Category Archives: Gujarati Novel

ભીંતરના વ્હેણ પ્રકરણ ૨૬

                            પ્રકરણ  26   

 કુરેશી માટે એક મુસીબત ખડી  થઇ ગઈ. યુરેનિયમ નું શું કરવું? 

બજારમાં વેચવા નીકળે તો ગ્રાહકો તો ઘણા મળી રહે પણ એમાં 

જોખમ મોટું હતું.ઘણી વાર વિચાર કર્યા પછી એણે ચીની જાસૂસી 

ખાતાની સલાહ અને સહાય માંગવાનો નિર્ણય કર્યો. આમેય ચીની

જાસૂસી ખાતું ઇન્ડિયા નું હમદર્દ ન’તું. એટલે વાત ખાનગી જ 

રહેવાની હતી.અલબત્ત, કુરેશી એન્રીચડ યુરેનિયમ પાણીના 

ભાવે તો નહોતો જ વેચવાનો. કુરેશીને એ પણ ખાતરી હતી 

કે ચીની જાસૂસી ખાતાને પણ સગવડ સાચવી લેતા  આવડતું

 હતું. કુરેશી પણ શેષ જીવન  સુખચેન માં વિતાવવા માંગતો 

હતો. એટલું જ નહીં પણ જરૂર પડ્યે આતંકવાદને ઉશ્કેરવા 

માટે પોતાની ધનસંપત્તિનો ઉપયોગ કરવા ઉત્સુક અને આતુર 

હતો. કોણે કહ્યું કે ધનવાન આરબ રાજ્યો જ છૂટ થી પૈસા વેરીને 

ઇસ્લામી ધર્મઝનૂનને સળગતું રાખી શકે છે! કુરેશી નો પ્લાન 

કઈં દૂરંદેશી ભર્યો તો ન હતો પણ વ્યવહારુ હતો. પોતાના 

પૈસા ખર્ચીને એ સમૃદ્ધ આરબ રાજ્યો ની વિરુદ્ધ અસંતોષ 

ના બીજ વાવી શકે, ત્યાંની પ્રજામાં લોકશાહી નો પ્રચાર 

કરી શકે. મુઠ્ઠીભર શેખ, અમીરો અને સુલતાનોના આસન 

ડોલાવે અને તેનાથી ધનવાન આરબ રાજ્યો માટે અસહ્ય 

પરિસ્થિતિ સર્જાય. કુરેશી આવા રાજ્યકર્તાઓની વ્હારે 

ધાય અને એમની સલ્તનત અને અમીરાત બચાવે અને 

આભારની લાગણી પ્રદર્શિત કરવા માટે આરબ રાજ્યો 

એને  સારો જેવો શિરપાવ પણ આપે.

                     કુરેશી અન્ય તકસાધુઓ જેવો જ હતો. 

અંગત સ્વાર્થના સાધકો અને તકસાધુઓ આતંકવાદ , 

નેતૃત્વ, ધર્મપ્રચાર અને કોમવાદ જેવા કઈંક મ્હોરાંઓ 

પહેરીને અનાદિકાળથી લોકોને હોળીનું નાળિયેર 

બનાવતા રહ્યા છે અને રહેશે., જ્યાં સુધી લોકોના 

દ્ર્ષ્ટિબિંદુઓ અને દ્રષ્ટિકોણ ઉપર સદીઓથી જામી 

ગયેલા પૂર્વગ્રહના પડ નહીં ઉખડે. એટલું યાદ રહે કે 

તકસાધુઓના  પંથમાં ભેદભાવ નથી, તેઓ વિશ્વવ્યાપી 

છે.સમગ્ર વિશ્વના રાજકીય, સામાજિક, આર્થિક 

ધાર્મિક તેમજ નૈતિક ક્ષેત્રોમાં હાજરાહજૂર છે.

                            ત્રિશૂળની સર્વેલન્સ ટિમ ના બે સદસ્યો 

“પ્રભુ કૃપા” પર અવતર્યા. 

ફ્લેટ ૨-B  અને ૨-D જમણી બાજુએ હતા. લિફ્ટના બે 

પડખે દાદરા હતા. ડાબે  પડખે નીચે જવાનો અને 

જમણે પડખે દાદરો ઉપર જતો. પરસાળમાં એક ટ્યુબ 

લાઈટ હતી અને એના ફિક્સચર માં ફ્લેટ ૨-D  ની 

અવરજવર પર નજર રાખી શકે એવા મોશન ડિટેક્ટર 

સેન્સર ઓપરેટેડ કેમેરા ફિટ કરવામાં આવ્યા. 

કેમેરામાં ઝડપાયેલા દ્રશ્યો ફોન લાઈન મારફતે ત્રિશૂળ 

ના કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરવાની વ્યવસ્થા થઇ ગઈ. 

જાળ બિછાવી તો ખરી પણ સપડાશે કોણ?

            વાહીદ કુરેશીની ઓફિસમાંથી બહાર નીકળ્યો. 

વઝીર આરામ કરવા માટે એના આવાસ તરફ વળ્યો. 

વાહિદે અસ્વસ્થતા દૂર કરવા હાઈકમિશન ની બહાર 

દરિયાકિનારે જવાનો નિર્ણય કર્યો.અદતમુજબ એ 

ચારેકોર સાવધાનીભરી નજર નાખતો હતો. રસ્તાની 

સામેની બાજુએ રેસકોર્સ ના દરવાજા પાસે એક 

સેન્ડવિચ વેચનારને જોયો. વહીદનું કુતુહલ સળવળ્યું. 

જો કે આ કઈં નવું નહોતું.આવા દુકાનદારો તો શહેરમાં 

કીડીયારાની જેમ ઉભરાતા હતા.નગરપાલિકા અને 

પોલીસખાતાની મહેરબાની આ કીડીયારાને ફોલી ખાતી. 

એમનું શોષણ કરતી;પરંતુ રૃશ્વતખોર હાથીઓને મણ 

આપનાર આ કીડીયારાઓને કણ આપતો જ રહે છે. 

એક પરોપજીવી જીવન ઘટમાળની સાંકળના આ 

મણકાઓ એનો સબળ પુરાવોછે.

          વાહીદ રસ્તો ઓળંગીને સેન્ડવિચ વેચનાર તરફ 

વળ્યો. સેન્ડવિચ વેચનારે વહીદને હાઈકમિશનમાંથી 

બહાર નીકળતો જોઈને એનો ફોટો  લઈને ત્રિશૂળ  

પર મોકલ્યો. તરત જ જવાબમાં  ત્રિશૂળ તરફથી 

વાહીદ વિશેની બાતમી અને સાવધાની રાખવાની 

સૂચના મળી. વાહિદે સેન્ડવિચનો ઓર્ડર આપ્યો. 

ત્રિશૂળ ના સેન્ડવિચ વેચનારે સેન્ડવિચ ઉપર 

કલોરલહાઇડ્રેટથી ભરપૂર ચટણી લગાડી. ક્લોરલહાઇડ્રેટ 

સ્વાદ, ગંધ અને વાસ વગરની ઘેન ની દવા છે. એટલે 

કાવતરાની ગંધ આવવાની શક્યતા નહોતી.વાહીદ 

સેન્ડવિચ ખાતા ખાતા ઔપચારિક વાતોએ વળગ્યો. 

સેન્ડવિચ પુરી થવા આવી એટલે એને એક પાણીની 

બોટલ ખરીદી.પાણીમાં પણ એજ ઘેન ની દવા હતી. 

વાહીદ પોણી બોટલ ગટગટાવી ગયોઅને દરિયા તરફ 

વળ્યો. દશેક ડગલાં મંદ ચાલ્યો હશે અને એની આંખે 

અંધારા આવ્યા.દ્રષ્ટિ ઝાંખી થઇ. અચાનક પગ લથડ્યો 

અને મામલો બિચકી જાય એ પહેલા ત્રિશુલના ઓફિસરે 

વાહિદની  સહાય કરી અને રેસકોર્સની દીવાલ પાછળ દોર્યો.

જતાવતા લોકોની નજર ન પડે તેમ સુવાડ્યો.

ત્યારબાદ ત્રિશૂલને ફોન કર્યો અને કહ્યું કે ” ગ્રાહક સેન્ડવિચ 

ખાઈને ઘસઘસાટ ઊંઘી રહ્યો છે.” અડધા કલાકમાં ત્રિશૂળ ની 

એમ્બ્યુલન્સ આવી અને વહીદને લઇ ગઈ.

            આર્થર રોડ હોસ્પિટલના કોમ્પ્લેક્સમાં એક જૂનું મકાન 

હતું જ્યાં રક્તપિત્ત એટલે લેપ્રસી જેવા કુષ્ટ રોગોથી પીડાતા 

દર્દીઓની સારવાર કરવામાં આવતી. ઘણા વખતથી આ 

રોગનો ફેલાવો અટક્યો હતો, નાબૂદ તો નહોતો થયો પણ 

આવા રોગોની સારવાર માટે નાસિક નજીક એક આરોગ્યધામ 

સ્થાપવામાં આવ્યું હતું.અહીં રોગીઓના ઉપચાર અને ઉદ્ધાર 

માટેની સવલતો હતી.કલંક સમાન ગણાતા આ રોગના 

કમનસીબ દર્દીઓને સ્વાવલંબી અને ઉદ્યમી બનાવવાના 

પ્રયત્નોને સફળતા મળી હતી.જો કે જુનવાણી અને રૂઢિચુસ્ત માન્યતાઓને  લીધે આવા દર્દીઓ અછૂત જેવી હાલતમાં 

જીવતા. શારીરિક અને માનસિક રોગોનો ઈલાજ સફળતાથી 

કરનાર ડોકટરો પણ પારંપારિક માન્યતાઓનો કોઈ ઈલાજ 

કરી શકે એમ નહોતા. બહારથી જૂનું લાગતું આર્થરરોડ 

હોસ્પિટલ નું મકાન અંદરથી અદ્યતન સુવિધાઓ ધરાવતું 

હતું. વિવિધ લેબોરેટરીઓ, ઓપરેશન થીએટર અને એવી 

તો કૈંક સગવડો હતી. ત્રિશુલના વપરાશને અનુરૂપ આ મકાન 

અસ્તિત્વમાં નહોતું. સરકારી દસ્તાવેજો માં મકાન તોડી 

નાખ્યાની નોંધ હતી.

      એમ્બ્યુલન્સ વહીદને લઈને સીધી આર્થર રોડ હોસ્પિટલ માં 

પહોંચી ગઈ.ડોક્ટર યશવંત લાખાણીએ વહીદને તાબડતોબ 

ઓપરેશન થિએટરમાં લઇ જવાની સૂચના આપી. વ્યવસાયે 

એનેસ્થિસિઓલોજીસ્ટ ડોક્ટર લાખાણી બેભાન માણસ 

પાસેથી બાતમી કઢાવવામાં અજોડ હતા. જાતજાતના 

ઔષધો અને રસાયણો વાપરીને બેભાન માણસ ના 

મગજનો ખૂણેખૂણો ખૂંદી વળે અને બાતમી કઢાવે. 

કેમિકલ્સની માત્રા હળવી હોય તો પેલો માણસ ભાનમાં 

આવે ત્યારે એની યાદદાસ્ત, તાજેતરમાં બનેલા બનાવો 

વિશે બેખબર હોય છે. વિકલ્પે જો બાતમી કઢાવવા 

માટે વપરાયેલા કેમિકલ્સ ખતરનાક હોય તો યાદદાસ્ત 

હ્મ્મેશ માટે જતી રહે. આમેય આવા ભુલા ભટકેલાઓનો 

ક્યાં તોટો છે! એકનો વધારો થાય એટલુંજ.

                              ડો.લાખાણીએ કસબ અજમાવ્યો અને 

વાહીદની વાચા  ફૂટી નીકળી. કુરેશી, ખતીજા, વઝીર, 

કાલિપ્રસાદ અને પીટર નામોનો ઉલ્લેખ થયો. એ પણ 

જાણવા મળ્યું કે કુરેશી કોઈક ખતરનાક યોજના ઘડી રહતો.

અણુકેન્દ્રના કાફલાને કેવી રીતે ખોરંભે ચડાવવામાં આવ્યો 

તેની અક્ષરઃશ માહિતી  મળી. વાહિદે ખાત્રીપૂર્વક જણાવ્યું 

કે એનરિચ્ડ યુરેનિયમ અણુકેન્દ્રની કારમાં બાંગ્લાદેશ 

હાઈકમિશન ના કબજા માં સલામત હતું. પરીક્ષિતને આ 

માહિતી પહોંચાડવામાં આવી. કુરેશી અને ખતીજાના 

નામો સિવાય બીજું કઈં નવું જાણવા ન મળ્યું.

          ગૌતમ દીવાનના  કહેવા પ્રમાણે એનરિચ્ડ યુરેનિયમ 

અણુકેન્દ્રની  કારમાં તો નહોતું. પરીક્ષિતની મૂંઝવણ અપાર

 હતી. ક્યાં હશે એનરિચ્ડ યુરેનિયમ? પરીક્ષિતની સેક્રેટરીએ 

સ્ટાફ મિટિંગની યાદ દેવડાવી અને જણાવ્યું કે બધા 

ઓફિસરો આવી ગયા હતા. પરીક્ષિત મિટિંગ રૂમમાં 

પ્રવેશ્યો. અત્યારસુધી બનેલા બનાવો અને હકીકત ની 

સમીક્ષા કરી અને સલાહસૂચનો આવકાર્યા.

          કુરેશી અને ખતીજા વિશે શક્ય તેટલી માહિતી 

મેળવવાનું નક્કી થયું. વાહીદ, વઝીર, કાલિપ્રસાદ અને 

પીટર ની હિલચાલ ઉપર નજર રાખવાનું પણ નક્કી થયું. 

આઝાદ ઈમ્પોર્ટસ પર છાપો મારવાની દરખાસ્ત મંજુર થઇ. 

બાંગ્લાદેશ હાઈકમિશનની ફોન લાઈન પરનો સંદેશ 

વ્યવહાર આંતરવા માટે કોર્ટની મંજૂરી પણ મેળવી લેવી, 

એવું નક્કી થયું.એનરિચ્ડ યુરેનિયમની ભાળ મેળવવા 

માટે કોઈ નક્કર સૂચનો ન ઉદભવ્યા.અંતે એમ નક્કી 

થયું કે કુરેશી અથવા પીટર પાસેથી બાતમી કઢાવવી. 

પરીક્ષિતે સંમતિસૂચક વલણ તો અપનાવ્યું પણ 

એનરિચ્ડ યુરેનિયમ નો પ્રશ્ન એક વણથંભ્યા દાવાનળની 

જેમ સળગતો રહ્યો. ત્રણ દિવસની મુદતમાં આ બધી 

કાર્યવાહી પુરી કરવાનો આદેશ આપ્યો અને મિટિંગ 

બરખાસ્ત કરી.

          પરીક્ષિત પોતાની ઓફિસ માં પાછો ફર્યો. 

એનરિચ્ડ યુરેનિયમનો પ્રશ્ન પડછાયાની જેમ જ પીછો 

કરતો હતો. એનું મન એક વૈજ્ઞાનિકની ઢબે નિરાકરણ 

કરવા લલચાયું. હકીકતોની  હારમાળાના મણકા 

વેરણછેરણ પડ્યા હતા. હકીકત એ હતીકે યુરેનિયમ 

લાપત્તા છે.હકીકત એ હતી કે એક ભયંકર ષડ્યંત્રનો 

અમલ થશે, હકીકત એ હતી કે વિના વિલંબે બધા 

પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો ભયાનક પરિણામો 

નિશ્ચિત હતા. પરીક્ષિતની હૈયાસૂઝ સતેજ થઇ. હકીકતો 

ની હારમાળાના વેરાયેલા મણકાઓને એકત્રિત કરવા 

જ રહ્યા. મણકા પરોવવા માટે દોરો ક્યાંથી લાવવો? 

દોરાનો વિચાર કરતા એમ લાગ્યું કે  કદાચ ભુલથાપ 

આપવા માટે તો આ મણકાઓને વેરવામાં નહીં 

આવ્યા હોય ને! આંધળે બહેરું તો નહીં કૂટાતું હોય ને!  

ખોટી દિશામાં આંગળી ચીંધીને કોઈ ભરમાવે છે કે શું? 

શંકાના વાદળો ઘેરાયા, ઘનિષ્ઠ થયા અને પરીક્ષિતની 

ભીંતર વસેલું વૈજ્ઞાનિક અસ્તિત્વ આ શંકાનું સમાધાન 

કરવા ઉતાવળું અને ઉત્સુક થયું.

                         ડો. લાખાણી કામ પતાવીને આર્થરરોડ 

હોસ્પિટલમાંથી નીકળ્યા. સાંજના ઇન્ડિયન મેડિકલ 

એસોસિએશન ની મિટિંગ માં હાજરી આપવાની હતી. 

મિટિંગ તો  દર  મહિને નિયમિત યોજવામાં આવતી 

પણ એમની હાજરી નિયમિતપણે અનિયમિત રહેતી. 

આજની મિટિંગ એક મોટી ફાર્માસ્યુટિકલ કંપનીના 

સૌજન્યને આભારી હતી. તાજેતરમાં જ બંધાયેલા 

ઝંકાર નામના હોલ માં આયોજન કરવામાં આવ્યું હતું. 

હોલ અદ્યતન સગવડો ધરાવતો હતો એટલુંજ નહીં પણ, 

પાર્કિંગની પળોજણને પહોંચી વળવાનો પ્રબંધ પણ  

કરવામાં આવેલો હતો. હોલનું દૈનિક ભાડું તો કોઈ 

રાજકીય નેતાની કુલ સત્તાવાર અને બિનસત્તાવાર 

આવકથી પણ વધારે હતું. સામાન્યતઃ આવી મીટીંગોમાં 

શિષ્ટાચારનો રિવાજ હોય છે અને ક્યારેક બીજા  આચરણ પણ થતા રહે છે.                         

ભીંતર ના વ્હેણ

                            પ્રકરણ  26   

 કુરેશી માટે એક મુસીબત ખડી  થઇ ગઈ. યુરેનિયમ નું શું કરવું? 

બજારમાં વેચવા નીકળે તો ગ્રાહકો તો ઘણા મળી રહે પણ એમાં 

જોખમ મોટું હતું.ઘણી વાર વિચાર કર્યા પછી એણે ચીની જાસૂસી 

ખાતાની સલાહ અને સહાય માંગવાનો નિર્ણય કર્યો. આમેય ચીની

જાસૂસી ખાતું ઇન્ડિયા નું હમદર્દ ન’તું. એટલે વાત ખાનગી જ 

રહેવાની હતી.અલબત્ત, કુરેશી એન્રીચડ યુરેનિયમ પાણીના 

ભાવે તો નહોતો જ વેચવાનો. કુરેશીને એ પણ ખાતરી હતી 

કે ચીની જાસૂસી ખાતાને પણ સગવડ સાચવી લેતા  આવડતું

 હતું. કુરેશી પણ શેષ જીવન  સુખચેન માં વિતાવવા માંગતો 

હતો. એટલું જ નહીં પણ જરૂર પડ્યે આતંકવાદને ઉશ્કેરવા 

માટે પોતાની ધનસંપત્તિનો ઉપયોગ કરવા ઉત્સુક અને આતુર 

હતો. કોણે કહ્યું કે ધનવાન આરબ રાજ્યો જ છૂટ થી પૈસા વેરીને 

ઇસ્લામી ધર્મઝનૂનને સળગતું રાખી શકે છે! કુરેશી નો પ્લાન 

કઈં દૂરંદેશી ભર્યો તો ન હતો પણ વ્યવહારુ હતો. પોતાના 

પૈસા ખર્ચીને એ સમૃદ્ધ આરબ રાજ્યો ની વિરુદ્ધ અસંતોષ 

ના બીજ વાવી શકે, ત્યાંની પ્રજામાં લોકશાહી નો પ્રચાર 

કરી શકે. મુઠ્ઠીભર શેખ, અમીરો અને સુલતાનોના આસન 

ડોલાવે અને તેનાથી ધનવાન આરબ રાજ્યો માટે અસહ્ય 

પરિસ્થિતિ સર્જાય. કુરેશી આવા રાજ્યકર્તાઓની વ્હારે 

ધાય અને એમની સલ્તનત અને અમીરાત બચાવે અને 

આભારની લાગણી પ્રદર્શિત કરવા માટે આરબ રાજ્યો 

એને  સારો જેવો શિરપાવ પણ આપે.

                     કુરેશી અન્ય તકસાધુઓ જેવો જ હતો. 

