આવા દર્દીઓ અછૂત જેવી હાલતમાં
જીવતા. શારીરિક અને માનસિક રોગોનો ઈલાજ સફળતાથી
કરનાર ડોકટરો પણ પારંપારિક માન્યતાઓનો કોઈ ઈલાજ
કરી શકે એમ નહોતા. બહારથી જૂનું લાગતું આર્થરરોડ
હોસ્પિટલ નું મકાન અંદરથી અદ્યતન સુવિધાઓ ધરાવતું
હતું. વિવિધ લેબોરેટરીઓ, ઓપરેશન થીએટર અને એવી
તો કૈંક સગવડો હતી. ત્રિશુલના વપરાશને અનુરૂપ આ મકાન
અસ્તિત્વમાં નહોતું. સરકારી દસ્તાવેજો માં મકાન તોડી
નાખ્યાની નોંધ હતી.
એમ્બ્યુલન્સ વહીદને લઈને સીધી આર્થર રોડ હોસ્પિટલ માં
પહોંચી ગઈ.ડોક્ટર યશવંત લાખાણીએ વહીદને તાબડતોબ
ઓપરેશન થિએટરમાં લઇ જવાની સૂચના આપી. વ્યવસાયે
એનેસ્થિસિઓલોજીસ્ટ ડોક્ટર લાખાણી બેભાન માણસ
પાસેથી બાતમી કઢાવવામાં અજોડ હતા. જાતજાતના
ઔષધો અને રસાયણો વાપરીને બેભાન માણસ ના
મગજનો ખૂણેખૂણો ખૂંદી વળે અને બાતમી કઢાવે.
કેમિકલ્સની માત્રા હળવી હોય તો પેલો માણસ ભાનમાં
આવે ત્યારે એની યાદદાસ્ત, તાજેતરમાં બનેલા બનાવો
વિશે બેખબર હોય છે. વિકલ્પે જો બાતમી કઢાવવા
માટે વપરાયેલા કેમિકલ્સ ખતરનાક હોય તો યાદદાસ્ત
હ્મ્મેશ માટે જતી રહે. આમેય આવા ભુલા ભટકેલાઓનો
ક્યાં તોટો છે! એકનો વધારો થાય એટલુંજ.
ડો.લાખાણીએ કસબ અજમાવ્યો અને
વાહીદની વાચા ફૂટી નીકળી. કુરેશી, ખતીજા, વઝીર,
કાલિપ્રસાદ અને પીટર નામોનો ઉલ્લેખ થયો. એ પણ
જાણવા મળ્યું કે કુરેશી કોઈક ખતરનાક યોજના ઘડી રહતો.
અણુકેન્દ્રના કાફલાને કેવી રીતે ખોરંભે ચડાવવામાં આવ્યો
તેની અક્ષરઃશ માહિતી મળી. વાહિદે ખાત્રીપૂર્વક જણાવ્યું
કે એનરિચ્ડ યુરેનિયમ અણુકેન્દ્રની કારમાં બાંગ્લાદેશ
હાઈકમિશન ના કબજા માં સલામત હતું. પરીક્ષિતને આ
માહિતી પહોંચાડવામાં આવી. કુરેશી અને ખતીજાના
નામો સિવાય બીજું કઈં નવું જાણવા ન મળ્યું.
ગૌતમ દીવાનના કહેવા પ્રમાણે એનરિચ્ડ યુરેનિયમ
અણુકેન્દ્રની કારમાં તો નહોતું. પરીક્ષિતની મૂંઝવણ અપાર
હતી. ક્યાં હશે એનરિચ્ડ યુરેનિયમ? પરીક્ષિતની સેક્રેટરીએ
સ્ટાફ મિટિંગની યાદ દેવડાવી અને જણાવ્યું કે બધા
ઓફિસરો આવી ગયા હતા. પરીક્ષિત મિટિંગ રૂમમાં
પ્રવેશ્યો. અત્યારસુધી બનેલા બનાવો અને હકીકત ની
સમીક્ષા કરી અને સલાહસૂચનો આવકાર્યા.
કુરેશી અને ખતીજા વિશે શક્ય તેટલી માહિતી
મેળવવાનું નક્કી થયું. વાહીદ, વઝીર, કાલિપ્રસાદ અને
પીટર ની હિલચાલ ઉપર નજર રાખવાનું પણ નક્કી થયું.
