અમારા અભિયાનનો ઉદ્દેશ હવે કેવળ પહેલી પોસ્ટ પૂરતું ન રહેતાં બમણો થયો હતો. માઝી મેવાઁ જવા માટેનો અવેજીનો જે રસ્તો હતો તે લેવા માટે અમારે પહેલાં બહેણીયાઁ પોસ્ટ પર જવું પડે. ત્યાં પરિસ્થિતિ કેવી હતી તે વિશે અમારી પાસે કે કર્નલ પાસે કોઇ માહિતી નહોતી. આ વિશેની પૂરી માહિતી કર્નલની તે વિસ્તારની કંપનીએ સૌને પહોંચાડવી જોઇએ. બ્રિગેડના Op Order (ઑરેશનલ ઑર્ડર – જેમાં બ્રિગેડની દરેક બટાલિયનની કામગિરી અને જવાબદારી વિશે વિશદ હુકમ લખીને આપવામાં આવે છે, તેમાં BSFની કંપની કે પ્લૅટુનને ક્યા સ્થાને ક્યા અભિયાન માટે ઉપયોગમાં લેવાની છે, તેના માટે સંબંધિત ઇન્ફન્ટ્રી કંપની કમાંડરે BSF અને તેમની કંપની વચ્ચેનાં સંચાર સાધનોનો સમન્વય (coordination and synchronisation of communication network), chain of command, reporting system – આમાનું કશું યોજાયું નહોતું. અમારા ક્ષેત્રની BSF બટાલિયનોના ઉપયોગ વિશે આ બાબતમાં ઝીણવટભર્યો ન તો અભ્યાસ થયો હતો, ન તે વિશે કોઇ યોજના થઇ હતી. પરિણામે અમારી સંચાર વ્યવસ્થામાં ગંભીર ઉણપ રહી ગઇ હતી. આનું પ્રત્યક્ષ પ્રમાણ એટલે BSFના વાયરલેસ વજનમાં ભારે અને તેના માટેની બૅટરી તે જમાનાની મોટરકારમાં વપરાતી તે પ્રકારની હતી. તેનો ચાર્જ – જો સેટ સતત ચાલુ રહે તો દોઢ કે બે કલાક જેટલો રહે. ત્યાર બાદ બૅટરી ચાર્જ કરવા માટે પેટ્રોલથી ચાલનાર ભારે જનરેટર જોઇએ. અમારા વાયરલેસની ફ્રિક્વન્સી તથા અમારા મિલિટરીના ઑપરેશનલ કમાંડરની બટાલિયનની ફ્રિક્વન્સી જુદી હતી. બન્નેના વાયરલેસ સેટની બનાવટ પણ જુદી. પરિણામ ગંભીર નીવડ્યાં. મોટા ભાગની BSF પોસ્ટ, જ્યાં મિલિટરીની ટુકડી તેમના વાયરલેસ સાથે ન હોય, તો અમારા પોસ્ટ કમાંડર અને તેમના મિલિટરી કમાંડરો વચ્ચે વાતચીત શક્ય નહોતી, તેથી એકબીજાને પરિસ્થિતિ વાકેફ નહોતા કરી શકતા, કે ન કોઇ હુકમ પહોંચાડી શકતા. અમારી બહેણીયાઁ ચોકીનો વાયરલેસ સેટ છેલ્લા ૧૪ કલાકથી બંધ પડી ગયો હતો. અમને તેમની પરિસ્થિતિ વિશે જાણ નહોતી. તેમની સાથે મિલિટરીની કોઇ ટુકડી નહોતી તેથી તેમના બટાલિયન કમાંડર સાથે પણ તેમનો કોઇ સમ્પર્ક નહોતો. આ કારણે અમને કોઇને ખબર નહોતી કે તેઓ ક્યાં છે અને કેવી હાલતમાં છે. તેઓ બે બાજુએથી આંતરરાષ્ટ્રીય સીમાથી ઘેરાયા હતા, અને પાછળની બાજુએ એક ઊંડો, તેજ ગતિથી વહેતો વહેળો હતો જે આગળ જતાં રાવિને મળતો હતો. આ વહેળો પાર કર્યા બાદ એક કિલોમિટર પહોળો અને ત્રણ કિલોમિટર લાંબો બેટ. તે પાર કરીએ ત્યારે રાવિ નદીના કિનારે રાખેલી નૌકામાં બેસી પાર કરીને ધુસ્સી બંધ પર પહોંચાય.