અંગત સ્વાર્થના સાધકો અને તકસાધુઓ આતંકવાદ , 

નેતૃત્વ, ધર્મપ્રચાર અને કોમવાદ જેવા કઈંક મ્હોરાંઓ 

પહેરીને અનાદિકાળથી લોકોને હોળીનું નાળિયેર 

બનાવતા રહ્યા છે અને રહેશે., જ્યાં સુધી લોકોના 

દ્ર્ષ્ટિબિંદુઓ અને દ્રષ્ટિકોણ ઉપર સદીઓથી જામી 

ગયેલા પૂર્વગ્રહના પડ નહીં ઉખડે. એટલું યાદ રહે કે 

તકસાધુઓના  પંથમાં ભેદભાવ નથી, તેઓ વિશ્વવ્યાપી 

છે.સમગ્ર વિશ્વના રાજકીય, સામાજિક, આર્થિક 

ધાર્મિક તેમજ નૈતિક ક્ષેત્રોમાં હાજરાહજૂર છે.

                            ત્રિશૂળની સર્વેલન્સ ટિમ ના બે સદસ્યો 

“પ્રભુ કૃપા” પર અવતર્યા. 

ફ્લેટ ૨-B  અને ૨-D જમણી બાજુએ હતા. લિફ્ટના બે 

પડખે દાદરા હતા. ડાબે  પડખે નીચે જવાનો અને 

જમણે પડખે દાદરો ઉપર જતો. પરસાળમાં એક ટ્યુબ 

લાઈટ હતી અને એના ફિક્સચર માં ફ્લેટ ૨-D  ની 

અવરજવર પર નજર રાખી શકે એવા મોશન ડિટેક્ટર 

સેન્સર ઓપરેટેડ કેમેરા ફિટ કરવામાં આવ્યા. 

કેમેરામાં ઝડપાયેલા દ્રશ્યો ફોન લાઈન મારફતે ત્રિશૂળ 

ના કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરવાની વ્યવસ્થા થઇ ગઈ. 

જાળ બિછાવી તો ખરી પણ સપડાશે કોણ?

            વાહીદ કુરેશીની ઓફિસમાંથી બહાર નીકળ્યો. 

વઝીર આરામ કરવા માટે એના આવાસ તરફ વળ્યો. 

વાહિદે અસ્વસ્થતા દૂર કરવા હાઈકમિશન ની બહાર 

દરિયાકિનારે જવાનો નિર્ણય કર્યો.અદતમુજબ એ 

ચારેકોર સાવધાનીભરી નજર નાખતો હતો. રસ્તાની 

સામેની બાજુએ રેસકોર્સ ના દરવાજા પાસે એક 

સેન્ડવિચ વેચનારને જોયો. વહીદનું કુતુહલ સળવળ્યું. 

જો કે આ કઈં નવું નહોતું.આવા દુકાનદારો તો શહેરમાં 

કીડીયારાની જેમ ઉભરાતા હતા.નગરપાલિકા અને 

પોલીસખાતાની મહેરબાની આ કીડીયારાને ફોલી ખાતી. 

એમનું શોષણ કરતી;પરંતુ રૃશ્વતખોર હાથીઓને મણ 

આપનાર આ કીડીયારાઓને કણ આપતો જ રહે છે. 

એક પરોપજીવી જીવન ઘટમાળની સાંકળના આ 

મણકાઓ એનો સબળ પુરાવોછે.

          વાહીદ રસ્તો ઓળંગીને સેન્ડવિચ વેચનાર તરફ 

વળ્યો. સેન્ડવિચ વેચનારે વહીદને હાઈકમિશનમાંથી 

બહાર નીકળતો જોઈને એનો ફોટો  લઈને ત્રિશૂળ  

પર મોકલ્યો. તરત જ જવાબમાં  ત્રિશૂળ તરફથી 

વાહીદ વિશેની બાતમી અને સાવધાની રાખવાની 

સૂચના મળી. વાહિદે સેન્ડવિચનો ઓર્ડર આપ્યો. 

ત્રિશૂળ ના સેન્ડવિચ વેચનારે સેન્ડવિચ ઉપર 

કલોરલહાઇડ્રેટથી ભરપૂર ચટણી લગાડી. ક્લોરલહાઇડ્રેટ 

સ્વાદ, ગંધ અને વાસ વગરની ઘેન ની દવા છે. એટલે 

કાવતરાની ગંધ આવવાની શક્યતા નહોતી.વાહીદ 

સેન્ડવિચ ખાતા ખાતા ઔપચારિક વાતોએ વળગ્યો. 

સેન્ડવિચ પુરી થવા આવી એટલે એને એક પાણીની 

બોટલ ખરીદી.પાણીમાં પણ એજ ઘેન ની દવા હતી. 

વાહીદ પોણી બોટલ ગટગટાવી ગયોઅને દરિયા તરફ 

વળ્યો. દશેક ડગલાં મંદ ચાલ્યો હશે અને એની આંખે 

અંધારા આવ્યા.દ્રષ્ટિ ઝાંખી થઇ. અચાનક પગ લથડ્યો 

અને મામલો બિચકી જાય એ પહેલા ત્રિશુલના ઓફિસરે 

વાહિદની  સહાય કરી અને રેસકોર્સની દીવાલ પાછળ દોર્યો.

જતાવતા લોકોની નજર ન પડે તેમ સુવાડ્યો.

ત્યારબાદ ત્રિશૂલને ફોન કર્યો અને કહ્યું કે ” ગ્રાહક સેન્ડવિચ 

ખાઈને ઘસઘસાટ ઊંઘી રહ્યો છે.” અડધા કલાકમાં ત્રિશૂળ ની 

એમ્બ્યુલન્સ આવી અને વહીદને લઇ ગઈ.

            આર્થર રોડ હોસ્પિટલના કોમ્પ્લેક્સમાં એક જૂનું મકાન 

હતું જ્યાં રક્તપિત્ત એટલે લેપ્રસી જેવા કુષ્ટ રોગોથી પીડાતા 

દર્દીઓની સારવાર કરવામાં આવતી. ઘણા વખતથી આ 

રોગનો ફેલાવો અટક્યો હતો, નાબૂદ તો નહોતો થયો પણ 

આવા રોગોની સારવાર માટે નાસિક નજીક એક આરોગ્યધામ 

સ્થાપવામાં આવ્યું હતું.અહીં રોગીઓના ઉપચાર અને ઉદ્ધાર 

માટેની સવલતો હતી.કલંક સમાન ગણાતા આ રોગના 

કમનસીબ દર્દીઓને સ્વાવલંબી અને ઉદ્યમી બનાવવાના 

પ્રયત્નોને સફળતા મળી હતી.જો કે જુનવાણી અને રૂઢિચુસ્ત માન્યતાઓને  લીધે આવા દર્દીઓ અછૂત જેવી હાલતમાં 

જીવતા. શારીરિક અને માનસિક રોગોનો ઈલાજ સફળતાથી 

કરનાર ડોકટરો પણ પારંપારિક માન્યતાઓનો કોઈ ઈલાજ 

કરી શકે એમ નહોતા. બહારથી જૂનું લાગતું આર્થરરોડ 

હોસ્પિટલ નું મકાન અંદરથી અદ્યતન સુવિધાઓ ધરાવતું 

હતું. વિવિધ લેબોરેટરીઓ, ઓપરેશન થીએટર અને એવી 

તો કૈંક સગવડો હતી. ત્રિશુલના વપરાશને અનુરૂપ આ મકાન 

અસ્તિત્વમાં નહોતું. સરકારી દસ્તાવેજો માં મકાન તોડી 

નાખ્યાની નોંધ હતી.

      એમ્બ્યુલન્સ વહીદને લઈને સીધી આર્થર રોડ હોસ્પિટલ માં 

પહોંચી ગઈ.ડોક્ટર યશવંત લાખાણીએ વહીદને તાબડતોબ 

ઓપરેશન થિએટરમાં લઇ જવાની સૂચના આપી. વ્યવસાયે 

એનેસ્થિસિઓલોજીસ્ટ ડોક્ટર લાખાણી બેભાન માણસ 

પાસેથી બાતમી કઢાવવામાં અજોડ હતા. જાતજાતના 

ઔષધો અને રસાયણો વાપરીને બેભાન માણસ ના 

મગજનો ખૂણેખૂણો ખૂંદી વળે અને બાતમી કઢાવે. 

કેમિકલ્સની માત્રા હળવી હોય તો પેલો માણસ ભાનમાં 

આવે ત્યારે એની યાદદાસ્ત, તાજેતરમાં બનેલા બનાવો 

વિશે બેખબર હોય છે. વિકલ્પે જો બાતમી કઢાવવા 

માટે વપરાયેલા કેમિકલ્સ ખતરનાક હોય તો યાદદાસ્ત 

હ્મ્મેશ માટે જતી રહે. આમેય આવા ભુલા ભટકેલાઓનો 

ક્યાં તોટો છે! એકનો વધારો થાય એટલુંજ.

                              ડો.લાખાણીએ કસબ અજમાવ્યો અને 

વાહીદની વાચા  ફૂટી નીકળી. કુરેશી, ખતીજા, વઝીર, 

કાલિપ્રસાદ અને પીટર નામોનો ઉલ્લેખ થયો. એ પણ 

જાણવા મળ્યું કે કુરેશી કોઈક ખતરનાક યોજના ઘડી રહતો.

અણુકેન્દ્રના કાફલાને કેવી રીતે ખોરંભે ચડાવવામાં આવ્યો 

તેની અક્ષરઃશ માહિતી  મળી. વાહિદે ખાત્રીપૂર્વક જણાવ્યું 

કે એનરિચ્ડ યુરેનિયમ અણુકેન્દ્રની કારમાં બાંગ્લાદેશ 

હાઈકમિશન ના કબજા માં સલામત હતું. પરીક્ષિતને આ 

માહિતી પહોંચાડવામાં આવી. કુરેશી અને ખતીજાના 

નામો સિવાય બીજું કઈં નવું જાણવા ન મળ્યું.

          ગૌતમ દીવાનના  કહેવા પ્રમાણે એનરિચ્ડ યુરેનિયમ 

અણુકેન્દ્રની  કારમાં તો નહોતું. પરીક્ષિતની મૂંઝવણ અપાર

 હતી. ક્યાં હશે એનરિચ્ડ યુરેનિયમ? પરીક્ષિતની સેક્રેટરીએ 

સ્ટાફ મિટિંગની યાદ દેવડાવી અને જણાવ્યું કે બધા 

ઓફિસરો આવી ગયા હતા. પરીક્ષિત મિટિંગ રૂમમાં 

પ્રવેશ્યો. અત્યારસુધી બનેલા બનાવો અને હકીકત ની 

સમીક્ષા કરી અને સલાહસૂચનો આવકાર્યા.

          કુરેશી અને ખતીજા વિશે શક્ય તેટલી માહિતી 

મેળવવાનું નક્કી થયું. વાહીદ, વઝીર, કાલિપ્રસાદ અને 

પીટર ની હિલચાલ ઉપર નજર રાખવાનું પણ નક્કી થયું. 

આઝાદ ઈમ્પોર્ટસ પર છાપો મારવાની દરખાસ્ત મંજુર થઇ. 

બાંગ્લાદેશ હાઈકમિશનની ફોન લાઈન પરનો સંદેશ 

વ્યવહાર આંતરવા માટે કોર્ટની મંજૂરી પણ મેળવી લેવી, 

એવું નક્કી થયું.એનરિચ્ડ યુરેનિયમની ભાળ મેળવવા 

માટે કોઈ નક્કર સૂચનો ન ઉદભવ્યા.અંતે એમ નક્કી 

થયું કે કુરેશી અથવા પીટર પાસેથી બાતમી કઢાવવી. 

પરીક્ષિતે સંમતિસૂચક વલણ તો અપનાવ્યું પણ 

એનરિચ્ડ યુરેનિયમ નો પ્રશ્ન એક વણથંભ્યા દાવાનળની 

જેમ સળગતો રહ્યો. ત્રણ દિવસની મુદતમાં આ બધી 

કાર્યવાહી પુરી કરવાનો આદેશ આપ્યો અને મિટિંગ 

બરખાસ્ત કરી.

          પરીક્ષિત પોતાની ઓફિસ માં પાછો ફર્યો. 

એનરિચ્ડ યુરેનિયમનો પ્રશ્ન પડછાયાની જેમ જ પીછો 

કરતો હતો. એનું મન એક વૈજ્ઞાનિકની ઢબે નિરાકરણ 

કરવા લલચાયું. હકીકતોની  હારમાળાના મણકા 

વેરણછેરણ પડ્યા હતા. હકીકત એ હતીકે યુરેનિયમ 

લાપત્તા છે.હકીકત એ હતી કે એક ભયંકર ષડ્યંત્રનો 

અમલ થશે, હકીકત એ હતી કે વિના વિલંબે બધા 

પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો ભયાનક પરિણામો 

નિશ્ચિત હતા. પરીક્ષિતની હૈયાસૂઝ સતેજ થઇ. હકીકતો 

ની હારમાળાના વેરાયેલા મણકાઓને એકત્રિત કરવા 

જ રહ્યા. મણકા પરોવવા માટે દોરો ક્યાંથી લાવવો? 

દોરાનો વિચાર કરતા એમ લાગ્યું કે  કદાચ ભુલથાપ 

આપવા માટે તો આ મણકાઓને વેરવામાં નહીં 

આવ્યા હોય ને! આંધળે બહેરું તો નહીં કૂટાતું હોય ને!  

ખોટી દિશામાં આંગળી ચીંધીને કોઈ ભરમાવે છે કે શું? 

શંકાના વાદળો ઘેરાયા, ઘનિષ્ઠ થયા અને પરીક્ષિતની 

ભીંતર વસેલું વૈજ્ઞાનિક અસ્તિત્વ આ શંકાનું સમાધાન 

કરવા ઉતાવળું અને ઉત્સુક થયું.

                         ડો. લાખાણી કામ પતાવીને આર્થરરોડ 

હોસ્પિટલમાંથી નીકળ્યા. સાંજના ઇન્ડિયન મેડિકલ 

એસોસિએશન ની મિટિંગ માં હાજરી આપવાની હતી. 

મિટિંગ તો  દર  મહિને નિયમિત યોજવામાં આવતી 

પણ એમની હાજરી નિયમિતપણે અનિયમિત રહેતી. 

આજની મિટિંગ એક મોટી ફાર્માસ્યુટિકલ કંપનીના 

સૌજન્યને આભારી હતી. તાજેતરમાં જ બંધાયેલા 

ઝંકાર નામના હોલ માં આયોજન કરવામાં આવ્યું હતું. 

હોલ અદ્યતન સગવડો ધરાવતો હતો એટલુંજ નહીં પણ, 

પાર્કિંગની પળોજણને પહોંચી વળવાનો પ્રબંધ પણ  

કરવામાં આવેલો હતો. હોલનું દૈનિક ભાડું તો કોઈ 

રાજકીય નેતાની કુલ સત્તાવાર અને બિનસત્તાવાર 

આવકથી પણ વધારે હતું. સામાન્યતઃ આવી મીટીંગોમાં 

શિષ્ટાચારનો રિવાજ હોય છે અને ક્યારેક બીજા  આચરણ પણ થતા રહે છે.                         

ભીંતર ના વ્હેણ   પ્રકરણ ૨૫  

S.Gandhi

Surendra ga

ભીંતર ના વ્હેણ

પ્રકરણ ૨૫

શૈલજા પુણ્યાર્થી ઉર્ફે કન્યાકુમારી, હોમ મિનિસ્ટર કુશળ અગ્રસેનની

ચાલચલગતથી સારી રીતે માહિતગાર હતી.અગ્રસેનનો  પર્સનલ

આસિસ્ટન્ટ પણ કન્યાકુમારીના કામણ નો પ્રસાદ પામી ચુક્યો હતો.

આ ખુશનસીબીનો પ્રવાહ અસખલ્લીત વહેતો રાખવા માટે,

બદલામાં તે કન્યાકુમારીને અવનવી બાતમી આપતો.બેઉં એકમેકની

સગવડ સાચવી લેતા. પરસાડીયો ભગત બાતમીની દક્ષિણ આપીને

કૃપાળુ કામિનીને નિરંતર પ્રસન્ન રાખતો.કન્યાકુમારી અને પર્સનલ

આસિસ્ટન્ટ કોઈ વાર હોટેલના રૂમમાં તો કોઈસિનેમાગૃહ માં,

તો કોઈ વાર બાગબગીચામાં મળતા. બેઉં વચ્ચે થતી વાતોમાંથી

તો એક મહાકાવ્ય રચાય! કન્યાકુમારી સરકારી બાબતો વિશે

ખુબ જાણતી હતી. આજે ત્રિશૂળ અને એના સંચાલક પરીક્ષિત

વિશે જાણવા મળ્યું. અણછાજતા કુતૂહલને  છતાંય વશમાં રાખ્યું.

વળી કોઈક નવા કમ્પ્યુટર પ્રોગ્રામની પણ વાત થઇ. કન્યાકુમારીની

અધીરાઈની પારાશીશી પરાકાષ્ઠાએ પહોંચી. છતાંય નિર્લેપ ભાવે

વાતવાતમાં એણે પર્સનલ અસિસ્ટન્ટનો પાસવર્ડ મેળવી લીધો.

હોટેલના રૂમમાં માદકતા મહેકી અને ઉપાસક પર્સનલ અસિસ્ટન્ટનું

ખોળિયું કામાગ્નિની જ્વાળામાં લપેટાઈને ધનભાગ્ય બન્યું.

અણુકેન્દ્રનો સિનિયર ઓફિસર સનત હિરાવત,

એના સહકાર્યકરો માટે એક સંદિગ્ધ સમસ્યા હતો;કમ્પ્યૂર્ટો જ

મિલનસાર. એની જીવનચર્યા વિશે કોઈ નક્કર બાતમી ઉપલબ્ધ

નહોતી. વાયકા હતી કે સૈકાઓ પૂર્વે એના યહૂદી વડવાઓ વ્યાપાર

વાણિજ્ય અર્થે અહીં ઠરીઠામ થયા હતા. હજુ પણ એમની શાખ

અકબન્ધ હતી. જો કે સાપ ગયા પછીના રહી ગયેલા લિસોટા જેવી.

સમયની સાથે કદમ મિલાવીને યહૂદીઓ સમાજમાં ભળી ગયા હતા.

વ્યાપારની સાથે સાથે વૈજ્ઞાનિક ક્ષેત્રે પણ મોખરે રહીને એક અવ્વ્લ

દરજ્જો પ્રાપ્ત કર્યો. સનત, ઇન્સ્ટીટ્યુટ ઓફ એટોમિક રિસર્ચનો

સ્નાતક હતો. એની પ્રમાણિકતા અને વફાદારી પ્રસંશનીય હતી.

અણુકેન્દ્ર્મા બનાવવામાં આવતા રેડીઓ એક્ટિવ પદાર્થોની

અવરજવર અને ઇન્વેન્ટરીની જવાબદારી સનત સંભાળતો હતો.

છેલ્લા બે વર્ષથી એક ઇઝરાયેલી જૂથના સંપર્કમાં ઘણી અનિચ્છા

સાથરે હતો. એમની બળજબરીથી ભરમાઈને સનતે ન કરવા જેવા

કામો કર્યા હતા. થોડાક વખત પહેલા એમના કહેવાથી જ એણે પુણે

જનાર અણુકેન્દ્રના કાફલાની તૈયારીમાં ભાંજઘડ ઉભી કરી હતી.

છેલ્લી ઘડીએ એણે કાફલાના સુપરવાઈઝરને  જણાવ્યું હતું કે

એન્રીચડ યુરેનિયમ ની ડિલિવરીમાં વિલંબ થયો છે; એક નાની

ટેક્નિકલ મુશ્કેલીના લીધે. સુપરવાઈઝર અન્ય કામોમાં રોકાયેલ

હોવાથી એણે સનત ને એન્રીચડ યુરેનિયમ ની કામગીરી સાંભળી

લેવાની ભલામણ કરી. સનત ને મોકો મળી ગયો અને એણે એક

ખાલી સિલિન્ડર અણુકેન્દ્રની કાર ની સેઇફ માં મૂકીને તાળું માર્યું.

બે દિવસ સુધી યુરેનિયમ એની ઓફિસમાં પડી રહ્યું.બીજે દિવસે

સાફસૂફી કરનાર માણસ કચરાની સાથે એન્રીચડ યુરેનિયમ પણ

લઇ ગયો. એકાંતમાં જઈને એ માણસે યુરેનિયમને એક સુરક્ષિત

ડબ્બામાં ભર્યું અને એક પોસ્ટ ઓફિસ બોક્સ ના સરનામે

રવાના કર્યું.