આઝાદ ઈમ્પોર્ટસ પર છાપો મારવાની દરખાસ્ત મંજુર થઇ.
બાંગ્લાદેશ હાઈકમિશનની ફોન લાઈન પરનો સંદેશ
વ્યવહાર આંતરવા માટે કોર્ટની મંજૂરી પણ મેળવી લેવી,
એવું નક્કી થયું.એનરિચ્ડ યુરેનિયમની ભાળ મેળવવા
માટે કોઈ નક્કર સૂચનો ન ઉદભવ્યા.અંતે એમ નક્કી
થયું કે કુરેશી અથવા પીટર પાસેથી બાતમી કઢાવવી.
પરીક્ષિતે સંમતિસૂચક વલણ તો અપનાવ્યું પણ
એનરિચ્ડ યુરેનિયમ નો પ્રશ્ન એક વણથંભ્યા દાવાનળની
જેમ સળગતો રહ્યો. ત્રણ દિવસની મુદતમાં આ બધી
કાર્યવાહી પુરી કરવાનો આદેશ આપ્યો અને મિટિંગ
બરખાસ્ત કરી.
પરીક્ષિત પોતાની ઓફિસ માં પાછો ફર્યો.
એનરિચ્ડ યુરેનિયમનો પ્રશ્ન પડછાયાની જેમ જ પીછો
કરતો હતો. એનું મન એક વૈજ્ઞાનિકની ઢબે નિરાકરણ
કરવા લલચાયું. હકીકતોની હારમાળાના મણકા
વેરણછેરણ પડ્યા હતા. હકીકત એ હતીકે યુરેનિયમ
લાપત્તા છે.હકીકત એ હતી કે એક ભયંકર ષડ્યંત્રનો
અમલ થશે, હકીકત એ હતી કે વિના વિલંબે બધા
પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો ભયાનક પરિણામો
નિશ્ચિત હતા. પરીક્ષિતની હૈયાસૂઝ સતેજ થઇ. હકીકતો
ની હારમાળાના વેરાયેલા મણકાઓને એકત્રિત કરવા
જ રહ્યા. મણકા પરોવવા માટે દોરો ક્યાંથી લાવવો?
દોરાનો વિચાર કરતા એમ લાગ્યું કે કદાચ ભુલથાપ
આપવા માટે તો આ મણકાઓને વેરવામાં નહીં
આવ્યા હોય ને! આંધળે બહેરું તો નહીં કૂટાતું હોય ને!
ખોટી દિશામાં આંગળી ચીંધીને કોઈ ભરમાવે છે કે શું?
શંકાના વાદળો ઘેરાયા, ઘનિષ્ઠ થયા અને પરીક્ષિતની
ભીંતર વસેલું વૈજ્ઞાનિક અસ્તિત્વ આ શંકાનું સમાધાન
કરવા ઉતાવળું અને ઉત્સુક થયું.
ડો. લાખાણી કામ પતાવીને આર્થરરોડ
હોસ્પિટલમાંથી નીકળ્યા. સાંજના ઇન્ડિયન મેડિકલ
એસોસિએશન ની મિટિંગ માં હાજરી આપવાની હતી.
મિટિંગ તો દર મહિને નિયમિત યોજવામાં આવતી
પણ એમની હાજરી નિયમિતપણે અનિયમિત રહેતી.
આજની મિટિંગ એક મોટી ફાર્માસ્યુટિકલ કંપનીના
સૌજન્યને આભારી હતી. તાજેતરમાં જ બંધાયેલા
ઝંકાર નામના હોલ માં આયોજન કરવામાં આવ્યું હતું.
હોલ અદ્યતન સગવડો ધરાવતો હતો એટલુંજ નહીં પણ,
પાર્કિંગની પળોજણને પહોંચી વળવાનો પ્રબંધ પણ
કરવામાં આવેલો હતો. હોલનું દૈનિક ભાડું તો કોઈ
રાજકીય નેતાની કુલ સત્તાવાર અને બિનસત્તાવાર
આવકથી પણ વધારે હતું. સામાન્યતઃ આવી મીટીંગોમાં
શિષ્ટાચારનો રિવાજ હોય છે અને ક્યારેક બીજા આચરણ પણ થતા રહે છે.