કર્નલને રામ રામ કરીને અમે નીકળ્યા બાદ ખ્યાલ આવ્યો કે ગઈ કાલ રાતના વાળુ બાદ અમારામાંથી કોઇએ સવારની ચ્હા નહોતી પીધી કે નહોતું કર્યું શિરામણ. દોઢ વાગી ગયો હતો. ત્રણે’ક કિલોમિટર ચાલ્યા બાદ ધુસ્સીની નજીક ત્રણ – ચાર ઝૂંપડા દેખાયા, જેમાંનું એક બંધને અડીને હતું. તેના નાનકડા ફળીયામાં સરકંડામાંથી બનાવેલી નાનકડી ટોપલી લઇને એક વૃદ્ધ માઈ બેઠાં હતાં. મેં તેમને ‘સત શ્રી અકાલ’ કહી નમસ્કાર કરીને પૂછ્યું, “માઇ, તમે હજી સુધી અહીં કેમ રહ્યાં છો? લડાઇ શરૂ થઇ ગઇ છે. આપે સહીસલામત જગ્યાએ જવું જોઇએ.” આજુબાજુનાં ગામ ખાલી થઇ ગયા હતા.
માઇનો આખો ચહેરો કરચલીઓવાળો હતો. બોખા મુખેથી સ્મિત કરીને તેઓ બોલ્યાં, “પુત્તર, આખી જીંદગી આ ઘરમાં ગુજારી છે. હવે આ ઉમરે તે છોડીને ક્યાં જઉં? જુઓ, તમે ફૌજી દેશની રખ્યા કરવા નીકળ્યા છો, અહીં બેઠી છું તમારા જેવા જવાનોની સેવા કરવા. મેં થોડા રોટલા ઘડી રાખ્યા છે, તે વાહે ગુરુનું લંગર સમજી આરોગો,” કહી બાજુમાં રાખેલી છાબડી પર ઢાંકેલું કપડું ખસેડ્યું. તેમાંથી નીકળેલી એક સુંદર સોડમથી વાતાવરણ ખિલી ઉઠ્યું. આ વૃદ્ધ અન્નપૂર્ણાએ અમારી સામે ટોપલી ધરી અને અમારૂં હૃદય ભરાઇ આવ્યું. અમે સૌ ભુખ્યા થયા હતા. દરેકના ભાગે અર્ધી – અર્ધી રોટલી આવી. પાણી સાથે અમે જમ્યા અને જીવનભર યાદ રહી ગયો તેનો સ્વાદ. તેમાં ભારતમાતાની મમતાનો મોણ હતો અને આસ્થાનું ખમીર. કૃતજ્ઞતા અને માતાની દેશ સેવાની ભાવનાથી અમારો ઉત્સાહ સો ગણો વધી ગયો, નમસ્કાર કરી અમે આગળ વધ્યા.
શિયાળામાં ઉત્તર ભારતમાં સૂરજ વહેલો ઢળી જાય છે, બહેણીયાઁ પત્તન પર પહોંચતાં સુધીમાં સુરજબાપા ક્ષિતિજની તળાઇમાં પોઢી ગયા. ધુસ્સી બંધની નીચે પત્તન તરફ ગયા અને હૈયામાં ફાળ પડી. આનું કારણ :
સામાન્ય રીતે અમારી નૌકા ધુસ્સીના કિનારે લાંગરેલી રહેતી અને બે જવાન ત્યાં હંમેશા રહેતા. બીજું : મને ઉમેદ હતી કે S.I. કરમચંદને તેમના ઑપ કમાંડરે પોસ્ટ છોડવાનો આદેશ આપ્યો હશે (જે તેમણે આપવો જોઇતો હતો), તો તેઓ શેરપુર પોસ્ટના જવાનોની જેમ ત્યાં આવી પહોંચ્યા હશે. તે રાતે ન તો ત્યાં અમારી નાવ હતી કે નહોતાં કરમચંદ અને તેમના જવાન. તો શું તેમને દુશ્મને કેદ કરી લીધા હતા? બહેણીયાઁ પોસ્ટથી સીમા કેવળ ૧૫૦ ગજ પર હતી અને ત્યાંથી પાકિસ્તાનનો mainland શરૂ થાય. તેમની ચોકી બહુ બહુ તો ૫૦૦ ગજ દૂર હતી. જો તેમણે અમારી પોસ્ટ પર હુમલો કર્યો હોય તોઅમારા સૈનિકોને પોસ્ટ ખાલી કરી આપણી સુરક્ષિત જગ્યાએ જવા તન્ના નાળા પાર કરવો પડે. ત્યાંની નૌકા નાનકડી હતી અને વધુમાં વધુ ચાર સૈનિકો તેમાં બેસી શકે. તે પાર કરવા પોસ્ટના સઘળા જવાનોને ત્રણ ખેપ તો કરવી જ પડે. આ કારણસર પ્લૅટૂનની સલામતિ પર મોટું પ્રશ્નચિહ્ન હતું. અંગ્રેજીમાં જેને worst case scenario કહીએ, તે પ્રમાણે પાકિસ્તાનના હુમલામાં કેટલાક જવાનોને હાનિ પહોંચી હશે અને બાકીના યુદ્ધકેદી થયા હશે.