મ્યાનમારના જંગલમાં એક અદ્યતન પ્રયોગ

થઇ થયો હતો. ચાઈનીઝ એરફોર્સ ની  મદદથી ચીની બનાવટનું

એક પાયલોટ વિહોણું વિમાન, એટલે કે ડ્રોન પાંખો ફફડાવીને

ગગનવિહારી થયું. ડ્રોનનો સંચાલક એક રિમોટ કન્ટ્રોલથી ફ્લા

ઈટનું નિયમન કરતો હતો. ડ્રોન પાસે એણે જાતજાતની અંગકસરતો

કરાવી ડ્રોન ફંગોળાયું, ખાબક્યું, આંખના પલકારામાં એકદમ ઊંચે

ચઢે અને ઘડીકમાં સાવ જમીનને લગોલગ ઉડે.અડધા કલાકની

ખેલકૂદ પુરી થઇ અને ડ્રોન સહીસલામત પાછું ફર્યું. પ્રેક્ષકગણમાં

કુરેશી પણ શામેલ હતો.એ ડ્રોનની  કામગીરીથી પ્રભાવિત અને

પ્રસન્ન થયો.ભવિષ્યમાં ડ્રોન નો ઉપયોગ કરવાની યોજના

એણે મનોમન ઘડી કાઢી.

ચાઈનીઝ સરકારના જાસૂસીખાતાએ આ પ્રયોગને

ખાનગી રાખવા માટે જ મ્યાનમાર ની પસંદગી કરી હતી.

મ્યાનમારની સરકાર એક અંધારી આલમ ના બેતાજ

બાદશાહ જેવી હતી. નિયંત્રણોના બોજથી દબાયેલી સામાન્ય

પ્રજા મરવાને વાંકે જીવતી હોય એવું લાગે.અવાજ ઉઠાવનારના

હાલ બુરા થતા હતા. છેલ્લા થોડાક વર્ષોથી ઇઝરાયલી

એજન્સી “મોસાદ” ના કવચમાં તિરાડો પડી હતી. મોસાદના

બંડખોર અને અસંતોષી ઓફિસરો અને ચીની જાસુસીખાતા

વચ્ચે સંપર્ક અને સંબંધના મંડાણ થયા હતા. બેઉં નું  ધ્યેય એકજ

હતું.  કોમવાદ અને ધર્મઝનૂનની જ્વાળાઓમાં ઘી હોમવાનું.

ચાઈના સશક્ત ઇન્ડિયા ને સાંખી લેવા તૈયાર નહોતું અને

ઈઝરાયેલને સશક્ત ઇસ્લામી રાષ્ટ્રો પ્રત્યે અણગમો હતો.

દુશમનના દુશમન સાથે મિત્રાચારીની આ નીતિ એમને

મનવાંછિત ફળ પ્રદાન કરશે, એવી ગણતરી હતી. રાજનીતિની

વિચિત્રતા અને અસંગતતાનો પર પામવાનું સહેલું નથી.ભલભલા

કુશળ અને દૂરંદેશીઓ પણ એનો તાગ પામવામાં અસફળતાને

વર્યા છે. સામ્યવાદી, મૂડીવાદી અને સમાજવાદી આદર્શોના

આસક્ત સિધ્ધાન્તવાદીઓને પણ તકવાદીઓ  પરાજિત કરે છે.

એટલે જ તકવાદની તોલે કોઈ વાદ ન આવે.

સનત  હિરાવત નિયત સમયે કામકાજ

પતાવીને અણુકેન્દ્રની બસમાં ચેમ્બુર પહોંચ્યો. ત્યાંથી એણે જેકબ

સર્કલ ની બસ પકડી. સનત ની  બાજુમાં એક માણસ બેઠો. આમતેમ

નજર ફેરવીને જોયું અને સંકેત મુજબ નક્કી થયેલું વાક્ય બોલ્યો. ” હમ સાથ સાથ હૈ.” જવાબમાં સનત બોલ્યો કે ” યે રાસ્તે  હૈ

પ્યારકે ચલના સંભલ સંભલ કે.”  સંપર્ક સાધવા માટે આવા

સાંકેતિક સંદેશાઓ  જરૂરી હતા. ઉપરાંત “સબ સલામત”

ની સંજ્ઞા માટે પણ આવશ્યક હતા. જો કોઈ ભય હોય કે

ગરબડ હોય તો સનત મૌન રહે. બેઉં પોતપોતાના બસ સ્ટોપ

પર ઉતરી જાય. સંપર્ક સાધવા માટે આવા સંદેશાઓની એક

યાદી બનાવવામાં આવી હતી. દર અઠવાડિયે સંદેશ બદલાય.

લાગતા વળગળાઓને એક ખાનગી કુરિયર સર્વિસ ” એક્સપ્રેસ

ઇન્ટરનેશનલ” મારફત આ યાદી પહોંચાડવામાં આવતી.એ

કુરિયર નું સરનામું પણ માત્ર નામ પૂરતું હતું. મહમ્મ્દ અલી રોડ

પર ભીંડી બજારના એક જરીપુરાણા મકાનમાં એની નાની

અમસ્તી ઓફિસ હતી.

હરિહરન ની કામગીરી સાચે જ અસરકારક નીવડી.

વાહીદ અને વઝીરે તાજી રંગાયેલી  ટ્રક માં અણુકેન્દ્રની નાદુરસ્ત

કાર ને  ચઢાવી. સિરાજને પૈસા ચુક્વ્યાને બાંગ્લાદેશ હાઈકમિશનનો

રસ્તો લીધો. ટ્રકમાં છુપાયેલી કારની પ્રત્યેક હિલચાલ ઉપર ત્રિશૂળ

ની નજર હતી. કાર શહેરની ગલીકૂંચીઓમાં થઇ ને બાંગ્લાદેશ

હાઈકમિશન ના કમ્પાઉન્ડ માં પ્રવેશી. રેસકોર્સ ના દરવાજે ઉભેલા

વિનાયક ભંડારીના સાથીદારે પણ આ ટ્રક ની નોંધ લીધી અને

ત્રિશુળને ફોન કરીને એ જાણકારી આપી.

વાહીદ અને વઝીર ટ્રક પાર્ક કરીને કુરેશીને

મળવા હાઈકમિશનની ઓફિસ માં પ્રવેશ્યા. કુરેશી વહેલી સવારેજ

મ્યાનમાર થી પાછો ફર્યો હતો. વાહીદ અને વઝીરે કુરેશીને

અત્યારસુધી બનેલા બનાવો ની જાણ કરી. વાહીદના મનનું

સમાધાન નહોતું થયું. અણુકેન્દ્રના ડ્રાઈવર ને જીવતો રહેવા

દઈને ભૂલ કરી હતી. કુરેશીએ એ પણ જાણી લીધું કે  પીટરની

ભલામણથી ડ્રાઈવર ખતીજાના કબજામાં હતો. કુરેશીને

ડ્રાઈવર પ્રત્યે અનુકંપા ઉદભવી. નક્કી ખતીજાની  વાસના-ઉપાસના ની પુર્ણાહુતી બાદ  ડ્રાઈવર ની આહુતિ આપવામાં

આવશે. અને એ ડ્રાઈવર એક જીવતી જાગતી લાશ બની જશે.

કુરેશી ઈર્ષાળુ નહોતો પણ ખતીજાની અન્ય પુરુષો સાથેની હવસ-હોળી પસંદ નહોતી. ખતીજા સતી સાવિત્રી નહોતી જ અને કુરેશી

પણ ફરિશ્તો નહોતો. કુરેશી એવા કાચના મકાનમાં રહેતો હતો કે

જ્યાંથી બીજાઓ પર પથ્થર ફેંકવાનું મુનાસીબ નહોતું. છતાંય

એના હિસાબે સ્વભાવજન્ય ભ્રમરવૃત્તિ પુરુષો પૂરતી મર્યાદિત હતી

કારણ કે સ્ત્રીઓને તો સ્વેચ્છાએ ચારિત્ર્યભ્રષ્ટ થવાની પણ સ્વંતંત્રતા

નહોતી. તો પણ કોઈ પાશવી પુરુષની બળજબરીથી લૂંટાયેલી સ્ત્રીને

કુલટા, બદચલન,કલંકિની અને એવા તો કાઈં કેટલાય ખિતાબ એનાયત

થતા! ગમે એટલું રગદોળાયેલું હોય , કથળી ગયું હોય, અને મેલું થયું હોય,

પણ પુરુષનું ચારિત્ર્ય અકબંધ જ રહે છે. એને ઊની આંચ પણ ન આવે!

સર્જનહારે પણ કેસરિયા જ કર્યા હશે! પુરુષો તરફ પક્ષપાતી વલણ

અપનાવ્યું અને સ્ત્રીઓને અન્યાય કર્યો હોય, એમ લાગેછે.સ્ત્રીઓના

ક્રોધાગ્નિની જ્વાળા ભભૂકી ઉઠશે ત્યારે સર્જનહારને પણ ભસ્મીભૂત

કરતા અચકાશે નહીં, કેવો વિરોધાભાસ છે! દૈવી શક્તિ તરીકે પૂજનીય,

દૈદિપ્યમાન અને ઉચ્ચ આસને  બિરાજનારી નાર અધોગતિ પણ પામે છે.

સ્વાર્થસાઘુ પુરુષોની આ પ્રપંચી ચાલ હશે કે શું? કોઈ પણ પ્રકારે નારીત્વ

ઉપર પ્રભુત્વ સ્થાપવાનો આ બેહુદો પ્રયાસ તો નથી ને!નારી ને અબળા

કહેનારાઓ આમ કરીને પોતાની  નબળાઈનો ઢાંકપિછોડો તો નથી કરતા ને !કદાચ નારી નિર્માણના રહસ્યની, પ્રયોજનની અણસમજ આવી વર્તણુક

માટે જવાબદાર તો નહીં પણ કારણભૂત હોય!

ભીંતર ના વ્હેણ પ્રકરણ ૨૪

S.Gandhi

સુરેંદ્ર ગાંધી

ભીંતર ના વ્હેણ પ્રકરણ ૨૪

વહી ગયેલી વાર્તા

પરિક્ષિત વિદ્વંસ એક ઉચ્ચ કક્ષાનો વૈજ્ઞાનિક, દિવાકર

માધવન સંચાલિત "ન્યુ કેસરી" (ન્યુરો સેન્સરી કેમિકલ રિસર્ચ)

નામની ભારત સરકારની અજ્ઞાત રીતે કામગિરી બજાવતી

સંસ્થામાં જોડાય છે. ઉર્વશી ચિદમ્બરમ સાથેનો સમાગમ

લગ્નમાં પરિણમે છે. "ન્યુ કેસરી જેવી જ અન્ય સંસ્થા

"ત્રિશૂળ" ના અધ્યક્ષ ભાસ્કર ચૌહાણને ગંભીર અકસ્માત નડે

છે. પરીક્ષિતને ભાસ્કર ચૌહાણની જવાબદારી સોંપવામાં આવે

છે. અણુકેન્દ્ર્માથી રવાના થયેલ એન્રીચડ યુરેનિયમનો કાફલો

ખોરંભે છડી જાય છે. આંતરરાષ્ટ્રીય હિત ધરાવતી સંસ્થાઓ અને

વ્યક્તિઓ ભારતનું અહિત કરવાની પેરવી કરે છે. પરિક્ષિતના

નેજા હેઠળ "ત્રિશૂળ" એન્રીચડ યુરેનિયમની ભાળ મેળવવા

કટિબદ્ધ થાય છે.

વિદેશીઓની વિસ્તૃત જાળ

અને આંતરિક પ્રપંચને લીધે કોકડું વધુ ગૂંચવાયછે. હાથવેંતમાં

જણાતો ઉકેલ ઝાંઝવાના જળ જેવો વેગળો જ રહે છે.પરિક્ષિત

ધીરજથી ખંતપૂર્વક ઉકેલ લાવવા પ્રયત્નશીલ રહે છે. અનાયાસે

મામલો અંગત બની ગયો અને મ્યાનમાર, રંગુનને બારણે ટકોરા

પડે છે.

પ્રકરણ ૨૪

બાંગ્લાદેશ હાઈકમિશન, એક બહુ જુનાતો નહીં પણ પાકટ

વયના મકાનમાં, હાજી અલી વિસ્તારમાં મહાલક્ષ્મી રેસકોર્સની

સામેની બાજુએ વસ્યું હતું. સુરક્ષા માટે મકાનને ફરતી આઠ ફૂટ

ઊંચી દીવાલ હતી.એમાં એક લોખંડી દરવાજો હતો. રાબેતા

મુજબ બાંગ્લાદેશના પહેરેદારોની નિરંતર દેખભાળ અવરજવરનું

નિયંત્રણ કરતી. મકાનના ભોંયતળિયામાં હાઈકમિશનના

 

વાહનોના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી.એની ઉપર બે

માળમાં ઓફિસો અને એની ઉપરના ચાર માળમાં હાઈકમિશનર

અને એના રસાલાનો નિવાસ હતો. સત્તાવાર પરવાનગી કરતા

વધારે માણસો અહીં રહેતા હતા. ભારત સરકાર એ બાબતે

હાઈકમિશનરનું ધ્યાન અવારનવાર દોર્યા કરતી, પણ જે દેશ

પોતાની જ વસ્તી ગણતરી ચોક્સાઈથી નથી કરી શકતો એ જાણ

હોવાથી પોતાનો વાળ વાંકો નહીં થાય; એ માન્યતાને આધારે

બાંગ્લાદેશ હાઈકમિશન આંખ આડા કાન કર્યા કરતું.

વહેલી સવારથી મોટર સાઇકલ-સવાર

વિનાયક ભંડારી, બાંગ્લાદેશના હાઈકમિશનના મકાનનું

ઝીણવટથી અવલોકન કરી રહ્યો હતો. વાહનોની અવરજવર માટે

જે મુખ્ય રસ્તો હતો તેમાંમાણસોની આવ-જા કરવા માટે એક

નાનો દરવાજો હતો. વિનાયકે જોયું કે સામેની બાજુએ

રેસકોર્સના દરવાજા બહાર અડ્ડો જમાવીને હાઈકમિશનના

મકાન ઉપર સંપૂર્ણ નજર રાખી શકાય એમ હતું. રેસકોર્સના

સંચાલકને ભંડારીએ પોતાની ઓળખ આપીને એક ખુબ જ

અગત્યની કામગીરી બજાવવા માટે રેસકોર્સના દરવાજા પાસે એક

સેન્ડવિચ વેચવાની રેંકડી ગોઠવવાની રજા માંગી અને સહકારની

આશા વ્યક્ત કરી. સંચાલક તરફથી નિર્વિઘ્ને પરવાનગી મળતા

જ ભંડારીએ તરત જ ત્રિશૂળમાં ફોન કરીને એક ઓફિસરને

સાધનસામગ્રીની ગોઠવણ કરીને રેંકડી લઈને રેસકોર્સના દરવાજે

હાજર થવા જણાવ્યું. બપોર પહેલાતો ત્રિશૂળનો માણસ

માલસામાન સાથે હાજર થયો અને સેન્ડવિચનું વેચાણ ચાલુ થઇ

ગયું.

આવી જાસૂસી દેખરેખ માટે બે

માણસો જરૂરી હોય. જરૂર પડે તો એક માણસ કોઈકનો પીછો

કરે તો બીજો મામલો સંભાળી શકે અને દેખરેખમાં વિક્ષેપ ન

પડે. દિવસના પૂર્વાર્ધ દરમ્યાન કઇં ખાસ ન નીપજ્યું.બાંગ્લાદેશ

હાઈકમિશનમાં થતી વાતજ્વર આછીપાતળી રહી. મોટાભાગના

 

તો વિદેશીઓ હતા, જેમાં કશું શકમંદ ન જણાયું. વિનાયક અને

એનો સાથીદાર સાવધાનીપર શિથિલતા ન આવી જાય, તેની

ખાસ તકેદારી રાખતા રહ્યા. હતોત્સાહની મંદીમાં ઘેરાઈને દેવાળું

ફૂંકવાનું એમને માટે અનુચિત હતું. કદાચ એટલે જ સિગરેટ ફૂંક્યા

કરતા હતા.

છેક નમતા પહોરે એમની

તપસ્યા ફળી. હાઈકમિશનનો લોખંડી દરવાજો ખુલ્યો અને એક

ડિપ્લોમેટિક લાઇસન્સવાળી કાર બહાર નીકળી. ડ્રાઈવર

શિવાયની બારીઓના કાચ ટીન્ટેડ હોવાથી કારના પેસેન્જર્સ

દેખાય તેમ નહોતું. વિનાયક ભંડારી હળવેકથી મોટરસાઇકલ

ચાલુ કરીને વાહનોની વચ્ચે સરક્યો અને હાઈકમિશનની કારને

સલામત અંતરે રહીને અનુસરતો રહ્યો. ભંડારીના સાથીદારે

ત્રિશૂળ માં ફોન કરીને આ બાબતની જાણ કરી. પરિક્ષિતને

અહેવાલ મળ્યો અને એણે તરત જ ત્રિશુલમાંથી એક

મોટરસાઇકલ સવારને રવાના કર્યો. પ્લાન એવો હતોકે આ

મોટરસાઇકલ સવાર વોંકોટોકીથી ત્રિશૂળની સ્પેશિયલ ફ્રીક્વન્સી

ઉપર વિનાયક ના સતત સંપર્કમાં રહે અને કારની પ્રગતિથી

માહિતગાર બને. અમુક અંતરે વિનાયક ખસી જાય અને એની

જગ્યાએ ત્રિશૂળનો બીજો માણસ પીછો ચાલુ રાખે. વળી પાછી

થોડા સમયબાદ અદલાબદલી થાય અને પીછો ચાલુ રહે. પીછો

થઇ રહ્યો છે, એવી શંકા પણ હાઈકમિશનના ડ્રાઈવરને ન થાય,

એ ખુબ જરૂરી હતું; કારણકે રે પણ એટલો જ સાવધ હોઈ શકે.

જયારે હાઈકમિશનની કાર

વરસોવા પહોંચી ત્યારે વિનાયક પીછો કરી રહ્યો હતો. પ્રભુકૃપા

બિલ્ડિંગના ગેઇટ પાસે કાર અટકી અને ચોકીદારે દરવાજો

ખોલ્યો, કાર કમ્પાઉંન્ડમાં દાખલ થઇ. મકાનના દરવાજા બહાર

મોટરસાઇકલ પાર્ક કરીને વિનાયક ચોકીદારને મળ્યો અને

પૂછપરછ કરી. ચોકીદારનાકહેવા પ્રમાણે એ કાર ફ્લેટ નમ્બર ૨-

D માં રહેતા બંકિમ બૅનરજીના ફ્લેટની દેખરેખ રાખવા માટે

 

આવી હતી કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી બંકિમ બૅનરજી કુવૈતમાં

રહેતો હતો અને એની સગી અમીના અવારનવાર આવીને

સાફસૂફી કરાવતી હતી. ચોકીદારના હાથમાં સો રૂપિયાની નોટ

પકડાવીને વિનાયકે તાકીદ કરીકે આ પૂછપરછની જાણ કોઈને ન

થવી જોઈએ. ચોકીદારે વિનાયકને નચિંત રહેવા જણાવ્યું.

વિનાયકે મોટરસાઇકલ થોડેક દૂર રસ્તાની સામી બાજુએ પાર્ક

કરી કે જ્યાંથી એ બરાબર નજર રાખી શકે.

 

સિરાજ સમયસર કારખાને પહોંચી

ગયો હતો. ટ્રક્નું રંગકામ શરૂ થયું. ત્યારબાદ સિરાજ એની

ઓફિસમાં હતો. થોડીક વાર પછી ફોન સુરીલા અવાજમાં

રણક્યો; કારણકે સિરાજને જુના મીઠી ઘંટડીનો રણકારવાળા

ફોન ગમતા. નવા ફોન નો રણકાર સાંભળીને કોઈ કર્કશ બેસૂરા

રાગમાં કોઈક દર્દભર્યું ગીત ગાતું હોય એવો એહસાસ સિરાજને

થતો. કાલિપ્રસાદનો અવાજ સાંભળીને સિરાજના કાન સરવા

થયા. કાલિપ્રસાદે જણાવ્યું કે અનિવાર્ય સંજોગોને લીધે ટ્રક નો

કબજૉ લેવા આવી શકાય એમ ન હતું. વધુમાં એ પણ ઉમેર્યું કે

એના માણસો પૈસા ચૂકવીને ટ્રક અને કાર નો કબજૉ લેવા

આવશે. સિરાજને કોઈ વાંધો ન હતો અને બપોર સુધીમાં કામ

પતી જશે તેમ જણાવ્યું.