આ સમગ્ર સ્થિતિનો ઊંડો – પણ તેજ ગતિથી વિચાર કરી મેં નક્કી કર્યું કે જે કામ કરવા નીકળ્યા છીએ તે પૂરૂં કરવું. આગળની સઘળી કાર્યવાહી એક અનુભવી કમાંડરની જેમ સમ્પન્ન કરીશ.
મારી ટુકડીમાં આ સ્થનનો જાણકાર સૈનિક હતો. રાવિના ક્યા ભાગમાં છિછરાં પાણી છે તે જાણતો હતો. અમારે હવે નદીમાં ઉતરી નદીના મધ્ય ભાગમાં આવેલા એક બેટ પર જવાનું હતું. લગભગ અર્ધો કિલોમિટર પહોળો અને બે – ત્રણ કિલોમિટર લાંબા ટાપુ પર સરકંડાનું જંગલ હતું. તેમાં બનાવેલી પગદંડી પર આગળ વધીએ તો અગાઉ કહેલો તન્ના નાલા નામનો ઊંડો અને તેજ ગતિથી વહેતો વહેળો આવે. તે પાર કરી એક કિલોમિટર ચાલીએ ત્યારે બહેણીયાઁ પોસ્ટ આવે.
અંધારૂં, ટાઢ અને ધુમ્મસ જ્યારે ભેગા થાય ત્યારે તેમાં એક પ્રકારની ઘનતા આવી જાય એવું લાગે. રાવિ નદી પર તેની ઘનતા બેયોનેટ વતી કાપી શકાય એટલી ભારે હતી ! અમે ફરી એક વાર ‘બોલે સો નિહાલ, સત્ શ્રી અકાલ’ ના હળવા નાદથી રાવિમાં પગ મૂક્યો. ફરી એક વાર સો – સો વિંછીઓના ડંખનો અનુભવ. હાડકાં થરથરી ગયા. બૂટ – મોજાં ભીના થયા અને ત્વચાની ઉષ્ણતાને કારણે બરફની જેમ જામ્યા નહી. પહેલાં પગનાં તળીયાં અને ત્યાર બાદ ઘૂંટી, ઘૂંટણ, સાથળ અને કમર પર બરફની પોટલી મૂકાતી ગઇ. અંતે છાતી સમાણાં. અમે હથિયાર ઉપર ધરીને ચાલતા હતા. આ વખતે અમારો ભોમિયો આગળ, અને તેની પાછળ હું અને અમારા જવાન, પંજાબ રેજિમેન્ટના સુબેદાર સાહેબ અને તેમના દસ જવાન.
Celloના તાર પર ફરતા bowની હળવી તરજથી ખરજનો સૂર નીકળે તેમ એક solo તમરાનું ગીત શરૂ થયું. અમે રાવિ પાર કરી અને કિનારા પર પહોંચ્યા. સૌ ઠરીને હિમ જેવા થઇ ગયા હતા. અમારા પૂરા કપડાં ઠંડા પાણીમાં પૂરી રીતે ભીંજાઇ યગયા હતા. સરકંડામાં બનાવેલી પગદંડી પર મેં જવાનોને બેસવાનો હુકમ ઇશારાથી તુલસીરામને આપ્યો. તેણે તે ધીમે ધીમે છેલ્લા સૈનિક સુધી પહોંચાડ્યો અને ચોકસાઇ કરી કે સૌ કિનારા પર પહોંચી ગયા છે, અને સૌના હથિયાર – ગોળીઓ ઠીકઠાક છે. હવે મેં આગેવાની લીધી અને ઇશારાથી સૌને મારી પાછળ આવવાની સૂચના આપી. ઊંચા સરકંડાના જંગલ પરની પગદંડી પર અમે આગળ વધી રહ્યા હતા
ધીમે ધીમે તમારાંઓના સમૂહ ગાયનનો ઑરકેસ્ટ્રા શરૂ થયો. તેઓ હવે પૂર જોશમાં ‘ગાવા’ લાગ્યા હતા. પવન અત્યાર સુધી ધીરેથી વહેતો હતો તેણે પોતાની ગતિ વધારી અને સૂસવાટા થવા લાગ્યા. ચોકી સુધી પહોંચતામાં crescendo થશે અને આ સમૂહવાદનની પૂર્ણાહૂતિમાં cymbalsનો ધડાકો ક્યારે થશે એવો વિચાર કરતો હતો, ત્યાં અચાનક…