સિરાજના કારખાનેથી થોડેક દૂર

પીટર, વાહીદ અને વઝીરને મળ્યો અને રંગકામની ચુકવણીના

પૈસા આપ્યા. ટ્રકમાં અણુકેન્દ્રની કાર ચઢાવીને બાંગ્લાદેશ

હાઈકમિશનમાં પહોંચાડવાની યાદ દેવડાવી. પીટર "આઝાદ

ઈમ્પોર્ટસ" પાસે બનેલા બનાવોથી ચિંતિત હતો. એનો સંશય દ્રઢ

થઇ રહ્યો હતો કે એની હિલચાલ પર દેખરેખ રાખવામાં આવી

રહી છે. સાવચેતી ખાતર એણે ટ્રક થી દૂર રહેવાનું નક્કી કર્યું.

આમ તો પીટર જમાનાનો ખાધેલ તકવાદી ખેલાડી હતો. એણે

મ્હાત કરવાનું અઘરું હતું. સ્વભાવે એ શંકાશીલ નહોતો અને

 

અસાવધ પણ નહોતો. શંકા અને સાવધાનીમાં સગપણ હોય તો

કેવું! એકમેક વગર બન્ને અધૂરા! શંકાશીલ સાવધાનીથી ચાલે

અને સાવધાની શંકાનું નિવારણ અવશ્ય માંગે. વળી પીટરની

મહેચ્છા હતી કે આ કામ નિર્વિઘ્ને પર પડે પછી સુરા અને

સુંદરીઓના સાનિધ્યમાં સુખચેનથી જીવન વિતાવવું.

વિનાયક નો સાથી પણ થોડા

વખત માં પ્રભુકૃપા પાસે પહોંચ્યો.વિનાયકની તપસ્યાનો અંત

આવે તે પહેલા એણે ત્રિશૂળને ફોન કરીને વર્તમાન પરિસ્થિતિનો

અહેવાલ આપ્યો. પરીક્ષિતને વાકેફ કરવામાં આવ્યો. પરિક્ષિત ની

સૂચના અનુસાર હાઈકમિશનની કાર પ્રભુકૃપાથી પ્રસ્થાન કરે

ત્યારબાદ વિનાયકે ફ્લેટ ૨- D ની તપાસ કરવી. અને એના

સાથીદારે કારની સાથે રહેવું. બે કલાક બાદ બાંગ્લાદેશની કાર

પ્રભુક્રુપામા થી નીકળી અને હાજી અલી ની દિશામાં રવાના થઇ.

વિનાયક નો સાથીદાર સાવચેતી થી કારને અનુસર્યો. વિનાયક

પ્રભુકૃપા ના ચોકીદારને મળ્યો, પોતાની ઓળખ આપી અને એને

મૌન સેવવાની ચેતવણી આપી. વિનાયક ફ્લેટ ૨-D ના

તાળાનુંનિરીક્ષણ કરી રહ્યો હતો. સુરક્ષા માટે સિક્યુરિટી એલાર્મ

હતું. સહું પ્રથમ એણે સિક્યુરિટી એલાર્મ ને નિષ્ફ્ળ બનાવ્યું.

થોડીવાર રાહ જોઈ અને સબસલામત લાગ્યા બાદ એક ચાવીનો

ઝુમખો કાઢીને ત્રણ ચાવીઓ પસંદ કરી. પહેલી ચાવી થી તાળું

ખુલ્યું. થોડી વાર થોભીને વિનાયક ફ્લેટ માં પ્રવેશ્યો, હાજરી નું

એલાન કર્યું.

અંદરની રૂમમાં થી એક અવાજ

આવ્યો.વિનાયક અવાજની દિશામાં સાવધાનીથી હાથમાં

તાકેલી બંદૂક સાથે વળ્યો. બેઉં વચ્ચે ઓળખની આપ-લે થઇ.

ડ્રાઈવરે વિનાયકને ખતીજા વિષે જણાવ્યું, ખાસતો એની

હવસવૃત્તિ બાબત, વિનાયક એકાગ્રતાથી દરેક માહિતીની

માનસિક નોંધ લેતો રહ્યો. ખતીજા ની હાઈટ, બાંધો, દેખાવ

ઇત્યાદિ એક ડાયરીમાં લખી અને ડાયરી ખિસ્સામાં મૂકી. હાલ

 

પૂરતું તો એણે ડ્રાઈવરને કૈં ન કરવાનું સૂચન કર્યું. ફ્લેટ નું

ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યા પછી પણ કૈં ખાસ જાણવા ન મળ્યું.

અંતે નક્કી કર્યું કે ફ્લેટમાં થતી અવરજવર ઉપર કેમેરા દ્વારા

નજર રાખવી. ત્રિશૂળ માં ફોન કરીને સર્વેલન્સ ટીમને

કામગીરીનો અહેવાલ આપ્યો.ટિમ ના લીડરે ચોવીસ કલાકની

અંદર છુપા કેમેરા ગોઠવી આપવાની બાહેંધરી આપી. પરિક્ષિત

સમક્ષ આ પ્લાન રજૂ થયો.એની સંમતિ જરૂરી હતી. અને કોર્ટ

પાસેથી કાયદેસરની પરવાનગી મેળવવાની જવાબદરી પણ એની

જ હતી. પરિક્ષિતે અણુકેન્દ્રના ડ્રાઈવર સાથે વાત કરી અને

હિંમત અને ધીરજથી કામ લેવા બદલ ડ્રાઇવરનો આભાર માન્યો.

વધુમાં એ પણ જણાવ્યું કે એ ડ્રાઇવરના કુટુંબીજનોને એની

કુશળતા ના સમાચાર પહોંચાડશે.

પરિક્ષિતે માધવનની

ઓફિસ નો નંબર જોડ્યો અને મુલાકાતનો સમય માંગ્યો.

માધવને એને તરત જ આવવા જણાવ્યું. થોડીકવારમાં પરિક્ષિત

માધવન ને મળ્યો. અત્યારસુધી થયેલી પ્રગતિનો અહેવાલ

આપ્યો. માધવન એની ટેવ પ્રમાણે નિર્લેપભાવે ધ્યાનથી સાંભળી

રહ્યો હતો. પરિક્ષિત પણ વર્ષો ના અનુભવને લીધે માધવનની

ટેવ થી ટેવાયેલો હતો.જો કે હવે એને માધવનના મગજમાં શું

ચાલી રહ્યું છે , એનોય અણસાર આવતો. અંતમાં તારવણ એવું

નીકળ્યું કે બાંગ્લાદેશ હાઈકમિશનની દેખરેખ ચાલુ રાખવી.

ઔડ્રી, પીટર અને પ્રભુકૃપા ની સર્વેલન્સ ચાલુ રાખવી. વાહીદ

અને વઝીર ઉપર પણ નજર રાખવી. ઉર્વશીનો બનાવેલો

કમ્પ્યુટર પ્રોગ્રામ પણ કાર્યરત થઇ ગયો હતો. જાળ પથરાઈ હતી

…કોણ, ક્યારે અને કેવી રીતે ફસાશે?

ભીંતર ના વ્હેણ પ્રકરણ ૨૩

S.Gandhi

સુરેંદ્ર ગાંધી

ભીંતર ના વ્હેણ પ્રકરણ ૨૩

 

નિયત કાર્યક્રમ પ્રમાણે એક વિમાન ઉડ્યું અને દશ

હજાર ફૂટની ઊંચાઈએ પહોંચ્યું.નિષ્ણાતોએ વારાંગનાની

આરાધના કરી એટલે કે એક્ટિવેટ કરી. ત્રીસ સેકન્ડ માં

વારાંગનાએ વિમાનનું સંચાલન કરવા માંડ્યું અને દશ મિનિટમાં

સહી સલામત રીતે જમીન પર ઉતાર્યું. પરિક્ષિત આ કામગીરીથી

પ્રભાવિત થયો. વારાંગનાના ગુણદોષનું સરવૈયુંકાઢવામાં આવ્યું.

વારાંગનાની આણ એની આસપાસના એકસો માઈલના વર્તુળ

પૂરતી મર્યાદિત હતી. વારાંગનાની નારીસહજ, લાક્ષણિક સર્જક

અને સંહારશક્તિને વ્યાપક બનાવવાનો પ્રસ્તાવ પરિક્ષિતે રજૂ

કર્યો. વિચારવિનિમયને અંતે બે વિકલ્પોએ આકાર લીધો. એક

વિકલ્પ એ હતો કે એક જમ્બો જેટમાં વસવાટ કરતી વારાંગનાની

અસરકારકતા વિસ્તૃત બને. જમ્બો જેટ માં વિહરતી વારાંગના,

કોઈ પણ વિમાન નો શિકાર કરી, એન મ્હાત કરી શકે. એવું

આયોજન અસંભવ નહોતું. બીજો વિકલ્પ હતો, વારાંગનાનો

સેટેલાઇટ સાથે મેળાપ કરાવવાનો. સેટેલાઇટ વારાંગનાની

શક્તિના રીલે સ્ટેશનનું કામ કરે અને પોઝિશન ગાઈડન્સ

સિસ્ટમની મદદથી કોઈ પણ ઉડતા વિમાનનું સંચાલન કબ્જે

કરે. એક મહિનાના ગાળામાં બેમાંથી એક વિકલ્પને કાર્યસિદ્ધ

કરવાના ઠરાવને બહાલી મળી. પરિક્ષિત ત્રિશૂળની જે અદ્યતન

નૌકામાં એલિફન્ટા આવ્યો હતો , તેમાંજ પાછો ફર્યો.

 

નૈષધ હાંસોટી છેલ્લા કેટલાક સમયથી ચિંતાતુર

હતો.ઇન્ડિયન ઇન્ટેલિજન્સ એજન્સી, આઈ.આઈ.એ.નો

ખાનગી સન્દેશ વ્યવહાર સલામત ન'તો રહ્યો. ખુબ જ

અગત્યનીસેન્સિટિવ અને સઁરક્ષણાત્મક બાતમીઓ અવારનવાર

ઇન્ડિયાનું હીટ કરનાર આતંકીઓ ને સાંપડતી અને એના માઠા

પરિણામ આવતા.

 

નૈષધ અને ઉર્વશીની તાજેતરમાં દિલ્હીમાં થયેલી મુલાકાત

પછી નૈષધ ભાસ્કર ચૌહાણ ને મળવા મુંબઈ આવ્યો હતો.

ભાસ્કર ચૌહાણનેઅકસ્માતમાં થયેલી ઈજાઓ હજુ માવજત

માંગતી હતી. પ્રભુકૃપાથી કે આત્મબળથી એણે પોતાની સારવાર

માં સક્રિય ભાગ લીધો હતો. ભાસ્કર ચૌહાણનું પ્રોત્સાહિત,

આશાવાદી અને નીડરતાભર્યું વલણ ફરી એક વાર સાબિત કરી

ગયું કે દર્દીનું સહકારી અને આશાવાદી વલણ ક્વોલીટીસભર

તબીબી માવજત જેટ્લુજ અસરકારક હોય છે. પરિણામે

ભાસ્કરને હોસ્પિટલના રુમમાં હરવાફરવાની, બેસવા ઉઠવાની

છૂટ મળી હતી. ભાસ્કરે નૈષધને ઉમળકાભેર આવકાર્યો. અને

નૈષધ પણ ભાવથી ભેટ્યો. પરસ્પર લાગણીભરી આપ-લે taim

થઇ. પરંતુ ઔપચારિકતા માં ટાઈમ બરબાદ કરવાનું બેમાંથી

કોઈના સ્વભાવને અનુરૂપ નહોતું.

નૈષધે મુદ્દાની વાત પર આવતા

જણાવ્યુકે આઈ.આઈ.એ. નો ખાનગી સંદેશ વ્યવહાર

સહીસલામત નહોતો. કોણ, ક્યાંથી, કેવી રીતે આ બધી

બાતમીઓ મેળવી શકેછે, તે જાણવું અત્યન્ત જરૂરી હતું. એટલુંજ

નહીં પણ જાણભેદુની પહોંચ અને પથરાયેલી જાળનો સફળતાથી

નાશ વરવાનો હતો. આ કામગીરી ખુબજ ચીવટથી અને ખાનગી

રીતે કરવાની હતી. રાજનેતાઓ જેવા હવનમાં હાડકા

નાખનારને આ બાબત વિશે જરૂરથી વધારે માહિતી નહીં

આપવાનું નક્કી થયું. વાંદરાઓ જેમ ઘા ને રુઝાવા ન દે તેમ

આવા કહેવાતા લોકનેતાઓ પોતાની લોકપ્રિયતા વધારવા માટે

આ બાબતનો અંગત લાભ ન ઉઠાવે, તો એમની કોખ લાજે!

ભાસ્કર અને નૈષધનું મુખ્ય કામ હતું, ઇન્ટેલિજન્સ અને બાતમી

એકઠી કરવી, એનું પદ્ધતિસર વર્ગીકરણ કરવું અને એના

આધારે યોગ્ય પગલાં લેવા.

ઉર્વશીને પણ ભાસ્કર ચૌહાણે અગાઉથી નૈષધ

હાંસોટી મુલાકાતે આવે ત્યારે હાજર રહેવાની ભલામણ કરી

હતી. ઉર્વશી એના કામમાં થી ફુરસદ મેળવીને આવી પહોંચી.

ઉર્વશીની કમ્પ્યુટર નિપુણતાથી ભાસ્કર અને

નૈષધ માહિતગાર હોવાને કારણે એનો લાભ લેવાનું નક્કી કર્યું

હતું.

ઉર્વશીએ નૈષધની સમસ્યાના સોલ્યુશનની યોજના પણ ઘડી

રાખી હતી. ઉર્વશીએ એક વિચક્ષણ પ્રસ્તાવ રજૂ કર્યો. એણે એક

નવી કમ્પ્યુટર લેન્ગવેજ બનાવી હતી. આ ભાષા શરૂઆતમાં

અસંગત લાગે પણ એની રચના પાછળનું રહસ્ય સમજાય

એટલે એની ખૂબી, ખાસિયતો અને સર્વોપરિતાનો ભેદ પામી

શકાય! ઉર્વશીએ એક અભિમન્યુનો ચકરાવો બનાવ્યો હતો. અને

એ ભંડારને ખોલવાની ચાવી એણે ભંડારમાંજ ભેળવી દીધી

હતી. એ ચાવીને ઓળખવાનું અને પ્રાપ્ત કરવાનું અશક્ય અને

અસંભવ હતું. ચાવીનું વર્તુળાકાર ખોળિયું એવું હતું કે ભલભલા

કમ્પ્યુટર હેકર્સ પણ હારી જાય. અને ગમે એટલી માથાકૂટ કરે

પણ એ ચાવીનો સાક્ષાત્કાર ન કરી શકે. વર્તુળમાં આદિ અને અંત

ન હોય. આવી અનાદિ અને અનંત ચાવીનીશોધમાં ભટકનારા

ખરેખર ભટકી જશે એની ઉર્વશીને સંપૂર્ણ ખાત્રી હતી. આ

ચાવીની ઓળખ નૈષધ, દિવાકર પરિક્ષિત અને ઉર્વશી સિવાય

બીજા કોઈને નહીં આપવામાં આવે. ઉપરાંત અનધિકૃત

પૂછપરછ કનારાઓની એટલે કે કમ્પ્યુટર હેકર્સની અને કમ્પ્યુટર

ઓપરેટર્સ ની સંપૂર્ણ બાતમી એક વખત સિસ્ટમ માં દાખલકર્યા

પછી ડીલીટ કે નાબૂદ કરવાનો કોઈ ઉપાય નહોતો. કોણ ક્યારે

અને ક્યાંથી આ તિજોરી પર છાપો મારે છે, એ જાણવા મળે

એટલે બાકીનું કામ સહેલું થઇ જાય. નૈષધ અને ભાસ્કર ના

ઉર્વશી પ્રત્યેના સન્માનમાં અઢળક વધારો થયો.ઉર્વશીને આ

યોજના જેમ બને તેમ જલ્દી અમલમાં મુકવાની ભલામણ થઇ.

ભીંતર ના વ્હેણ પ્રકરણ:૨૧

S.Gandhi

સુરેંદ્ર ગાંધી

ભીંતર ના વ્હેણ પ્રકરણ:૨૧

ગૌતમ દીવાને અણુકેન્દ્રના સમગ્ર સ્ટાફની ફાઈલો સાથે પોતાના સિકયુરિટી

ઓફિસરને હાજર થવા જણાવ્યું. સિકયુરિટી ઓફિસર તન્વીર વાધવા ની કારકિર્દીની શરૂઆત થઇ હતી, સી.બી.આઈ.માં. એની કાર્યદક્ષતા

અને નિપુણતાને કારણે સફળતાનાં સોપાન સર કરીને એણે નામના મેળવી હતી.

પદ્ધતિસર કામગીરી બજાવનાર  તન્વીર ઘણીવાર ગૂંચવણભર્યા મામલાઓના

નિરાકરણમાં અંતરનો સાદ પણ સાંભળતો. તન્વીર અને પરીક્ષિત

એકબીજાથી અપરિચિત હતા. ગૌતમે એમની ઓળખાણ કરાવી. તન્વીર

મુદ્દાની વાત પર આવ્યો. એણે સ્ટાફની ફાઈલો ખુબ ઝીણવટથી તપાસી

હતી. પ્રત્યેક વ્યક્તિની હિલચાલનો હિસાબ તપાસ્યો હતો.પરંતુ કોઈ

સંશયાત્મક બાતમી મળી નહોતી. તન્વીરના માનવા પ્રમાણે યુરેનિયમના

કાફલાની વિગતો ગૌતમ દિવાનની ઓફિસમાથી જ ચોરાઈ હતી. છેલ્લા

પંદર દિવસની ગૌતમની ઓફિસના સર્વેલન્સ કેમેરામાં ઝડપાયેલી ટેઈપ

અને એક વિડિઓ મોનિટર પણ એ સાથે લાવ્યો હતો.

ગૌતમની ઓફિસમાં ગોઠવાયેલો કેમેરા મોશન ડિટેક્ટર સેન્સર

દ્વારા સંચાલિત હોવાથી કોઈ

પણ પ્રકારની હલચલ થાય એટલે તત્ક્ષણ સક્રિય બનતો. એમાં તારીખ

અને સમય ની નોંધણી પણ આપોઆપ જ થતી.

ગૌતમના મુલાકાતીઓની યાદી સાથે ઓફિસમાં થયેલી

 

અવરજવરનો તાળો મેળવાયો. અન્ય કર્મચારીઓની અવરજવર પણ

ધ્યાનમાં લેવાઈ. એકાએક તન્વીરે ટેઈપ સ્થગિત કરી. ઔડ્રી સાંજના

સમયે ગૌતમની ઓફિસમાં દાખલ થઇ હતી.સ્લો મોશનમાં ટેઈપ

આગળ ચલાવી. એ ફાઈલ કેબિનેટમાંથી એક દસ્તાવેજ કાઢતી હતી.

બીજી ફ્રેઇમમાં ઔડ્રી  દસ્તાવેજની ફેક્સ મશીનમાં કોપી કરતી દેખાઈ.

દસ્તાવેજ કેબિનેટમાં પાછો મુક્યો બનાવેલી કોપીને ઔડ્રી એ  પોતાના

બ્લાઉઝ માં સુરક્ષિત કરી કારણકે નારીના વક્ષઃસ્થળની આમન્યા હજુ

જાળવવામાં  આવતી હતી.  એનો જાહેરમાં મર્યાદાભંગ અપવાદરૂપેજ  થતો.

ઔડ્રી  નું ડાબું પડખું દસ્તાવેજને આવરી રહ્યું હોવાથી ક્લોઝ અપ માં વધુ

ઘટસ્ફોટ ન થયો. પરંતુ પાછી મુકાયેલી ફાઈલ ક્લોઝ અપ માં સ્પષ્ટ દેખાતી હતી.

ફાઈલનો ક્રમાંક લેબલ પર સ્પષ્ટ હતો. ક્રમાંકની યાદી માં નોંધ્યા મુજબ  ફાઈલમાં

યુરેનિયમ કાફલાની વિગતો હતી. તન્વીરે બાકીની ટેઈપ નું નિરીક્ષણ પૂરું કર્યું:જેમાં

કૈં વાંધાજનક નહોતું.

પરીક્ષિત ગૌતમની ઓફિસેથી નીકળીને સીધો પોતાની ઓફિસે

ગયો અને ત્રિશૂળના ઉચ્ચ અધિકારીઓની એક તાકીદની મિટિંગ બોલાવી.