કહેવાય છે કે એક ચિત્ર સો શબ્દોની ગરજ સારે છે. અત્યાર સુધી આપે “રાવિ, ધુસ્સી બંધ અને સરકંડા” શબ્દો વાંચ્યા. હવે જુઓ તે સ્થળની તસ્વિરો. આપેલા ચિત્રોમાંનું ડાબી બાજુનું ચિત્ર છે ધુસ્સી બંધનો spur. તેના પર ખડા યુવાનને scale તરીકે લઇએ તો ખ્યાલ આવશે કે નદીનો પટ કેટલો પહોળો છે, અને પાણી કેટલાં ઊંડાં. જમણી તરફના ચિત્રમાં નદીમાં આવેલું પૂર છે અને તેના ધસમસતા પ્રવાહે ધુસ્સી બંધનું કેટલું નુકસાન પહોંચાડ્યું છે. સામાન્ય રીતે જ્યાં લોકો કામ કરી રહ્યા છે, તે ભાગ દસ-બાર ફિટ પહોળો હોય છે, જેના પરથી જીપ અને one-ton ટ્રક સહેલાઇથી જઇ શકે છે. આ ભાગ પર મોરચા (bunker) બાંધી શકાય છે.
રાવિમાં પૂર આવે તો ધુસ્સી બંધની આ દશા થાય. રાવિના ડાબા કાંઠાની પેલે પાર અમારી ચોકીઓ.
રાવિ નદી પરના ધુસ્સીબંધનું દૃશ્ય. નીચે જમણી તરફ ખાંચો દેખાય છે, ત્યાં નૌકા લાંગરી શકાય.
અમારી ચોકી પર જવા ડાબી તરફના ચિત્રમાં બતાવેલ ધુસ્સીની નીચે યોગ્ય સ્થળે નૌકા લાંગરવામાં આવે છે. તેમાં બેસી નદી પાર કર્યા બાદ સામા કાંઠે આવી જ કોઇ જગ્યાએ ઉતરવાનું સ્થળ હોય છે, જેને ‘પત્તન’ કહેવાય છે. ત્યાં ઉતરી, નીચેના ચિત્રમાં દર્શાવેલ સરકંડાના ઘાસના જંગલમાં બનાવેલી પગદંડી પર ચાલીને એકાદ કિલોમિટર જઇએ ત્યારે અમારી આઉટપોસ્ટ આવે. આઉટપોસ્ટની ચારે તરફ ધુસ્સી બંધ જેવો કોટ બાંધવામાં આવેલા છે. ત્યાંથી આંતરરાષ્ટ્રીય સીમાના BP (બાઉન્ડરી પિલર) દોઢસોથી બસો ગજના અંતરે હોય છે. આ ચિત્રો જોઇને અંદાજ આવશે કે રાવિ નદીમાં પગપાળા ઉતરીને ગળાડૂબ પાણીમાંથી શિયાળાની ટાઢમાં, સો’એક ગજ પહોળા નદીના પટમાંથી ચાલીને જવાનું હોય, અને પારો શૂન્યની આસપાસ હોય તો જવાનોની હાલત કેવી થઇ હશે ! પણ આ હતા ભારતીય સૈનિકો. સૌ આનાકાની કર્યા વગર તેમના અફસર પર વિશ્વાસ રાખી, શિર હાથમાં લઇ આગળ વધતા હતા.
નદીને પેલે પાર લગભગ છ થી આઠ ફીટ ઉંચા સરકંડાના ઘાસનું જંગલ આવે જેમાંથી પગદંડી બનાવી પોસ્ટ સુધી જવાય. જંગલનું એક દૃશ્ય.
આવી ઝાડીમાં રાતના અંધારામાં સબ ઇન્સ્પેક્ટર કરમચંદ અને તેમના જવાન LMG તાણીને બેઠા હતા. તેની નાળની સીધી લાઇનમાં હતા…અમે !
***
સવારના અગિયાર – બાર થવા આવ્યા હતા. દુશ્મન તેની મશિનગનથી અમારો સંહાર કરવા ઉત્સુક હતો. પાણીમાં પાંખ વગરના બતક જેવી અમારી હાલત હતી. અમે હવે ગરદન સમાણા પાણીમાં હતા, જેથી અમારી સામે દુશ્મન આવે તો પણ અમે તેના પર ફાયરિંગ ન કરી શકીએ.