અત્યારસુધી પ્રાપ્ત  થયેલી બાતમીનો તાળો  મેળવાયો. હવે  પછી  લેવાના પગલાંની

વિચારણા થઇ. સર્વાનુમતે ઠરાવવામાં અવ્યુકે ઔડ્રી ઉપર સાવધાનીપૂર્વક નજર રાખવી;

એને કોઈ પણ જાતનો એ બાબતનો અણસાર ન આવવો જોઈએ. સાથે સાથે એ પણ

નક્કી કરાયું કે જોસેફ અને એના સાથીદારે સિરાજના કારખાનામાં રંગાઈ  રહેલી ટ્રકનો

કબ્જો લેવા આવનાર ગ્રાહક ઉપર પણ ચાંપતી નજર રાખવી.મુખ્ય આશય હતો

ચુપકીદીથી માહિતી એકત્ર કરવાનો. કોઈ પણ જાતની કાયદેસરની કાર્યવાહી ન

બજાવવાથી અસાવધ શકમંદ વ્યક્તિઓની પહોંચ, લાગવગ કેટલી  વિસ્તૃત છે એનો

અંદાજ લગાવી શકાય.અંતે યોગ્ય સમયે સમગ્ર

ષડયંત્રનો પર્દાફર્શ કરવો. મિટિંગ પતાવી અને પરીક્ષિતે માધવન અને

પ્રાઈમ મિનિસ્ટરને બધો અહેવાલ આપ્યો.

 

પરીક્ષિતનો ખાનગી ફોન રણક્યો. ચારુદત્ત ઉર્ફે ઝફરનો અવાજ સાંભળીને

પરીક્ષિત ના કાન સરવા થયા. ચારુદત્ત ની બાતમીએ એને વધુ ચોંકાવ્યો.

ચારુદત્તના જણાવ્યા મુજબ સુલેહશાંતીના કરારનામા ઉપર સહીસિક્કા

થવાના દિવસે , કોઈક કાવત્રાબાજ જૂથ એકત્રિત થયેલા નેતાઓની હત્યા

કરશે. એવી બિનસત્તાવાર બાતમી એની જાણમાં આવી હતી.

આ વિરોધી જૂથને ટેકો આપનાર કોણ છે એની તાત્કાલિક શોધ

કરવાની ભલામણ કરી. પરીક્ષિતે બનતો પ્રયત્ન કરવાની ખાત્રી

આપીને ફોન મુક્યો. પરીક્ષિતના ચિંતિત  ચહેરાની રેખાઓ વધુ સખ્ત થઇ.કરારનામાની

તારીખ નક્કી થઇ ગઈ હતી; બે મહિનાનો ગાળો હતો. ક્ષણભર માટે પરીક્ષિતને અધીરાઈ

આવી ગઈ. શું સમયની દોડ એને મ્હાત તો નહીં કરે ને? એ પણ પ્રતીત થયું કે

બાંગ્લાદેશના હાઈ કમિશન ઉપર બારીકાઈભરી નજર રાખવી.

કદાચ આ ગૂંચવણનો ઉકેલ ત્યાંથી મળી આવે.

 

ત્રિશૂળના કાર્યકરો માટે આવી પરિસ્થિતિઓ નવી નહોતી. પરીક્ષિતે

ત્રિશૂળ ના એક અનુભવી  અફસર વિનાયક ભંડારીને બોલાવીને બાંગ્લાદેશ

હાઈ કમિશનનો મામલો સોંપ્યો. એ પણ તાકીદ કરી કે આ કામગીરીનો

અહેવાલ એના સિવાય બીજા કોઈને પણ આપવનો નહીં. વિનાયક

અનુભવની એરણ ઉપર ટિપાઈ ટિપાઈ ને ઘડાયો હતો.

વિનાયકનું ભણતર શાળાઓમાં નહીં પણ શેરીઓમાં થયું હતું.

પરિણામે એનામાં એક પ્રકારની હૈયાસૂઝ, ચાલાકી, અને સાવધાનીનો

સંગમ થયો હતો. એક જાસૂસ તરીકે વિનાયકે અનન્ય કામગીરી બજાવી હતી.

ભાસ્કર ચૌહાણ ની નજરે ચઢ્યો ત્યારથી ત્રિશૂળ નો હિસ્સો બની ગયો હતો.

એટલે પરીક્ષિતને ખાત્રી આ કામ માટે વિનાયક સુયોગ્ય હતો.

વિનાયક પણ પરીક્ષિતનો વિશ્વાસ સંપાદન કરવાની તક ઝડપી લેવા ઉત્સુક હતો.

આ બાજુ જોસેફ એ દુકાનના વિચારોમાં ડૂબી ગયો હતો. ઘરે પહોંચ્યા

પછી પણ એ દુકાનના વિચારોને ખંખેરી ન શક્યો. દુકાનનું નામ હતું

આઝાદ ઈમ્પોર્ટસ;અને એ નામ એના મનઃચક્ષુઓ સમક્ષ તરવરી રહ્યું હતું.

સત્તાવાર બાતમીને આધારે તો એનું  અસ્તિત્વ ક્યારનું આથમી ગયું હતું.

કોણજાણે કેમ પણ દુકાન રહસ્યમય લાગી. એણે ઊંડી તપાસ કરવાની

મનોમન નોંધ કરી. એમ પણ નક્કી કર્યું કે એ સ્વયં આઝાદ ઈમ્પોર્ટસ ની

મુલાકાતે જશે. જો તપાસમાંથી નવું કશું જાણવા મળે તો પરીક્ષિતને વાત

કરવી.

પીટર સવારે ઉઠ્યો અને પ્રાતઃકર્મોથી  પરવારીને આઝાદ

ઈમ્પોર્ટસ જવા નીકળ્યો. પીટર એક તાલીમબદ્ધ સાવધ માણસ હતો.

પીટર દુકાનથી થોડેક જ દૂર હતો ને એણે દુકાનમાં જતા પહેલા આસપાસના

વિસ્તારમાં એક લટાર મારવાનો વિચાર કર્યો. દુકાનમાં પ્રવેશ્યા વગર  દુકાનની આસપાસ ચારે તરફ સાહજિક પણ સાવધાનીથી

અવલોકન કર્યું. રસ્તાની સામેની બાજુએ બસસ્ટોપ પર ત્રણ

માણસો લાઈનમાં ઉભા હતા.

માણસોની સાધારણ અવરજવર અવિરત ચાલુ હતી.

પેલા ત્રણ માણસોમાંથી એક જરાક અજુગતો લાગ્યો.

એ માણસની વ્યાપક નજર આખા વિસ્તારને આવરી રહી હતી. થોડેક દૂર

જઈને રસ્તો ઓળંગીને પીટર સામી બાજુએ ગયો અને પાછો વળ્યો.એક બસ આવી.

રાબેતામુજબ પેસેન્જરોની ચઢઉતર થઇ અને બસ રસ્તે પડી. પીટર બસસ્ટોપ

પાસેથી પસાર થયો ત્યારે પેલો સશકમંદ માણસ ત્યાંજ ઉભો હતો! પીટરના

મગજના ચક્રો ગતિમાન થયા. બે શક્યતાઓ લાગી; એક તો બસ,એવ્યક્તિને જ્યાં

જવું હશે ત્યાં નહીં જતી હોય અને બીજી એ કે આ માણસે કોઈ પ્રકારની દેખરેખ

રાખવા માટે અહીં અડ્ડો જમાવ્યો હોય! પીટરના મગજમાં પ્રશ્નોની હારમાળા ચાલુ થઇ.

કોની હિલચાલ? કોની દેખરેખ? શા માટે? એને

તાલાવેલી થઇ. આ વાતનો નિવેડો લાવવાનો નિર્ણય કર્યો.થોડુંક ચાલીને

એક રેસ્ટોરન્ટ માં જઈને  બસસ્ટોપ પર નજર રાખી શકાય એવી ખુરશી

પર બેઠો. ચાનાસ્તો ઓર્ડર કર્યો. નાસ્તો પત્યો તો ય પેલો માણસ ત્યાં જ

અડીખમ હતો! પીટર આગલા દિવસનો તાળો મેળવી રહ્યો હતો. કદાચ

કાલિપ્રસાદ નો પીછો કોઈ કરતું હોય? એનો સંશય દ્રઢ થયો કારણકે

કાલિપ્રસાદ દુકાન માં જઈને પીટર બનીને નીકળેલો. હાલ પૂરતું કાલિપ્રસાદને

પ્રગટ ન કરવાનો નિર્ણય લઈને પીટર બિલ ચૂકવીને બહાર નીકળ્યો.

 

 

 

 

ભીંતર ના વ્હેણ પ્રકરણ: ૨૦

S.Gandhi

સુરેંદ્ર ગાંધી

ભીંતર ના વ્હેણ

પ્રકરણ: ૨૦

પરીક્ષિત મુંબઈ એરપોર્ટથી સીધો ઘરે ગયો. મોડી રાત નો સમય હતો. ઉર્વશી ઓફિસ નું કામ પતાવીને

છાપું વાંચતી હતી. શુભાંગી અને અનુરાગ એમના રૂમ માં હતા. ઉર્વશીને જોતાં જ પરીક્ષિત ના થાકેલા

ચેહેરા પર ઉલ્લાસ ઉમટ્યો. ઉર્વશી એની પ્રેરણા હતી , એનો વિસામો હતી. એનું સર્વસ્વ હતી. ઉર્વશી ના

હૃદય માં પણ પરીક્ષિત માટે આવીજ લાગણીઓનું

ઝરણું અસ્ખલિત વહેતુ હતું. મનમેળ ના સંવેદન ને જ  આ નાજુક લાગણીઓની વેલનું પોષણ થાય છે. અને એની સતત માવજત પણ અનિવાર્ય છે, ઉર્વશીના

આવકારી સ્મિતમા આલિંગન કરતા પણ વધુ આત્મીયતા હોવા છતાં પરીક્ષિતના બાહુપાશ ની કેદ ઉર્વશીએ સહર્ષ સ્વીકારી.શારીરિક હાવભાવની ભાષામાં જે આપલે થઇ એને વાચા આપવાની દુષ્ટતા બેમાંથી

કોઈએ ન કરી. એકમેકના સ્પર્શનું માદ્કતાવિહોણું

માધુર્ય પણ એટલુંજ માર્મિક હતું. ઉર્વશી પરીક્ષિત ના કામ વિષે ક્યારેય પૂછપરછ ન કરતી. એને ખબર હતી કે પરીક્ષિત ની કામગીરી ગંભીર પ્રકાર ની હતી, અને જાહેર ચર્ચા નો વિષય નહોતી. એનાથી અજ્ઞાત રહેવું ઉર્વશીના હિતમાં હતું. અને ઉર્વશીની સલામતી માટે જરૂરી હતું. ન કરે નારાયણ અને

ઉર્વશી આતંકવાદનો ભોગ બને તો બળજબરીથી આતંકવાદીઓ એની પાસેથી કોઈ બાતમી કઢાવી શકે. એ શક્યતાનું નિવારણ ઘણું જ અગત્યનું હતું. ઉર્વશી એવી કોઈ પણ શતરંજ નું પ્યાદું બને એ ઉભય ને

મંજુર નહોતું. આધિનતાનો  અસ્વીકાર  કરનારને

પણ નિંદ્રાધીન થયા ના ચાલે. નિંદ્રા આગળ નમતું

જોખવું જ પડે.પોપચાંનાં વજનથી નિંદ્રાનું ત્રાજવું ભારે થયું અને હળવેકથી બંને શયનાધીન થયા.

 

હકીકતમાં ઉર્વશી પણ બે દિવસ પહેલાજ દિલ્હી થી  પછી ફરી હતી. એના પ્રસ્તાવને મંજૂરી મળશે એમ એનું મન કહેતું હતું. એકાદ પ્રસંગ એવો ઝંખતી હતી, જેમાં પોતાનો કસબ અનેકાર્યદક્ષતા પ્રદર્ષિત કરવાનો મોકો નળે.

 

અનિવાર્ય લેખાતી નિર્દોષ જાનહાની અટકે અને કાળા કરતૂતોના કરનાર ને મ્હાતકરવામાં આવે. એની વ્યૂહરચના એક નવોજ આકાર લઇ રહી હતી. ઉર્વશીના

મગજ માં. એ માનતી કે ઘણીવાર ગૂંચવણભર્યા

મામલાઓનો ઉકેલ સરળ હોય છે. સાવ દેખીતું અને વાસ્તવિક આયોજન પણ એટલુંજ અસરકારક નીવડે કારણકે એમાં નવીનતા ન હોય.

યુક્તિ પ્રયુક્તિઓ ન હોય અને છતાંય અણધારેલું હોયઉર્વશીએ જે સાપ  બનાવ્યો હતો એનું નામ હતું

“વિશેષ નાગ”. એ નાગ ની ફેણમાં જ એની વિશેષતા હતી. ફેણ ઘેન ના રસાયણ થી અથવા ઘાતક ઝેર  થી સજ્જ કરી શકાય એવી હતી. સાપ નું સંચાલન રિમોટ કંટ્રોલ દ્વારા એક ટ્રક માંથી થાય. સાપ ની નજરમાં જે આવે તે બધું ટ્રક માં ગોઠવેલા ટીવી મોનિટર પર સ્પષ્ટ દેખાય. સાપ ની આંખોમાં ઝૂમ, વાઈડ એન્ગલ અને ટેલિફોટો લેન્સ  ધરાવતા

પાવરફુલ  કેમેરા ગોઠવ્યા હતા. કોઈ પણ ચીજ વસ્તુ  ઝીણવટપૂર્વક જોઈ શકાય. ક્લોઝ સર્કિટ ટીવી

ટેક્નિકનો પુરેપુરો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્રક પણ બહુરૂપી હતી. પ્રસંગોચિત વાઘા ધારણ કરે. બોલબેરિંગની ગોઠવણી થી ચુપકીદીથી સરકતા સાપ નો રંગ પણ જરૂર પ્રમાણે બદલી શકાય તેવો હતો. લીલોતરી કે ભેખડ માં આસાનીથી ભળી જાય. સાપના  વિશિષ્ટ  બંધારણ ને કારણે એની પકડ કેભીંસમાં જે સપડાય, તેના અંગ

ઉપાંગો સજા ન રહે, નિષ્ક્રિય બની જાય. વર્ષોની

મહેનત  બાદ સાપ સર્જન ની સાધના પુરી થઇ હતી.

આ બાજુ  જોસેફ નો સાથીદાર કાલિપ્રસાદનો પીછો કરીને  કોલિવાડા  વિસ્તાર માં આવ્યો. કાલિપ્રસાદ ટેક્ષીમાં થી ઉતર્યો અને એક દુકાનમાં પ્રવેશ્યો. જોસેફ નો સાથી પણ ટેક્સી છોડીને એક સામાન્ય રાહદારીની જેમ દુકાન તરફ

ગયો.કૈંક ખરીદવાનું યાદ આવ્યું હોય તેમ જયારે એ

દુકાનમાં પ્રવેશ્યો ત્યારે સામેથી એક દાઢીમૂછવાળા ને દુકાનમાં થી બહાર જતા જોયો. દુકાનમાં બીજા ઘરાક પણ હતા પણ કાલિપ્રસાદ જ નહોતો! વિમાસણ

ખડી થઇ. કાલિપ્રસાદ ગયો ક્યાં?  એ અકળાયો. એક ત્રિશુલ ના અફસર માટે આ અણછાજતું ગણાય. એણે તરત જ જોસેફ નો સંપર્ક કર્યો અને અહેવાલ આપ્યોજોસેફને તરત જ ખ્યાલ આવ્યો કે દુકાનમાં અવશ્ય કોઈ ભેદ છે.જોસેફે એના સાથીદારને હિંમત આપી

અને નવી કામગીરી સોંપી; દુકાનમાં ચાલી રહેલી

અવરજવર ઉપર નજર રાખવાની, સેલફોનથી દુકાનમાં આવતા-જતા લોકોના ફોટા પાડીને ત્રિશુળને મોકલવાની. દુકાનનું નામ સાથીદારે ત્રિશુળને મોકલ્યું અને થોડીવારમાં જવાબ પણ આવી ગયો કે એ નામની દુકાન તો વર્ષો થી  બંધ હતી. તો પછી આ કોની દુકાન અને કઈ દુકાન?

 

હોમમિનિસ્ટર કુશળ અગ્રસેન ના આવાસમાં એક

અસાધારણ ઘટના બની. વાત કરતા કરતા પરસેવો

થતો હતો.કુશળના ચીંતિત ચહેરાની ભૌગોલિક રચના માં ફેરફાર થયા.કપાળ પર કરચલીની કુંપળોમાં ફણગા ફૂટ્યા. એમણેદબાયેલા સ્વરમાં ફોન કરનાર

વ્યક્તિને હવે પછી  ક્યારેય એમના નિવાસસ્થાને ફોન ન કરવાની તાકીદ કરી. શૈલજા પુણ્યાર્થી પણ એમ ગાંજી જાય એવી ન હતી. એણે અગ્રસેન ને કહ્યું કે કાચના મહેલમાં રહેનારને પથ્થરબાજી કરવાનું પરવડે નહીં. શૈલજાએ પાણીચું પરખાવ્યું. પ્રાઈમ મિનિસ્ટર ને આજે મોડી સાંજે મળવા  આવનાર વ્યક્તિ ની માહિતી એને મળવી જ જોઈએ. અને જો તેમ નહીં થાય તો કુશળ ની પ્રતિષ્ઠાને હાનિ થશે.

 

શૈલજા પુણ્યાર્થી કન્યાકુમારી તરીકે પ્રખ્યાત હતી. એ નામ ધારણ કરવા પાછળ રહસ્ય હતું. વૈમનસ્ય. નિર્દોષ પારેવા જેવીશૈલજાને આંગણે યૌવન ના પગલાં થયાન થયા ત્યાં તો પાશવી પારધીઓએ પારેવડાંને પીંખીનાખ્યું.શૈલજા નું શીલ ખરડાયું. કૌમાર્યવસ્થા ની

કુણાશ પર કઠોર કામવાસનાએ સ્થાપેલ વર્ચસ્વથી એરીઢી થઇ ગઈ હતી.હવસખોરોની હોળીમાં  હોમાયેલીશૈલજામાંથી કન્યાકુમારીનો  જન્મ થયો હતો. આમતો એને પુરુષો પ્રત્યે ઘૃણા નહોતી, પણ એમની

પાશવીવૃત્તિઓની એ સખ્ત વિરોધી હતી. શૈલજા એ

પણ જાણતી હતી કે પાશવી નરાધમ પુરુષો કરતા

સદાચારી પુરુષોની સંખ્યા વધારે હતી. કન્યાકુમારીની કામવાસનાની સાધના અશ્લીલતાના અખાડાઓમાં પરિપક્વ થઇ હતી.  ખજુરાહોના શિલ્પની શિખામણ ના સથવારે નિપુણ બની હોવા છતાં,સ્વાનુભવના શિક્ષણની તોલે કોઈ જ ન આવે.શૈલજા સ્વયંને એક અનુભવી અને આકર્ષક નગરવધુ માનતી હતી. આપણા

પૂર્વજોની દુરંદેશી પણ કમાલ ની હતી. એક સુંદર કન્યા ને મેળવવા માટે રામાયણ કે મહાભારત ના  મંડાણ ન થાય એટલે એવી કન્યા ને સાર્વજનિક નગરવધૂનું બિરુદ અર્પણ કર્યું. આવી નગરવધુ કોઈ ની ન થાય, પણ બધા

એના થવા માટે તલસે અને  આશ્વાસન મેળવે કે ખેર, જે પોતાને ન મળી એ બીજા કોઈને ય ન મળી!ઘાસના પૂળા પર બેઠેલા શ્વાન! કન્યાકુમારી પૈસાપાત્ર પ્રતિષ્ઠિતો

અને પહોંચેલા પોલિટિશિયનોની માનીતી હતી. અને તેમને પહોંચીવળે તેવીહતી.સરકારી વહીવટી તંત્રના માળખામાં મિનિસ્ટર  દીઠ પોર્ટફોલિયો હોય છે અને કોઈ વીરલાઓ એકથી વધુ ખાતાં સંભાળે! શૈલજા આવા  મિનિસ્ટરોની મિનિસ્ટર હતી!

કુશળ અગ્રસેન એક અનુભવી, વિચક્ષણ અને વિદ્વાન રાજ્યકર્તા તરીકેપ્રખ્યાત હતો. સરદાર પટેલ જેવી

કુનેહ એનામાં હતી. સ્વતંત્ર દેશ ના વિકાસની સાથે સાથે સંકુચિત પ્રાંતવાદ, રાજકીય, આર્થિક અને

સામાજિક ગુંડાગીરીનો સડો પણ વિકસ્યો. વિદેશથી આઉટસોર્સ થયેલ રોજગારીથી દેશમાં આબાદી ની સાથે બીજા ઘણા અનિચ્છીય આગમન થયા. આતંકવાદના આગમન સાથે કુસંપ ના બીજ રોપાયા અને રાજકારણ કુસ્તીનો અખાડો બની ગયું.

દેશનું વિભાજન થાય તે પહેલા કુશળ અગ્રસેન સત્તા પર આવ્યો. એણે સ્વતંત્ર કાશ્મીરની માંગણી કરનારાઓને જાહેર માં એવી રીતે ખુલ્લા પાડયા કે એમની

લાગવગ ઘટી ગઈ. કાશ્મીરનો આર્થિક વિકાસ થયો. લાંબા સમયથી ચાલી રહેલા કાશ્મીરના ઝઘડાનો અંત આવ્યો. શક્તિશાળી ઇન્ડિયન આર્મીએ કાશ્મીર પર વર્ચસ્વ સ્થાપ્યું અને સરહદને સુરક્ષિત બનાવી

પરિણામે કાશ્મીર ભારતનું એક સાવધાન અને

સુરક્ષિત સ્ટેટ બન્યું.

 

જુના ઝઘડાઓનું નિરાકરણ કરવા કુશળ અગ્રસેન

હંમેશા તૈયાર રહેતો, પણ બહારના કોઈ પણ દેશ ની ડખલ વગર. ખાસ કરીને પશ્ચિમી દેશો કે જેમની

ડિવાઇડ એન્ડ રુલ ની પ્રથાએ અત્યારસુધી હરેક  પ્રશ્નને  સળગતો જ રાખ્યો હતો. બીજી શરત એ હતી કે આતંકવાદને ભારત ક્યારેય નમતું નહીં જોખે.

ખરેખર એણે આતંકવાદીઓને નમાલા અને નકામા બનાવી દીધા. આર્થિક ઉન્નતીએ લોકોમાં નવી આત્મશ્રદ્ધા જગાવી. લોકોને આતંકવાદની પોકળતા નો અહેસાસ થયો. એમને ખાતરી થઇ કે શારીરિક, માનસિક અને આર્થિક સુખચેન પ્રાપ્ત કરવા માટે આતંકવાદ

નિષ્ફ્ળ ગયો છે. આતંકવાદ આથમ્યો. સમજુતીભર્યું નિરાકરણ જયારે થાય ત્યારે પણ અવિભાજ્ય કાશ્મીર પર ભારતનું વર્ચસ્વ રહેશે. એ નિઃશંક છે. ટૂંક સમયમાં આખો પ્રદેશ પૃથ્વીનું સ્વર્ગ તો ન બની શક્યો, પણ

નર્ક તો ન જ રહ્યો. સુખચેન ની સુંવાળપ અનુભવ્યા

પછી કોને પણ સારાસાર નો ખ્યાલ આવ્યો. કોમવાદ

નાબૂદ થયો. પહેલીવાર દેશમાં અપૂર્વ એકતા નો ઉદય થયો. આતંકવાદ અને ગુંડાગીરીમાં સામ્ય છે. ગુંડાગીરી એક ઘરેલુ આતંકવાદ જ છે ! રામરાજ્ય તો ન

સ્થપાયું પણ એક પ્રગતિશીલ અને પ્રતિષ્ઠિત લોકશાહી માં ભારત ની

ગણના થવા લાગી.

 

 

ભીંતર ના વ્હેણ પ્રકરણ: ૧૯

S.Gandhi

સુરેંદ્ર ગાંધી

ભીંતર ના વ્હેણ  પ્રકરણ: ૧૯

જોસેફ ટ્રકની  તપાસ કરીરહ્યો હતો. એને ખાતરી  હતીકે નક્કર પુરાવાનો અભાવ હશે. એણે ટ્રક ની લાઇસન્સ  પ્લેટ નો નમ્બર ત્રિશૂળ ને મોકલ્યો.અને તરત જ પ્રત્યુત્તર આવ્યો કે લાઇસન્સ પ્લેટ ચોરાયેલી હતી. જોસેફ ને નવાઈ ન લાગી.એ ટ્રક ના ટ્રેઇલર માં નજર ફેરવી રહ્યો હતો. સિરાજનો એક કામદાર એની પાસે આવ્યો અને ટ્રકમાંથી ઉતારેલી કારની વિગતો આપી ને એ કાર ક્યાં રાખવામાં આવી છે તે પણ જણાવ્યું. જોસેફે કાર ને ઓળખી કાઢી. એણે તાબડતોબ ત્રિશૂલને જણાવ્યું કે એન્રીચડ યુરેનિયમવાળી કારનોપત્તો મળ્યો છે. આ સમાચાર પરીક્ષિત ને સેલફોન પર એસએમએસ થી મોકલવામાં આવ્યા. જોસેફ પાસે કાર ની ચાવી નહોતી પણ ચાવી વગર કોઈ પણ કાર નો દરવાજો ખોલવાની કળા ત્રિશુલના દરેક અફસરને ગળથુથીમાં પીવડાવવામાં આવેછે. કારની અંદર  પ્રવેશીને એણે જોઈ લીધુંકે સેઇફ સલામત હતી. જોસેફ ખુબ ખુશ થયો. યુરેનિયમની સુરક્ષા ની જવાબદારી એના શિરે હતી.અને અંતે એનું પાલન કરવાનો મોકો એને મળ્યો ખરો! ગૌતમ દીવાન ને પણ આ સમાચાર મળ્યા. ગૌતમે જોસેફ પાસેથી સિરાજના ગરાજનું  સરનામું મેળવ્યું. અને એ બનતી ત્વરાએ ત્યાં પહોંચશે એ પણ જણાવ્યું. તે દરમ્યાન જોસેફ ની દેખરેખ રાખવાનો અનુરોધ કર્યો.ગૌતમ ને પહોંચતા કલાક વીત્યો. એણે  સેઇફ નું કોમ્બિનેશન લોક ખોલ્યું. યુરેનિયમ નો જથ્થો સેઇફ માં નહોતો! યુરેનિયમ ના સિલિન્ડર નું શું થયું હશે? કારના ર્ડ્ઈવર નું શું થયું? મામલો વધુ ગૂંચવાયો.

 

પ્રત્યેક પ્રશ્નના ઉકેલમાં ઉત્તરરૂપે નવા પ્રશ્નો જન્મતા હતા.એક જૂની ફિલ્મમાં ગીત હતું: એક સવાલ મેં કરું, એક સવાલ તુમ કરો. હર સવાલ કા જવાબ ભી સવાલ હો.ફિલ્મમાં એ ભલે મનોરંજક લાગે પણ વાસ્તવમાં તો હતાશાજનક.

 

ગૌતમ દીવાન અણુકેન્દ્ર પાછો ફર્યો. દિવાકર  માધવન નો અનલિસ્ટેડ નંબર  જોડ્યો. દિવાકરને ગૂમ થયેલ યુરેનિયમ સિલિન્ડર વિષે વાત કરી. દિવાકરને આઘાત કરતા આશ્ચર્ય વધુ લાગ્યું.કેટકેટલી ચોકસાઈ અને સલામતીના પ્રબંધો પાણીમાં ગયા. આવી દુર્લભ માહિતી કેવી રીતે કોઈ ત્રાહિત ના હાથમાં આટલી સરળતાથી અને સહેલાઈથી પહોંચી? માધવનના મગજના ચક્રો , પ્રકાશથી પણ વધુ તેજ ઝડપે ફરી રહ્યા હતા. મામલાની ગંભીરતાના અસહ્ય બોજમાં એ ભીંસાયો. હાલ પૂરતું તો આ બાતમી પ્રાઈમ મિનિસ્ટર, હોમ મિનિસ્ટર અને ડિફેન્સ મિનિસ્ટર પુરતીજ મર્યાદિત રાખવાનો નિશ્ચય કર્યો. દિવાકર આદત પ્રમાણે પ્રત્યક્ષ સમસ્યાનો ઉકેલ લાવવા ઉત્સુક હતો પણ ઉતાવળો નહોતો. એને ખ્યાલ આવી ગયો કે આ તો કદાચ હિમશીલા ની એક ટોચ માત્ર પણ હોય! એની ગહેરાઈનો  તાગ લગાવવો જ રહ્યો. આવા વટવૃક્ષને જડમૂળથી નાબૂદ કરવું જ રહ્યું. ધીરજ, ખંત, ચબરાકી, સામ, દામ, ડંડ, ભેદનો ઉપયોગ કરવો જ રહ્યો. કદાચ આતંકવાદી પણ સંડોવાયેલા હોય! જે દેશ આતંકવાદીઓને સીધા દોર નકરે , એ દેશનું ભવિષ્ય ઉજ્જવળ ન હોઈ શકે. કાયદો અને જાસૂસી-ઇન્ટેલિજન્સ નો સમન્વય  સાધ્યા વગર આ કામ મુશ્કેલ બને. એક વાત નક્કી કરીકે આ કાળા કામ કરનાર દુશમનને અસાવધ રાખવો, જેથી એનો આત્મવિશ્વાસ દ્રઢ બને, જેથીએ બેદરકાર બને. એવા દુશમનને ભુલથાપ આપી શકાય. આમેય તે દિવાકર જરૂર કરતા વધારે વાણી, આચાર, વિચારનું આચરણ કરવામાં માનતો નહોતો. એના મગજમાં શું ચાલી રહ્યું છે એ ભાગ્યે જ કોઈ જાણી શકતું.   જોડ્યો. દિવાકરને ગૂમ થયેલ યુરેનિયમ સિલિન્ડર વિષે વાત કરી. દિવાકરને આઘાત કરતા આશ્ચર્ય વધુ લાગ્યું.કેટકેટલી ચોકસાઈ અને સલામતીના પ્રબંધો પાણીમાં ગયા. આવી દુર્લભ માહિતી કેવી રીતે કોઈ ત્રાહિત ના હાથમાં આટલી સરળતાથી અને સહેલાઈથી પહોંચી? માધવનના મગજના ચક્રો , પ્રકાશથી પણ વધુ તેજ ઝડપે ફરી રહ્યા હતા. મામલાની ગંભીરતાના અસહ્ય બોજમાં એ ભીંસાયો. હાલ પૂરતું તો આ બાતમી પ્રાઈમ મિનિસ્ટર, હોમ મિનિસ્ટર અને ડિફેન્સ મિનિસ્ટર પુરતીજ મર્યાદિત રાખવાનો નિશ્ચય કર્યો. દિવાકર આદત પ્રમાણે પ્રત્યક્ષ સમસ્યાનો ઉકેલ લાવવા ઉત્સુક હતો પણ ઉતાવળો નહોતો. એને ખ્યાલ આવી ગયો કે આ તો કદાચ હિમશીલા ની એક ટોચ માત્ર પણ હોય! એની ગહેરાઈનો  તાગ લગાવવો જ રહ્યો. આવા વટવૃક્ષને જડમૂળથી નાબૂદ કરવું જ રહ્યું. ધીરજ, ખંત, ચબરાકી, સામ, દામ, ડંડ, ભેદનો ઉપયોગ કરવો જ રહ્યો. કદાચ આતંકવાદી પણ સંડોવાયેલા હોય! જે દેશ આતંકવાદીઓને સીધા દોર નકરે , એ દેશનું ભવિષ્ય ઉજ્જવળ ન હોઈ શકે. કાયદો અને જાસૂસી-ઇન્ટેલિજન્સ નો સમન્વય  સાધ્યા વગર આ કામ મુશ્કેલ બને. એક વાત નક્કી કરીકે આ કાળા કામ કરનાર દુશમનને અસાવધ રાખવો, જેથી એનો આત્મવિશ્વાસ દ્રઢ બને, જેથીએ બેદરકાર બને. એવા દુશમનને ભુલથાપ આપી શકાય. આમેય તે દિવાકર જરૂર કરતા વધારે વાણી, આચાર, વિચારનું આચરણ કરવામાં માનતો નહોતો. એના મગજમાં શું ચાલી રહ્યું છે એ ભાગ્યે જ કોઈ જાણી શકતું.

 

પરીક્ષિત હોમ મિનિસ્ટર ને મળવા દિલ્હી ગયો છે એ વાત દિવાકર જાણતો હતો. દિવાકરે પ્રાઈમ મિનિસ્ટર નો ખાનગી ફોન જોડ્યો અને પરિસ્થિતિ નો અહેવાલ આપ્યો. ત્યારબાદ ડિફેન્સ મિનિસ્ટર ને તાજા ખબર નો રિપોર્ટ આપ્યો. ત્રણેય મિનિસ્ટરોએ નક્કી કર્યું કે પરીક્ષિત દિલ્હી પહોંચે ત્યારે પ્રાઈમ મિનિસ્ટર ની ઓફિસ માં જ બધાએ ભેગા થવું. દિવાકર ને પણ આ નિર્ણય યોગ્ય લાગ્યો.

 

પરીક્ષિત માટે દિલ્હી એરપોર્ટ પર ત્રિશૂળ  ની કાર તૈયાર હતી.ત્રિશૂળ ના ડ્રાઈવરે એક સીલબંધ કવર આપ્યું. પરીક્ષિતે કવર ખોલીને કાગળ વાંચ્યો. એમાં પ્રાઈમ મિનિસ્ટર ની ઓફિસ માં હાજર થવાનો આદેશ હતો. હોમમિનિસ્સ્ટર અને ડિફરન્સ મિનિસ્ટર પણ હાજર રહેશે એ વાતનો ઉલ્લેખ પણ એમાં હતો. ત્રિશૂળ ની કાર  પરીક્ષિત ને લઈને રવાના થઇ અને એની સાથે એ કાર જેવીજ આઆબેહુંબ કાર હતી. પાછળ ત્રીજી કાર સ્સલામત અંતરે સાવચેતી થી પરીક્ષિત ની કાર નો પીછો કરતી હતી.પરીક્ષિત ની કાર ના ડ્રાઈવરને આ હકીકત નો ખ્યાલ આવી ગયો. ડ્રાઈવરે ત્રિશૂળ ની આબેહૂબ કારને સેલફોન દ્વારા સંદેશો મોકલ્યો. ડ્રાઈવરે જોયું કે પેલી આબેહૂબ કાર એની પાછળ બીજી લેઈનમાં હતી. ત્રિશૂળ ની તાલીમ અનુસાર એક ટ્રાફિક સિગ્નલ પર પરીક્ષિતની કાર એક ગલીમાં વળી ગઈ અને એની જગ્યાએ આબેહૂબ કાર એવી સિફત થી ગોઠવાઈ ગઈ  કે થોડા અંતરે અનુસરતી ત્રીજી  કાર ને અદલાબદલી નો અણસાર પણ ન આવ્યો.પરીક્ષિત ના ડ્રાઈવરે કાર સાઈડમાં પાર્ક કરી અને બીજી કાર મંગાવી. પાંચ મિનિટમાં તો બીજી કાર આવી અને પરીક્ષિતના રસાલાને લઇને રવાના થઇ. થોડીકજ વારમાં પરીક્ષિત પ્રાઈમ મિનિસ્ટર ની ઓફિસે પહોંચ્યો. પરીક્ષિત ના ધ્યાન બહાર એક પ્રેસ ફોટોગ્રાફર દૂરથી ટેલીફોટોલેન્સ વાપરીને ફોટા લઇ રહ્યો હતો. જનસમુદાય ની સમાચાર ક્ષુધા શમાવવામાં પ્રેસ ફોટોગ્રાફર સારો એવો ભાગ ભજવે.વળી સિક્યુરિટી ની દ્રષ્ટિએ પ્રેસ ફોટોગ્રાફર એટલા ખતરનાક નહીં હોય એટલે એમની જાંચ-પડ઼તાલ માં પણ હળવાશ હોય. એમની હિલચાલ પર ચાંપતી નજર પણ રાખવામાં ન આવે.

 

પરીક્ષિત પ્રાઈમ મિનિસ્ટર ને પહેલા પણ મળ્યો હોવા છતાં એમનાથી અંજાઈ ન જવાય એની

તકેદારી ધ્યાનમાં રાખી.ગમે એમ તોય એક વિશાળ લોકશાહીની સત્તા ના સૂત્રધારના પ્રભાવ અને પ્રતિભા   ભલભલાને મ્હાત કરે. બીજા બે મિનિસ્ટર પણ હાજર હતા. હકીકત એ હતીકે યુરેનિયમનો કાફલો ખોરવાયો હતોઅને કાર ની  સેઈફમાં યુરેનિયમ નો સિલિન્ડર નહોતો. યુરેનિયમ નું શું થયું? શું થઇ શકે? ક્યાં અને કેવી રીતે? ક્યારે? અને એવી તો કેટલીય સમસ્યાઓ વહેતી થઇ. પરિસ્થિતિ નાજુક અને ગંભીર હતી. વાત વણસી ન જાય એ ખુબ જ અનિવાર્ય હતું. આ વાતને કોઈ પણ હિસાબે ગુપ્ત રાખવાની હતી. દેશમાં અંધાધુંધી અને ગભરાટ ન ફેલાય તે પણ ધ્યાનમાં રાખવાનું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મામલો બિચકી ન જાય તે પણ જોવાનું હતું. એનરિચ્ડ યુરેનિયમ જેવી મહામૂલી ચીજનું લીલામ પણ થાય અને વેચનારને મોં માગ્યા દામ મળે. દૂધ પાઈને ઉછેરેલા સાપ જેવા પેટ્રોલિયમ વેચી સમૃદ્ધ આરબ દેશોની અઢળક કમાણી માટે આવા મોં માંગ્યા દામ આપવાનું સહેલું છે.

 

ત્રિશૂળ ની પ્રગતિથી દેશના સત્તાધીશો પ્રસન્ન તો હતા પણ એમનામાં ધીરજ નો અભાવ હતો.  એમની રાજકીય મૂડી અકબંધ જળવાઈ રહે અને એમની લોકપ્રિયતા ના આંકને આંચ પણ ન આવે તે પણ એટલુંજ જરૂરી હતું.અંતે આ મામલો જેમ બને તેમ જલ્દી હલ કરવા માટે યોગ્ય પગલાં લેવા. કોઈ પણ જાતની પ્રસિદ્ધિ પર અંકુશ લાદવામાં આવ્યો. ફક્ત પ્રાઈમ મિનિસ્ટર જ દેશ સમક્ષ યોગ્ય સમયે હકીકતો રજૂ કરશે.પરીક્ષિતને બધી જવાબદારી સોંપાઈ. પરીક્ષિત સહર્ષ કબૂલ થયો અને સાથે સાથે પ્રાઈમ મિનિસ્ટર ને વિનંતી કરી કે સત્તાવાર જવાબદારી લેખિત હોવી જોઈએ. એમાં એ પણ સ્પષ્ટ હોવું જોઈએ કે પરીક્ષિત આ કાર્યવાહી પ્રાઈમ મિનિસ્ટર ના પ્રતિનિધિ તરીકે , એમના આદેશ અનુસાર કરે છે. અને એનો અહેવાલ પ્રાઈમ મિનિસ્ટર સિવાય કોઈ માંગી ન શકે. હોમ મિનિસ્ટર અને ડિફેન્સ મિનિસ્ટર નો નાજુક અહમ એનાથી ઘવાયો. પ્રાઈમ મિનિસ્ટરે સમયસૂચકતા વાપરીને બેઉં ને યથાયોગ્ય માહિતી પોતે જ પુરી પાડશે તેમ કહીને તેમના ઘવાયેલા અહમ પર મલમપટ્ટી કરી. પરીક્ષિતનો દુરાગ્રહ અસ્થાને નહોતો. રાજકીય નેતાઓની સત્તાલાલસા  એક જાતની વેશ્યાવૃત્તિ જ હતી.એકમેક ના હરીફ અને દુશમન હોવા છતાં  પણ જરૂર પડે એકબીજાના પડખા સેવતા ન શરમાય. પરીક્ષિત દલાલી કરવા તૈયાર નહોતો. એમની રાજકીય પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા સાચવવા માટે એને હોળીનું નાળિયેર પણ બનાવાય એ શક્યતા પરીક્ષિત ને માન્ય નહોતી.મિટિંગ બરખાસ્ત થઇ ત્યારે પ્રાઈમ મિનિસ્ટર ના સહીસિક્કા ધરાવતો સત્તાવાર દસ્તાવેજ એના હાથમાં હતો. પરીક્ષિત ત્યાંથી એના રસાલા સહિત બે વખત કાર બદલીને એરપોર્ટ પહોંચ્યો અને મુંબઈની ફ્લાઇટ પકડી.