આ સ્થિતિ એવી હતી કે મારે તત્કાળ નિર્ણય લેવાનો હતો. મારી ટુકડીને લઇ રાવિ પાર જતાં પહેલાં મેં કર્નલને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હું attack કરવા નહીં, Recce (Reconnaissance) કરવા માટે મારી Patrol Party સાથે જઈશ. રેકી પેટ્રોલના કેટલાક નિયમ અને સિદ્ધાંત હોય છે, જેનું વિવરણ કરવું જરૂરી છે.
રેકી પેટ્રોલનું મૂળભૂત કામ એક જ હોય : Reconnaissance – જેનો અંગ્રેજી અર્થ છે “Military observation of a region to locate an enemy or ascertain strategic features.” અર્થાત્ કોઇ એક વિસ્તારમાં દુશ્મનની ટુકડી છે કે નહીં તેની તપાસ કરવી; અથવા કોઇ એક સ્થાન લશ્કરી અભિયાન માટે ઉપયોગી છે કે કેમ તેનો કયાસ કરવા જતી ટુકડી તે રેકી પેટ્રોલ.
આ બેઉ પ્રકારની પેટ્રોલના ઉદાહરણ આપીએ.
(૧) સન ૧૯૯૯માં જનરલ મુશર્રફે ભારત સાથેની સમજુતિનો ભંગ કરી ચોરી છુપીથી તેમની સેનાને ભારતના કારગિલ ક્ષેત્રમાં ગેરકાયદેસર રીતે મોકલી હતી. તેમના કેટલાક સૈનિકોને ભારતના એક ગાડરિયાએ જોયા અને તેની માહિતી આપણી સેનાના ઉચ્ચ અધિકારીઓને આપી. આ માહિતી સાચી છે કે કેમ તેની તપાસ કરવા આપણી સેનાએ કૅપ્ટન સૌરભ કાલીઆની આગેવાની હેઠળ આઠ સૈનિકોની ટુકડીને રેકી પેટ્રોલ મોકલી હતી.
(૨) ૧૯૭૧માં જિપ્સીની શેરપુર ચોકીની નૌકા લાંગરવાનું સ્થાન લશ્કરી અભિયાન માટે કેટલું અગત્યનું છે અને તેના પર કબજો કરવાથી શો લાભ થશે તે જોવા પાકિસ્તાનની સેનાએ એક ટુકડી મોકલી હતી, જેનું વર્ણન અગાઉ કરવામાં આવ્યું છે. અહીં નોંધવા જેવી વાત એ છે કે રેકી પેટ્રોલ લડવા માટે નહીં, તપાસ કરવા મોકલવામાં આવે છે. આવી પેટ્રોલ પાર્ટી પર ગોળીબાર થાય તો પેટ્રોલ કમાંડરની જવાબદારી છે કે તેના બને એટલા સૈનિકોને તેની અસર નીચેથી બચાવીને પાછા base પર લઈ આવે.
જિપ્સી તેની ટુકડી લઈને ચાર્લી કંપનીની ખાલી કરેલી ચોકીની શી સ્થિતિ છે, અને તેના પર કબજો મેળવવા અમારે કઇ જાતની કાર્યવાહી કરવી જોઈશે તેની તપાસ માટે નીકળ્યો હતો. રાવિના મધ્ય-પ્રવાહમાં પહોંચતાં જ અમારા પર મશિનગનનો મારો શરૂ થયો હતો તે જ પુરવાર કરતું હતું કે આ પોસ્ટ દુશ્મનના કાબુ હેઠળ છે. અમે તેમની ફાયરિંગની રેન્જમાં હતા, તેથી જે માર્ગે અમે ત્યાં જવા નીકળ્યા હતા, તે માર્ગ સુરક્ષિત નહોતો. આ માહિતી આમ લગભગ વિના સાયાસ મળી હતી. હા, અમે તેમની રેન્જમાં હોત તો કદાચ અમારાં મડદાંઓએ આ વાત કર્નલ સાહેબને જણાવી હોત તે વાત જુદી ! હવે માઝી મેવાઁ ચોકીમાં તેમના કેટલા સૈનિકો છે, અને તેમની તપાસ કરવા જવાનું હોય તો મારે બીજા રસ્તેથી ત્યાં જવું જોઈશે, એવું નક્કી કર્યું. હવે મારી જવાબદારી મારી ટુકડીને સહીસલામત પાછા બેઝ પર લઈ જવાની હતી. સૌ પ્રથમ મેં જવાનોને દુશ્મનની મશિનગનની રેન્જથી દૂર કાઢ્યા અને પાછા વળવાનો હુકમ કર્યો.