ભીંતર ના વ્હેણ પ્રકરણ ૧૮

S.Gandhi

સુરેંદ્ર ગાંધી

ભીંતર ના વ્હેણ

પ્રકરણ ૧૮

પરીક્ષિત અને ઝફર નો મેળાપ ઘણાજ વિચિત્ર સંજોગો માં થયો હતો. ઘણીવાર પરીક્ષિત મુશાયરાઓમાં હાજરી આપતો, પણ જ્યાર થી ન્યુ કેસરી માં જોડાયો હતો ત્યારથી સમય ના અભાવે એના કવિત્વ ની વેલ કરમાઈ રહી હતી. વર્ષો પહેલા ની આ વાત છે. આવા જ એક સંમેલન માં ભાગ લેવા એ કાશ્મીર ગયો હતો. કાશ્મીર માં ત્યારે અશાંતિ અને અરાજકતાનો આવાસ હતો. પાકિસ્તાન અને હિન્દુસ્તાન ના મતભેદો માં સ્વતંત્ર કાશ્મીરની ઝુંબેશ પણ ઝબકતી હતી. બે પક્ષોની લડાઈમાં  આવા તો કૈંક ત્રીજાઓ ફાવી ગયાના દાખલા ઇતિહાસમાં મોજુદ છે. મુશાયરા ની પુર્ણાહુતી બાદ પરીક્ષિત હોટેલ ના રૂમ પર પાછો ફર્યો અને સુવાની તૈયારી કરતો હતો ત્યાંજ દરવાજે ટકોરા થયા. કોઈના આગમન ની અપેક્ષા તો નહોતી એટલે સહેજ વિસ્મય થયું. કોણ હશે આ સમયે? તેય કાશ્મીર માં? ટકોરા વધુ ઉગ્ર બન્યા. પરીક્ષિતે એક યુગલને દરવાજે ઉભેલું જોયું. યુગલ અંદર આવ્યું. યુવતી હિન્દૂ હતી અને યુવક મુસલમાન. યુવક નો ચહેરો ચિંતાતુર હતો. યુવતીનો ચહેરો ભયભીત છતાં નિશ્ચયાત્મક હતો. પ્રેમ ના પ્રવાહમાં તણાયેલ યુગલ સરહદી સીમા પાર કરી ચૂક્યું હતું અને ધાર્મિક બંધનોની શૃંખલા તોડી, એકમેકમાં ઓતપ્રોત થઇ જવાની બન્નેની તૈયારી હોય તેમ લાગતું હતું.. યુવતીના કુટુંબીઓ આ યુગલ ની શોધખોળ માં આકાશપાતાળ એક કરી રહ્યા હતા. યુગલને માથે જાનનું જોખમ હતું. પરીક્ષિતની સહાય  અને આશ્રય મળે તો યુગલ વેશપલટો કરીને રાત ના અંધકારનો લાભ લઈને પાકિસ્તાની કાશ્મીરમાં સરકી જવા ઇચ્છતું હતું. પરીક્ષિતે ક્ષણિક ક્ષોભ અનુભવ્યો અને અંતે એમની વ્હારે આવ્યો. ત્યારથી એ લોકો એકમેક ના સંપર્ક માં રહ્યા. યુવક પાકિસ્તાનના જાસૂસી ખાતા માં એક ઉચ્ચ અધિકારીની પદવી પ્રાપ્ત કરી ચુક્યો હતો.

 

પરીક્ષિત ન્યુ કેસરી માં જોડાયો ત્યારે એણે સમગ્ર બીના જણાવી હતી.માધવન અને ભાસ્કર તરફ થી આ સંબંધ માટે કોઈ બાધ નહોતો.યુવક હિન્દૂ-પાક નહીં પણ હિન્દૂ-મુસ્લિમ એકતાનો હિમાયતી હતો. એને માટે  એ, કૈં પણ કરવા કરી છૂટવા કટિબદ્ધ હતો. અંતે નક્કી થયું કે સરહદ ની બેઉં બાજુ હિન્દૂ-મુસ્લિમ એકતાને આંચ આવે એવા બનાવોથી એકમેકને માહિતગાર કરવા. ત્રિશુલ ના એક ઉચ્ચ અધિકારીનો પાકિસ્તાની જાસુસીખાતાના કોઈ અધિકારી સાથે સંબંધ વાસ્તવમાં યોગ્ય ન ગણાય. પણ આવી અમૂલ્ય જતી નો ન જ દેવાય ને! અંતે એમ ઠરાવવામાં આવ્યું કે પરીક્ષિત નો અનલિસ્ટેડ નમ્બર આપવો અને  જરૂર પડે ત્યારે ચારુદત્ત નામધારી ઝફર સંપર્ક કરી શકે. સાવધાની ખાતર ચારુદત્ત અને પરીક્ષિત ના સંબંધ આડકતરા હતા એટલે કોઈ પગેરું કાઢે તો પણ કૈં વિગતો પ્રાપ્ત થઇ શકે તેમ નહોતું.

 

 

પરીક્ષિતે હોમ મિનિસ્ટર નો ફોન જોડીને તાત્કાલિક મુલાકાત માંગી. રૂબરૂમાં જ થઇ શકે એવી વાત હતી એ ભારપૂર્વક જણાવ્યું.સાંજના આઠ વાગ્યા પછી નો સમય નક્કી થયો.પરીક્ષિત ની સેક્રેટરીએ  દિલ્હી ની ફ્લાઇટ ની ટિકિટ બુક કરી.મુલાકાત પતે એટલે એ તરત જ પાછો ફરવાનો હતો. નિયમાનુસાર વામન અને વિશ્વનાથ એના પડછાયા બન્યા.પરીક્ષિત રવાના થતો હતો ત્યાં જ એનો ઇન્ટરકોમ રણક્યો. સેક્રેટરીએ જણાવ્યું કે રઝિયા ઝેદી વાત કરવા માંગતી હતી. રઝિયાએ પોતાની ઓળખ આપી. જો કે પરીક્ષિતને  એની જરૂર નહોતી.રઝિયા ના જણાવ્યા મુજબ એના પર હુમલો કરનાર બે શખ્સોને એના ભાઈ ના કારખાના માં જોયાહતા. ટ્રકમાં થી ઉતરી રહેલી કાર ની પણ વાત કરી. પરીક્ષિત ક્ષણભર અવાક બની ગયો પણ પછી એણે રઝિયા ને સૂચના આપી કે આ બાબત પર પડદો રાખવો અને રોજીંદી વર્તણુક ચાલુ રાખવી. એ પણ જણાવ્યું કે કોઈ શકમંદ હિલચાલ નજરે ચઢે તો સાવચેતીપૂર્વક ફોન દ્વારા સંપર્ક સાધવો. શકમંદ શખ્સો ને કોઈ પણ હિસાબે અણસાર ના  આવવો જોઈએ કે એમની હિલચાલ પર નજર રાખવામાં આવે છે. અસાવધ શત્રુ ને મ્હાત કરવાનું શક્ય હોય છે. એને રઝિયા નો આભાર માનીને ફોન પતાવ્યો.

 

ત્યારબાદ ત્રિશૂળ ના બે ચુનંદા ઓફિસરોને સિરાજ ના કારખાને પહોંચીને શકમંદ શખ્સો ની દેખરેખ રાખવાનો આદેશ આપ્યો. સાવચેતીરૂપે સિરાજને ત્રિશૂળ તરફ થી એ ત્રણ શખ્સોને રોકી રાખવાની સૂચના પણ આપવામાં આવી. બે ગ્રાહકો ના સ્વાંગ માં ત્રિશૂળ ના માણસો એના કારખાને આવશે એ પણ જણાવ્યું. સિરાજને એનું કામ રાબેતા મુજબ જારી રાખવાનું કહેવામાં આવ્યું.

 

ત્રિશુળમાંથી જોસેફ અને એક સાથીદાર સિરાજને મળવા રવાના થયા. ટ્રાફિકમાં સમય બગાડવા કરતા ટ્રેઈન પકડી અને જોગેશ્વરી  પહોંચ્યા. ટેક્ષી કરી સિરાજને કારખાને પહોંચ્યા. સીધા સિરાજની ઓફિસ માં જવાને બદલે પાછળના ભાગ માં ખડકાયેલી કારો ની હાર તરફ વળ્યાં. કોઈ સેકન્ડહેન્ડ કાર ની શોધમાં. ખરેખર ઈરાદો એવો હતો કે પેલા ત્રણ શકમંદ શખ્સોની જાણબહાર એમની ભાળ મેળવવાનો. ફરતા ફરતા એક કારની  ઓથે રહીને જોસેફે  બાઇનોક્યુલરથી કારખાનાની અંદર જોવાનો પ્રયાસ કર્યો  તો વેઇટિંગ રૂમમાં ત્રણ શખ્સો બેઠેલા દેખાયા. એમને ઓળખવામાં પલભર નો પણ વિલંબ ન થયો. જોસેફે એના સાથીને પરિસ્થિતિ સમજાવી. અંતે નક્કી થયું કે એનો સાથી ગ્રાહક બનીને સિરાજ ને મળશે. જોસેફ ને એ લોકો ઓળખી જાય તો વાત વણસી જાય તેમ હતું. જોસેફ ના પ્રાગટ્યનો પ્રશ્ન સંજોગો પર છોડ્યો.

 

નક્કી થયા પ્રમાણે જોસેફ નો સાથી એક સારી સેકન્ડહેન્ડ કાર ખરીદવાના હેતુ થી સિરાજ ને નળવા ગયો. લાલ રંગ ની કાર એને પસંદ હતી.છતાંય બીજા કોઈ પણ રંગ ની કાર પણ ચાલશે એમ જણાવ્યું.બીજી આડીઅવળી વાતો કરીને સિરાજને કાર બતાડવા કહ્યું. બહાર જવાનો રસ્તો વેઇટિંગ રૂમ માં થી જતો હતો. જેવા વેઇટિંગ રમ માં આવ્યા કે સાથીદાર નો ફોન રણક્યો. જોસેફે એના સાથીદાર ને ફોન પર વાત કરવાને બહાને પેલા ત્રણ શખ્સો ના ફોટા લેવા જણાવ્યું. ત્યારબાદ સિરાજની ઓફિસ માં ફોન ની ઘંટી વાગી. સિરાજે ફોન ઉપાડ્યો; જોસેફ ફોન પર હતો. એણે સિરાજને ટ્રક નું રંગકામ મિકેનિકલ પ્રોબ્લેમ ને લીધે  આવતી કાલ પર મુલતવી રાખવાનું સૂચવ્યું. વેઇટિંગ રમ માં બેઠેલા લોકોને આ બાબત ની જાણ કરવા કહ્યું.અને ત્રિશૂળ ના માણસને કાર બતાડવાને બહાને પાછળ ના ભાગ માં લાવવા કહ્યું.સિરાજે કોઈપણ જાતની આનાકાની વગર ચહેરા પર દિલગીરી ધારણ કરીને જોસેફ ની સૂચના નો અમલ કર્યો.જોસેફ ના સાથીએ લીધેલો ફોટો ત્રિશુળને આઇડેન્ટિફિકેશન માટે મોકલ્યો.

 

સિરાજ ની તકલીફે કાલિપ્રસાદ અને એના જોડીદારો માટે મુશ્કેલી ઉભી કરી.ખાસતો વાહીદ ના શંકાશીલ માનસને એ રુચ્યું નહીં.ટ્રકને સિરાજના કારખાનામાં રાખવાની સગવડ કરી.એ સિવાય બીજો ઉપાય પણ નહોતો.શહેરના એક ખૂણામાં ટ્રક સલામત હતી.સિરાજે એનાથી બનતા પ્રયત્નો કરીને કામ ઝડપથી પતાવી આપવાની ખાતરી આપી. એ પણ જણાવ્યું કે જો મિકેનિકલ પ્રોબ્લેમ સાંજ સુધીમાં ઉકલી જાય તો ટ્રક નું કામ તરત જ કરવામાં આવશે.  અને કામ પતી જાય તો કાલિપ્રસાદ નો સંપર્ક કરવા માટે એનો ફોન નંબર માંગ્યો.પણ કાલિપ્રસાદે ઉતાવળ ન હોવાનું જણાવીને વાત ટાળી.કાલિપ્રસાદ અને એના માણસો વિદાય થયા.થોડીકવાર બાદ જોસેફ ના સાથીએ એમનો પીછો કર્યો. જોસેફ ટ્રકની તપાસ કરવા રોકાયો. જોસેફ ના સાથીએ જણાવ્યું કે ત્રણમાંનો એક માણસ ટેક્ષી પકડતો હતોઅને બીજા બે બસસ્ટોપ પર ઉભા હતા. એણે ટેક્ષી નો પીછો કરવાનું નક્કી કર્યું. જોસેફને પણ એ ઠીક લાગ્યું.

 

ત્રિશુળને મોકલેલા ફોટા પરીક્ષિતને પણ સેલફોન મારફતે મોકલાયા. પરીક્ષિત  દિલ્હીની ફ્લાઇટ પકડવાની તૈયારીમાં હતો.એણે વામન ને ફોટા બતાડ્યા અને તરત જ વામન ની આંખ ચમકી.ત્રણમાંના બે ની તો ફાઈલ બનાવી હતી. વાહીદ અને વઝીર. કાલિપ્રસાદ ની ખાતરી નહોતી.દાઢીમૂછ વગરનો પીટર હોય તેમ લાગ્યું.પરીક્ષિતે જોસેફને ફોન જોડ્યો ત્યારે જોસેફ ટ્રક ની તપાસ કરતો હતો.પરીક્ષિતે જોસેફ ની કામગીરીની પ્રસંશા કરી. વાતચીત પરથી એમ લાગ્યુંકે જોસેફ ને કેદ કરનાર આ જ માણસો હતા.કાલિપ્રસાદ અને પીટર , બે નામધારી એક જ વ્યક્તિ હોવાની માન્યતા દ્રઢ થઇ.અચાનક મળેલી સફળતાથી પરીક્ષિત પ્રસન્ન થયો.એક દિશા મળી. આગે આગે દેખા જાયેગા.પણ કોઈ ઉતાવળા અનુમાન બાંધવાનું એને પસંદ નહોતું.હોમ મિનિસ્ટર ને પણ આ પ્રગતિથી આશા બંધાશે એમ લાગ્યું. પરીક્ષિતનો  રાજકારણીઓ પર નો પ્રેમ સબળ નહોતો. એના હિસાબે મોટાભાગ ના રાજકારણીઓ મતલબી હતા. દેશ અને પ્રજાનું હિત જાળવવા કરતા, સત્તાને વળગવું ખુરશી જાળવવી, અને મબલખ માલમત્તા મેળવવામાં જ એમને રસ હતો. પરીક્ષિતે દેશ ના બંધારણ ની રક્ષા કરવાના શપથ લીધા હતા જેમાં વ્યક્તિ  ગૌણ હતી.નેતાઓ, અમલદારો, સામાન્ય પ્રજા અને દેશ ના હિત ને પ્રાધાન્ય આપે તો કલિયુગ ની દશા બેસી જાય.

ભીંતર ના વ્હેણ- પ્રકરણ ૧૭

S.Gandhi

ભીંતર ના વ્હેણ

                                                                    પ્રકરણ ૧૭

પરીક્ષિત નો સમય ઓફિસ માં જ જતો હતો.મિટિંગ મુલાકાતો, ફોન પર

વાતચીત વગેરે ને લીધે ઓફિસ ની બહાર જવાનું શક્ય નહોતું. ટ્રક ની શોધ નું  સંકલન જ એક માત્ર ધ્યેય હતું.પરીક્ષિત ની સ્થગિત અવરજવર ને લીધે વામન અને વિશ્વનાથ માટે ખાસ કામ હતું નહીં. બેઉં ને પ્રવૃત્તિમય રહેવું પસંદ હતું.

એટલે એમણે કમ્પ્યુટર નો ઉપયોગ કરીને ખોવાયેલી ટ્રક અને એનરિચ્ડ યુરેનિયમ સાથે આતંકવાદીઓની હિલચાલનું સંકલન કરીને વિવિધ શક્યતાઓની યાદી બનાવવા માંડી. આ સમસ્યા ઘણી કઠિન હતી. વળી શક્યતાઓ પણ પુષ્કળ હતી. ગંભીર માં ગંભીર સમસ્યા એ હતી કે આતંકવાદીઓ આ યુરેનિયમ માં થી એક અણુશસ્ત્ર બનાવીને અણુધડાકો કરીને ખુબજ જાનહાની અને નુકશાન કરી શકે તેમ હતા. બીજી શક્યતા એ હતી કે યુરેનિયમ ને સ્મગલ કરીને દેશમાંથી બહાર લઇ જઈ ને વેચવામાં આવે! યેન  કેન પ્રકારેણ આ શક્યતાઓ નિવારવી જ રહી. વિશ્વનાથ દારૂગોળા અને બૉમ્બ બનાવટ નો નિષ્ણાત હતો. એણે ગેરકાયદે અણુશસ્ત્ર બનાવી શકે એવા માણસો ની તપાસ કરવાનું નક્કી કર્યું.જો કોઈ સધ્ધર બાતમી મળે તો સઘળી હકીકત પરીક્ષિત સમક્ષ રજૂ કરવાનું નક્કી કર્યું.એક વાત સ્પષ્ટ હતી કે આવા ગેરકાયદે નિષ્ણાતો ની સંખ્યા નાની હતી.

મારા જેવા નિષ્ણાત સાહિત્યકારો ની જેમ જ સ્તો! ફર્ક એટલો જ કે સાહિત્યકાર ગેરકાયદે નથી હોતા. તદુપરાંત અધકચરો અણુશસ્ત્ર બનાવવાનો પ્રયાસ સાધનસામગ્રી વગર શક્ય નહોતો. આવી સાધનસામગ્રી મેળવવાનું પણ મુશ્કેલ હતું.

વિશ્વનાથે કોઈ ની સાથે વાત કરવા ફોન કર્યો. કોઈ પણ  ઓળખવિધિ વગર એણે વાત શરૂ કરી. બન્ને પક્ષ એકમેક થી પરિચિત હોય તેમ લાગતું હતું. વિશ્વનાથે જણાવ્યું કે એની પાસે પાંચ ગ્રામ હતા અને કોઈ પણ જાતની પૂછપરછ કર્યા વગર ઘડતર કરી આપે એવા કારીગર ની જરૂર હતી. સામેથી જવાબ આવ્યો કે એવા કારીગરો તો મળે એમ હતા પણ સાધનસામગ્રી ભેગી કરવાનું જોખમકારક હતું. કારણકે આવા અટપટા કામની સામગ્રી વિશે લોકોની નજરે ચઢ્યા વગર છડેચોક તપાસ કરવાનું કામ અશક્ય હતું. વિશ્વનાથ સાહજિક વાત કરતો હતો.એના હિસાબે આ કામ અસાધ્ય નહોતું.કોઈ પણ નિષ્ણાત કારીગર દરેક  જોઈતી વસ્તુ નો બંદોબસ્ત કરી શકે. અલબત્ત આવા કામ નો ખર્ચ ઉઠાવી શકે એવા માલેતુજાર જવલ્લેજ જોવા મળે. છતાંય વિશ્વનાથ નો ભેટો એવા કોઈકની સાથે  થયો હતો, જે મહેનતાણું તથા અન્ય ખર્ચને આસાનીથી પહોંચી શકે તેમ હતું. આવશ્કયતા હતી ભરોસાપાત્ર કામ કરનારની. સામી પાર્ટીએ ઘટતું  કરવાની બાંહેધરી આપી અને એકાદ બે દિવસ માં સંપર્ક કરવાનું જણાવ્યું.

રઝિયા ઝેદી કામે સમયસર પહોંચવા ઉત્સુક હતી. એને મોડા પડવું નાપસંદ હતું. નિગાર ઝેદીએ રઝિયા ના હાથમાં એક પેકેટ આપ્યું અને કામે જતા પહેલા, એ પેકેટ સિરાજ ને પહોંચાડવાની સૂચના આપી. રઝિયા અવારનવાર આવી રીતે સિરાજ ને ચીજ વસ્તુઓ આપવા જતી એટલે કોઈ પણ જાતની નારાજગી બતાવ્યા વગર સંમત થઇ. રઝિયા વહેલી નીકળી અને ચાલ થોડી તેજ કરી. સિરાજનું કારખાનું બહુ દૂર નહોતુંન.કારખાનાની નજીક આવી ત્યારે એણે એક કાર ને ટ્રક ના ટ્રેઇલરમાં થી ઉતારવામાં આવતી હતી તે જોયું.આ કૈં નવું  હતું. એના ભાઈ ના કારખાના આગળ આવી અવરજવર ચાલ્યા જ કરતી.બીમાર દુરસ્ત કાર ની સુરત ફેરવી નાખવાનો તો ભાઈ નો ધંધો હતો. એટલે રઝિયા નાકૂતુહલ ને કોઈ  આશ્ચર્ય ન થયું. રઝિયાએ જોયું કે ત્રણ શખ્સો આ કામ રસથી જોતા હતા. એમના હાવભાવ પરથી ઉતાવળ માં હોય એમ લાગ્યું અને કોઈનું ધ્યાન ન દોરવાની એમની ઉત્સુકતા છાની ન રહી.આમ તો રઝિયાને આ માણસો વિશિષ્ટ ન લાગ્યા એટલે એણે ધ્યાન ન આપ્યું. એકાએક ઝબકાર થયો અને ત્રિપુટી ના બે ચહેરા આછાંપાતળા પરિચિત હોવાનો અણસાર આવ્યો. ક્યાંક જોયા હોય એમ લાગ્યું.

રઝિયા ના મનઃચક્ષુ સળવળ્યા અને તાજેતર માં જોયેલા ચહેરાઓની હારમાળા દ્રષ્ટિમાં થઇ. એણે મનઃચક્ષુને વધુ સતેજ કર્યા, સાવધ કર્યા, એની યાદશક્તિ તાજી થઇ અને પળભરમાં ચમકારો થયો. આ એજ બે શખ્સ હતા જેમણે એનું અપહરણ કરવાની કોશિશ કરી હતી.આવા શકમંદ શખ્સો સાથે એના ભાઈ ને સંબંધ હોવાની શક્યતા થી  એ ધ્રુજી ઉઠી. હાલ પૂરતો રઝિયાએ મનોદશા પર કાબુ મેળવ્યો. સિરાજ ની ઓફિસ માં જઈને પેકેટ આપ્યું અને ટ્રક અને કાર વિશે સાધારણ પૂછપરછ કરી. એના ભાઈએ કહ્યું કે કાલિપ્રસાદ એનો ગ્રાહક હતો. ટ્રક નું  રંગકામ થાય તે દરમ્યાન એની  બગડી ગયેલી કાર ને કારખાના ના પાછળ ના ભાગ માં રાખવાની હતી. રઝિયાએ કામે જવા

બસ પકડી.

રઝિયાના મનની વિચારમાળામાં પુષ્પો ગૂંથાવા લાગ્યા. આવતે વર્ષે એણે અમેરિકા જવાનું વિચાર્યું.અમેરિકન કોન્સ્યુલેટ ના સ્ટાફ ને અમેરિકા ના વિઝા સહેલાઈથી મળતાંહતાં. નિગાર ઝેદી રઝિયા ને એકલી જવા દે તેમ નહોતું. ખાસ કરીને અપહરણ ના પ્રયાસ બાદ. અપહરણ ની સાથે પેલા બે ચહેરા ફરી પાછા નજર સમક્ષ સજીવન થયા. રઝિયાએ પોતાની યાદદાસ્ત ને પડકારી.ચહેરાઓને બારીકાઇ થી નીરખ્યા, એકાગ્રતા થી અવલોક્યા. ફક્ત ક્યાંક જોયા હોય એમ લાગ્યું. વાત  આગળ ન વધી.રઝિયાના મનનું સમાધાન ન થયું. એણે પર્સ ફંફોળ્યું , આદત પ્રમાણે, કોઈ પણ પ્રયોજન વગર. અને પરીક્ષિત નું  કાર્ડ હાથમાં આવ્યું.કાર્ડ જોતાંની સાથે જ કોન્સ્યુલેટ ની પાર્ટીમાંથી ટેક્સી પકડી ને ઘરે જવા નીકળી તે સમગ્ર બનાવ ચલચિત્ર ની જેમ એના માનસપટ પર ખડો થયો.આસ્તે  આસ્તે એની માન્યતા દ્રઢ થઇ. ઓફિસે પહોંચીને પરીક્ષિત નો સંપર્ક કરવાનો નિરધાર કર્યો પછી જ નિરાંત અનુભવી.

પરીક્ષિત નો ફોન જીવંત થયો. પરીક્ષિત નો આ ફોન અનલિસ્ટેડ હોવાથી એનો ફોન નંબર ગણ્યા ગાંઠ્યા લોકો પાસે જ હતો. પરીક્ષિતે રીસીવર કાને ધર્યું. સામે ઝફર નામની વ્યક્તિ હતી. સંવાદ ટૂંકો પણ માહિતીપ્રદ હશે તેમ લાગ્યું.ઝફરે જણાવ્યું કે અમુક મોટા કાવત્રાબાજોએ એક ગંભીર પેંતરો રચ્યો હતો. એમનો ઉદ્દેશ મહત્વાકાંક્ષી અને હાનિકારક હતો. જે સુલેહશાંતી ના કરાર થવાના હતા તેમાં વિક્ષેપ પડવાનો હતો. હવનમાં હાડકા નાખનારા પેદા થયા હતા. ઝફર ના કહેવા પ્રમાણે કહેવાતા કોમવાદી અને આતંકવાદી સંગઠનના છમકલાઓને  મોટું પીઠબળ હતું. અને એ વડવાઈઓ જેમ ફેલાયેલું હતું.ઝફર ના જણાવ્યા પ્રમાણે કુરેશી નામનો શખ્સ, ચીની સરકાર ની સહાનુભૂતિ અને માર્ગદર્શન હેઠળ દોરીસંચાર કરતો હતો. ઝફર ના હિસાબે આ બાબત ની તપાસ કરવામાં જાનનું જોખમ હતું. તેમ છતાં બાંગ્લાદેશ ના મુંબઈ ખાતે ના હાઈકમિશન ઉપર નજર રાખવાનું સૂચવ્યું. ફોન ની લાઈન પાછી નિષ્પ્રાણ થઇ ગઈ. પરીક્ષિત દ્વિધા માં પડ્યો. અત્યારસુધી ઝફર તરફથી મળતી માહિતી સધ્ધર અને શુદ્ધ હતી.

છતાં આ બાતમી માન્યામાં ન આવે એવી હતી. સુલેહશાંતી નું વાતાવરણ સર્જાયું હતું અને સહીસિક્કા નજીકના ભવિષ્યમાં  જ થવાના હતા.

(ક્રમશઃ)

ભીંતર ના વ્હેણ – પ્રકરણ ૧૬

s-gandhi

સુરેંદ્ર ગાંધી

ભીંતર ના વ્હેણ

પ્રકરણ ૧૬

ઉર્વશી ની ઓફિસ માં ઘણા પ્રોજેક્ટ પર કામ ચાલતું હતું.દિલ્હી માં ઉર્વશી આઈ.આઈ.એ.

ના ડિરેક્ટર નૈષધ હાંસોટી ને મળી હતી. નૈષધ હાંસોટી નું વ્યક્તિત્વ અનાકર્ષક તો નહોતું જ

છતાંય ઉડીને આંખે વળગે એવું પણ નહોતું. આડંબર નો અભાવ, મિલનસાર સ્વભાવ, અને

તિક્ષ્ણ અવલોકન કરવાની શક્તિ અને તેટલું જ ઝડપી નિશ્ચયાત્મક વલણ. આ હતું હાંસોટી

નું સરવૈયું. આઈ.આઈ.એ. ને એક ખુબજ અસરકારક સંસ્થા માં ફેરવી નાખવાનો યશ નૈષધ

હાંસોટી ને ફાળે જાય છે.

 

છેલ્લા થોડાક સમય થી આઈ.આઈ.એ. નો ખાનગી સંદેશ વ્યવહાર ખોરવાયો હતો.

ઘણી સાવચેતી રાખવામાં આવતી, તે છતાં ય જાણભેદુઓ સંદેશ આંતરી શકતા હતા. જાસૂસી

કામ માં હિંસા નિવારણ અશક્ય હોય છે અને પગેરાં ઢાંકવા પણ એટલા જ અશક્ય હોય છે.

જાસૂસી કામ આડકતરી રીતે થાય. જેથી કરી ને જવાબદારી પરોક્ષ બની જાય. ઘણીવાર

કાયદા-કાનૂન ની અવગણના કર્યા વગર ન થઇ શકે એવા કામો માટે બીજા રસ્તા પણ શોધવા

પડે. નૈષધ ની કારકિર્દી દરમ્યાન કાયદા-કાનૂન ના સીમાડાઓ ઉપર આવા તો અનેક હુમલા

થયા હતા. અને અણઉકલ્યાં સરહદી પ્રશ્નો ની જેમ સંઘર્ષો જારી રહેતા. ખરું ખોટું તો રામ

જાણે! નૈષધ અરાજકતા નો હીમાયતી નહોતો , વાસ્તવિકતા એને માટે વધુ અગત્યની હતી.

અત્યારસુધી દુનિયાભર ના વહીવટી તંત્રોએ કોઈ એવો આદર્શ કાયદો ઘડ્યો નહોતો જે

સર્વમાન્ય હોય.એટલે કે કાયદા ના ઘડતર માં જ ખામી હોય તો એના અમલ માં પણ ખામી

રહેવાની. કાયદો ઘડનારા માનવો પણ એમની સમજ પ્રમાણે કાયદો ઘડે. ઘણીવાર કાયદો

ઘડાય એની સાથે સાથે એમાંથી બચવાની છટકબારીઓ પણ તેટલીજ ચાલાકી થી જન્મે.

અધૂરામાં પૂરું ન્યાયધીશો પણ સર્વાંગસંપૂર્ણ નથી હોતા. કાયદા નું આખું માળખું ક્ષતિઓનું

ષડ્યંત્ર છે. અને ક્ષતિવાળા માણસો એનું આદર્શરીતે પાલન કરી શકે ખરા? ન્યાય અંધ છે,

બહેરો નથી, મૂંગો નથી છતાંય બધાને સંતોષ આપી શકે ખરો? ફરિયાદી ની તરફેણ માં ચુકાદો

આવે તો એને ન્યાય મળ્યો હોય એમ લાગે. જયારે આરોપીને અસહ્ય અન્યાય થયો હોય એમ

લાગે. ખરું પૂછો તો કાયદા-કાનૂન અને અદાલત એક નાટક છે! જે ન્યાય નામની ભૂમિ પર

 

ભજવાય છે; પણ એ મનોરંજન સસ્તું નથી. જેમ કાયદા ની સંખ્યા વધે એમ અપરાધો નું

પ્રમાણ પણ વધ્યા કરે.કાયદાનું ઘડતર જેટલું અગત્યનું છે એટલોજ અગત્યનો એનો

તટસ્થપણે કરાતો અમલ પણ છે. અહીં તો જેમ નવા વર્ષ ના મોડેલ બહાર પડે એમ દર વર્ષે

કાયદા બદલાય.કયા કાયદાનું પાલન કરવું ને ક્યા નો ભંગ કરવો!

 

નૈષધ શિસ્તપાલક હતો. આવી કશમકશભરી કામગીરી વિચાર માંગીલે એવી

હતી. છતાંય કાયદાનું અક્ષરશઃ પાલન કરવાની શિસ્ત એણે કેળવી હતી. માભોમ ની રક્ષા

કરવાનું પણ લીધું હતું. એમાં કાયદાનો સમાવેશ પણ થતો હતો. કાનૂની ક્ષતિઓ સાથે એને

બહુ લેવાદેવા નહોતી પણ કાયદા નો અમલ કરવા માટે એ હંમેશા તૈયાર રહેતો.

 

વાહીદ અને વઝીર પીટર ના ચહેરા ના હાવભાવ ઉપરથી પારખી ગયા કે

પરિસ્થિતિ ગંભીર હતી. એમણે અણુકેન્દ્રના ડ્રાઈવરને ધમકી આપી કે અણછાજતું પગલું

ભરવાનો અંજામ બૂરો આવશે. વાહીદ ની તો ઈચ્છા હતી કે ડ્રાઈવર ની હત્યા કરીને એના શબ

નો નિકાલ કરવો. અનેક બકરી ઈદ ઉજવી ચૂકેલા વાહીદ ને માટે માટે એક વધુ બકરો હલાલ

કરવાનું સહેલું હતું.પીટર સમક્ષ વાહિદે આ પ્રસ્તાવ મુક્યો પણ એને બહાલી ન મળી કારણ કે

પીટર જરૂર વગરની જાનહાનિનો વિરોધી હતો. પીટરે વાહીદ ને કહ્યું કે મૃતદેહ કરતા જીવંત

દેહ ને હેન્ડલ કરવો સરળ હોય છે. મૃતદેહ બોજ બની જાય અને કોઈનું ધ્યાન દોરે. જયારે

જીવંત વ્યક્તિ ને મોત નો ડર બતાવીને ધારેલું કામ કરાવી શકાય. જો કે આજે તો જીવન અને

મૃત્યુ વચ્ચેની ક્ષીણ થતી રેખાની સાક્ષી જેવા જીવંત મૃતદેહો કોઈનું પણ ધ્યાન દોર્યા વગર

મુંબઈ માં ડગલે ને પગલે ડચકા લઇ રહ્યા છે.

 

અંતે નક્કી કર્યું કે અન્ય ટ્રકો ના મેળામાં ભળી જવું. બીજી સામાન્ય ટ્રકોની જેમ

રસ્તે પડવું, સાવધાનીથી કોઈનું પણ ધ્યાન દોર્યા વગર. મેઈન હાઇવે પર જવાને બદલે

ગલીકૂંચીઓનો ઉપયોગ કરવો.કદાચ કોઈ રોકટોક થાય તો માર્ગ ભૂલ્યાનો ડોળ કરવો.પૂછપરછ

કરીને માર્ગદર્શન માંગવાનું. અજ્ઞાત અબુજ વર્તણુક ભલભલા ચબરકોને પણ થાપ આપે.

એટલે આજકાલ ના નેતાઓ અજ્ઞાત-અબુજ હોવાનો ડોળ કરીને લોકોને થાપ આપતા

 

અચકાતા નથી. લોકો ભૂલ કરનારનો વિશ્વાસ સહેલાઈથી કરે કારણ કે ભૂલ કરનાર ની દયા

આવે. પીટર પણ વ્યવહારુ હતો. એનામાં કોઠાસૂઝ હતી, અનુભવી હતો. એણે કરવાના કામ

ને મુદ્દાસર ગોઠવ્યું. સહુપ્રથમ ટ્રક નો દેખાવ બદલી નાખવો જેથી શોધ કરનારને થાપ આપી

શકાય. પછી ટ્રકને એક શીપ પર ચઢાવીને બાંગ્લાદેશ અથવા રંગુન તરફ લઇ જવી. પછી ચીની

અણુકેન્દ્ર ના સહકારથી એક અણુશસ્ત્ર બનાવવું. આ કામ લોઢાના ચણા ચાવવા જેવું

હતું.જો આટલું કરાય તો આગળ ઉપર શું કરવું એ વિષે કુરેશી સાથે મસલત કરવી.

 

પીટરને ખાત્રી હતી કે કુરેશી જરૂર કોઈ રસ્તો કાઢશે. પીટર ની ઊંડે ઊંડે ઈચ્છા

હતી કે આ દુઃસાહસ સફળ થાય તો બદલામાં મળનાર શિરપાવમાં એનું દળદર ફીટી જાય અને

ઓડ્રિ જેવી અનેક લાલનાઓની લાલિત્યમય લાગણીઓના ધોધ માં એ નિરંતર ભીંજાતો રહે.

શ્રીલંકા કે એવા કોઈક ટાપુ ની છાયા માં શેષ જીવન મોજશોખ માં વીતાવે. હાલ તો એણે

સિરાજ ના કારખાને જવું વધારે યોગ્ય લાગ્યું. રાત ના અંધકાર નો લાભ લઇ ને ત્રિપુટીએ

સિરાજ ના કારખાના થી થોડે દૂર મુકામ કર્યો. જો કોઈ પૂછપરછ થાય તો સિરાજને રીપેર

કરવા આપેલી કાર ની ડીલીવરી લેવા આવ્યા છીએ એમ જણાવવાનું નક્કી કર્યું. નસીબજોગે

મુંબઈ ના નાગરિકોમાં કોઈ સવિશેષ કુતુહલ પ્રગટવાની શક્યતા નો સંભવ નહોતો. પોતાની

પળોજણો માં થી ફુરસદ મેળવી શકવાનું દુર્ભાગ્ય તો કોઈક નસીબદાર ને જ મળે.

 

પીટરે દાઢીમૂછ નો તયાગ કર્યો ને કાલિપ્રસાદ બની ગયો. વાહીદ અને વઝીર

ને કોઈની નજરે નહીં ચઢવાની તાકીદ કરી . પીટર પ્રસિદ્ધિથી દૂર રહેવામાં માનતો હતો.

એના મટે પ્રસિદ્ધિ બેધારી તલવાર હતી. આવી તલવાર અન્ય ને ઘાયલ કરી શકે એ તો ઠીક

પણ વાર કરનારને પણ વાઢી શકે. પ્રસિદ્ધિ ને વરેલા અહિંસક રાજનેતાઓ પણ આમાં

અપવાદરૂપે નથી.પ્રસિદ્ધિ જેવી તલવાર નો ઘા ખાધા વગર સફળતા નો ગોળ ખાવા ન મળે!

 

સિરાજ ઝેદી કારખાને આવ્યોઅને ત્યાં જ કાલિપ્રસાદ આવી પહોંચ્યો. સિરાજ ને

આશ્ચર્ય તો થયું પણ પોતાના મનોભાવો ને મ્હાત કર્યા. કાલિપ્રસાદે સિરાજ ની મદદ માંગી.

ટ્રક ને બતાવી ને કહ્યું કે એનો રંગ બદલાવીને નફાકારક ભાવે વેચવાની તક સાંપડી છે અને જો

 

સિરાજ તાત્કાલિક રંગી આપે તો એને પણ એના મહેનતાણા કરતા વધુ રકમ મળી શકે તેમ

હતું. સિરાજ માટે આવી તક જતી કરવાનું મુનાસીબ નહોતું; છતાંય એને ઊંડે ઊંડે સંશય હતો

કે કાલિપ્રસાદ નો વિશ્વાસ કરાય કે નહીં? ટ્રક નું કામ કરી આપવાનું નક્કી કર્યું પણ એક શરત

કરી કે અડધા પૈસા એડવાન્સ માં મળે અને કામ બપોર પછી થશે કારણ કે હજુ ગઈ કલ ના

આદરેલા કામ પુરા થયા નહોતા. કાલિપ્રસાદે કબુલ્યું. પૈસા નો બંદોબસ્ત કરવા કલાક ની મુદત

માંગી. બપોર પહેલા ટ્રક લઈને પાછો ફરશે એમ જણાવ્યું.

 

કાલિપ્રસાદ એના શાગિર્દો સહિત નાસ્તો લેવા ગયો. ગઈ કાલથી બધાએ

રમઝાન વગર ના રોઝા રાખ્યા હતા એટલે ભૂખ નું દુઃખ અસહ્ય નહોતું અને અનિવાર્ય પણ

નહોતું. એમને ટ્રક માં છુપાવેલી કાર ના ડ્રાઈવર નો પણ વિચાર આવ્યો. કાલિપ્રસાદે એક સુની

ગલી તરફ ટ્રક વાળી. ખુબ જ સાવધાની પૂર્વક કોઈ ની નજરે ચઢ્યા વગર ટ્રેઇલર માં પ્રવેશ્યો.

ડ્રાઈવર ને પોતાના બનાવટી દાઢીમૂછ લગાવ્યા અને કાળા ચશ્મા પહેરાવી ટ્રક માં થી નીચે

ઉતાર્યો.ડ્રાઈવર ના ખભે હાથ મૂકી અંધ માનવી જેવો વર્તાવ કરવાનું સૂચવ્યું. અને ચેતવણી

પણ આપી કે અણછાજતી વર્તણુક અત્યંત હાનિકારક નીવડશે. કાલિપ્રસાદે વાહીદ અને

વઝીર ને ટ્રક ની ચાવી આપી અને નાસ્તાપાણી પતાવી સિરાજ ના કારખાને પહોંચવાનું

જણાવ્યું. ડ્રાઈવર ના ખભે હાથ મૂકીને એને મેઈન રોડ તરફ દોર્યો. થોડુંક ચાલીને બેઉં એક

રેસ્ટોરન્ટ માં પહોંચ્યા. ડ્રાઈવરે રેસ્ટરૂમ વાપરવાની પરવાનગી માંગી. બેઉં જણા રેસ્ટરૂમ માં

પ્રવેશ્યા અને હળવાશ અનુભવીને પાછા ટેબલ પર ગોઠવાયા.ડ્રાઈવર ચબરાક હતો અને

સમજી ગયો કે બાજી બગાડવામાં કોઈ જ ફાયદો નથી. એટલે એની વર્તણુક એક અંધમાનવી

ને અનુરૂપ રહી. ઘણીવાર ન બોલ્યા માં નવ ગુણ હોય છે.! ડ્રાઈવર નો આશય કાલિપ્રસાદને

નચિંત કરવાનો હતો.

ક્રમશઃ