જેમ જેમ અમે પાછા ફરવા લાગ્યા, દુશ્મનનું ફાયરિંગ ઘનીષ્ઠ થતું ગયું. ગોળીઓ નજીક વરસવા લાગી. સદ્ભાગ્યે હજી પણ અમે તેમની ઘાતક રેન્જની બહાર હતા તેથી સુરક્ષિત પાછા આવી ગયા. કર્નલ મારી પાસે ઝઘડવાના ઇરાદાથી આવ્યા હતા. પણ આ વખતે તેમની રૅંકની પરવા કર્યા વગર તેઓ કંઇ કહે તે પહેલાં જ મેં તેમને પૂછ્યું, “મારી પેટ્રોલ પર દુશ્મન મશિનગન ચલાવી રહ્યો હતો ત્યારે તમે મને શા માટે covering fire ન આપ્યું? તમે જોયું નહીં કે પાણીમાં અમે sitting ducks જેવી સ્થિતિમાં હતા?” આ ઉપરાંત ઘણી વાતો થઇ, જેનું વર્ણન યોગ્ય નહીં ગણાય.
કર્નલ પાસે કહેવા જેવું કંઇ નહોતું. હું તેમના ઑપરેશનલ કમાંડ નીચે નહોતો. મારા કમાંન્ડન્ટને કે બ્રિગેડ કમાંડરને જણાવ્યા વગર મને આ અભિયાન પર મોકલી તેમણે નિયમનો ભંગ કર્યો હતો. આ બાબતમાં તપાસ થાત તો એ પણ જણાઇ આવ્યું હોત કે મારી પેટ્રોલને extricate કરવા માટે તેમની પાસે ઉચિત સંખ્યામાં હથિયારબંધ સૈનિકો હતા તેમ છતાં કોઇ કાર્યવાહી કરી નહોતી. આ તેમની dereliction of dutyમાં આવી જાય.
મારો પોતાનો અંગત નિયમ હતો કે કોઇ કામ અધવચ્ચે ન છોડવું. મેં કર્નલ ગુરબચનને કહ્યું, “દિવસના ઉજાસમાં માઝી મેવાઁની રેકી શક્ય નથી. દુશ્મન અમને જોઇ શકે છે અને તેમની મશિનગન અને આર્ટિલરીનો મારો કરાવી શકે છે. હું મારી રીતે આ કામ પૂરૂં કરીશ. આ માટે હું ઉપરવાસ જઇ, યોગ્ય સ્થળેથી નદી પાર કરીશ,” કહી સૅલ્યૂટ કરી મારા જવાન પાસે જવા લાગ્યો ત્યારે કર્નલે મને બોલાવ્યો.
“સાંભળ, DSP,” કર્નલ અમને હજી પોલીસવાળા માનતા હતા, તેથી મારી રૅંક – જે આસિસ્ટન્ટ કમાન્ડન્ટની હતી, તે ન વાપરતાં પંજાબમાં DySPને DSP કહે છે તેમ ઉદ્દેશીને કહ્યું “તારી પાસે જવાનોની સંખ્યા પૂરતી નથી. મારા સુબેદાર અને તેમની સાથેના દસ સિપાહીઓને તારી સાથે મોકલું છું. મારો વાયરલેસ સેટ તેમને આપું છુું તેથી મારી સાથે સમ્પર્ક રહેશે. કૅરી ઑન!”
હવે અમારી સંખ્યા વધીને લગભગ વીસ – બાવીસની થઇ હતી. અમે ધુસ્સી પરથી જ ઉપરવાસ માર્ચિંગ શરૂ કર્યું. Posted by Capt. Narendra
મળવાનું હતું. થોડી વારમાં તેઓ નદી પાર કરીને તેમના પત્તનથી ચાલીને
અમારા મિલનસ્થાન પર આવી પહોંચ્યા અને તેમની સાથે વાત કરતો હતો
ત્યાં ચાર્લી કંપનીના જવાબદારીના વિસ્તારના ઑપરેશનલ કમાંડર ઇન્ફન્ટ્રી
રેજીમેન્ટના CO કર્નલ ગુરચરન સિંઘ તેમની રક્ષક ટુકડી સાથે આવી પહોંચ્યા. કોઇ ઔપચારિકતા કર્યા વગર તેમણે મને કહ્યું, “તું મારા ઑોરેશનલ આધિપત્ય નીચે છે. મારો તને હુકમ છે કે તારા જવાનોને
લઇ માઝી મેવાં પોસ્ટ પર હુમલો કરી તેના પર કબજો કર. તમે બૉર્ડર સ્મગલિંગ
ફોર્સ વાળાઓને હવે અસલ કામ કરવાનો વારો આવ્યો છે તો હવે પૂરો કરો.”
મિલિટરીના કેટલાક અફસરોને BSF પ્રત્યે જે અવિશ્વાસ કહો કે અણગમો,
તેના અનુભવોમાં વધારા થતા જતા હતા ! અને તે પણ યુદ્ધ જ્યારે ચરમ
સીમા પર પહોંચ્યું હતું તેવા સમયે! હું આ વાત સહન કરી શક્યો નહીં.
મારે તેમને જે કહેવાનું હતું તે કહ્યું – જેનું અહીં પુનરૂચ્ચારણ નહીં કરીએ.
એટલું જ કહેવું યોગ્ય થશે કે મેં તેમને કહ્યું કે માઝી મેવાઁથી આવેલા
જવાનોને લઇ તે પોસ્ટનું reconnaissance કરી આગળ જે કાર્યવાહી
કરવાની હશે તે કરીશ.
વયોવૃદ્ધ એવા પોસ્ટ કમાંડર S.I. મુલ્ક રાજે મારી તરફ અસાહય નજરે જોઇ જવાનોને લાઇનબંધ થવાનો હુકમ કર્યો. મેં આગળ વધીને અને કર્નલ સિંઘને કહ્યું, “મુલ્ક રાજને હું તેની ફરજમાંથી
ફારેગ કરૂં છું. હું જઇ રહ્યો છું તેથી તેમને ત્યાં જવાની જરૂર નથી. ફરીથી
કહું છું કે પોસ્ટ પર ઍટેક નહીં, પણ રેકી કરવાના ઇરાદાથી જઇશ. માઝી
મેવાઁ પ્લૅટૂન પોસ્ટ છે. તેના પર હુમલો કરવા મારે ઓછામાં ઓછી એક
કંપની – ૧૦૦ જવાન જોઇએ, અને તે પણ પૂરી રેકી કર્યા બાદ” કહી, સૅલ્યૂટ કરી જવાનોની સામે ગયો અને પૂછ્યું, “મારી સાથે
આવવા તૈયાર છો?”
“સાબજી, આપ અમારી સાથે હશો તો જ્યાં કહેશો ત્યાં જવા અમે તૈયાર છીએ,” પ્લૅટૂનના સિનિયર નાયક તુલસી રામે જવાબ
આપ્યો. મેં તેને મારો સેકન્ડ-ઇન-કમાંડ નીમ્યો અને તેને હુકમ કર્યો કે જવાનોને લાઇનબંધ કરે. ડ્રિલ પ્રમાણે અમે જવાનોનાં હથિયાર અને
ઍમ્યુનિશન તપાસ્યા. બધું બરાબર હતું. મેં તેમને હુકમ કર્યો “પ્લૅટૂન,
સાવધાન! મેરે પીછે માર્ચ!” અને અમે ધુસ્સી બંધ પરથી રાવિ નદીના પટ
ઉતરવાનું શરૂ કર્યું. અમારી નાવ સામા કાંઠે હતી. તેથી નદીમાં ઉતરી
પગપાળા જ અમારે પાર જવાનું હતું. તુલસીરામનો એક જવાન આ
જગ્યાથી પરિચિત હતો. તે છિછરાં – એટલે ખભા-સમાણાં ઊંડાણવાળા
ભાગ તરફઅમને લઇ ગયો. આગળ હું, સાથે નાયક તુલસી રામ અને પાછળ ૨૨ જવાન.
ડિસેમ્બરની કાતિલ ટાઢ હતી. માઝી મેવાંથી આવેલા જવાનોનાં કપડાં
હજી સૂકાયાં નહોતાં. “બોલે સો નિહાલ, સત શ્રી અકાલ’ના નારા સાથે મેં
રાવિના જળમાં પગ મૂક્યો અને જાણે સો – સો વિંછીઓએ ડંખ માર્યો હોય
તેમ બરફ જેવા પાણીએ મારી ત્વચાને સ્પર્શ કરી મારૂં સ્વાગત કર્યું. ધીમે
ધીમે અમે આગળ વધ્યા. પાણી છાતી સમાણૂં થયું હતું. નીકળતાં પહેલાં મેં
મારી પિસ્તોલ મુલ્ક રાજને આપી તેની સ્ટેનગન લીધી હતી. અમે સૌએ અમારા
હથિયાર અને રાઇફલની ગોળીઓના બંડોલિયર ઊંચા કર્યા જેથી તે પાણીમાં
ભિંજાય નહીં. અમારાં હાડ ઠરીને બરફ જેવા થયા હતા.
ધીરાં પણ મક્કમ પગલે અમે રાવિના મધ્ય ભાગમાં આવી પહોંચ્યા હતાં
ગરમ તવા પર પાણીનાં છાંટા પડ્યા હોય તેમ. બે – ત્રણ સેકંડ બાદ સંભળાયા
Rat-tat-tat જેવા ધડાકા. મેં ડાબી તરફ જોયું તો શેરપુર ચોકી પર કબજો
કરી, રાવિના કિનારા પર પોઝીશન લઇને બેઠેલા પાકિસ્તાની સૈનિકોની
બ્રાઉનિંગ મશિનગન અમારા પર
ટ્રિગર દબાવી રહેલ સૈનિકના ટોપ પાસે સીધી દાંડી છે, તે રેન્જ સેટર છે. ગોળીઓ છોડ્યા બાદ તેમની અમારા પર અસર થઇ છે કે નહીં તે જોઇ આ રેન્જસેટરમાં ફેરફાર કરવામાં આવે છે અને ગનની નળીનું alignment તે પ્રમાણે કરવામાં આવે છે..
ફાયરિંગ કરી રહી હતી. તેમના સૈનિકો દેખાયા નહીં, પણ જે ઝાડી પાછળથી
તેઓ ફાયરિંગ કરી રહ્યા હતા ત્યાંથી નીકળતો ધુમાડો જોયો. એકા’દ
મિનિટ બાદ ફરી એક વાર તેમની મશિનગનનો બર્સ્ટ આવ્યો. અમે
તેમની રેન્જથી દૂર હતા અને તેઓ ranging કરી રહ્યા હતા તે સ્પષ્ટ
હતું. તેમની ગોળીઓના નાના બર્સ્ટથી જે ઘડીએ અમારામાંથી
કોઇને ગોળી વાગે તે accurate range થાય. ત્યાર બાદ મિનિટની
૩૫૦ ગોળીઓ છોડનારી આ કાતિલ નળીમાંથી નીકળનારા મૃત્યુના
BSFના નિર્માણ વિષયક ફેલાયેલી અફવા તદ્દન પાયા વગરની હતી. તેમ છતાં
ભારતીય સેનાના અફસરોમાં પ્રવર્તેલી શંકા દૂર કરવા કેન્દ્ર સરકારના ગૃહખાતા
કે સંરક્ષણ ખાતા તરફથી કોઇ પ્રયત્ન ન થયો. અત્યારે વિચાર કરીએ તો એવું
લાગ્યા વગર ન રહે કે તે સમયના રાજકારણીઓએ ભારતીય સેના પર એક
પ્રકારનું દબાણ લાવવા માટે જાણી જોઇને આ ભ્રામક ખ્યાલ દૂર કરવા કોઇ
પ્રયત્ન ન કર્યો. સ્વતંત્રતા મેળવ્યા બાદ મોટા ભાગના – બ્રહ્મદેશ, ઇન્ડોનેશિયા,
ઇજિપ્ત, પાકિસ્તાન વિ. જેવા Third World દેશોના લશ્કરી વડાઓ જનતાએ
ચૂંટેલી સરકારને બરખાસ્ત કરી પોતે સરમુખત્યાર સત્તાધીશ થઇ બેઠા હતા.
આવું ભારતમાં ન થાય તેના માટે સરકારે સૈન્યની એવી કોઇ મનિષા હોય તો તે
ડામવા માટે BSFની રચના થઇ છે, એવી શંકા જગાવવા ભારતના તે સમયના
રાજકારણીઓને આ પરિસ્થિતિ સાનુકૂળ લાગી હોય તે પણ બનવાજોગ છે.
અલ્પમતિ રાજકારણીઓને ભારતીય સેના પર વિશ્વાસ હોવો જોઇતો હતો કે આપણું સૈન્ય હંમેશા રાજકારણથી અલિપ્ત રહ્યું છે. શરૂઆતથી જ. ભારતીય સેનાના
અફસરોની વાત કરીએ તો જેમ બાળકને જન્મતાં જ પ્રાણવાયુ મળે છે અને જીવન
શરૂ થાય છે, તેમ ફૌજી અફસરને યુનિફૉર્મ પહેરતાંની સાથે જ પહેલો શ્વાસ મળે
છે તે રાષ્ટ્રભક્તિનો. ઇંડિયન મિલિટરી ઍકેડેમીમાં પગ મૂકતાં જ સામે દેખાતો
બીજમંત્ર, જેની પ્રથમ પંક્તિના શબ્દ “The safety, honour and welfare of your country come first, always and every time” દરેક અફસરના શ્વાસમાં અને હૃદયના ધબકારમાં ધબકવા લાગે છે. ભારતીય સૈનિકોની દેશ ભક્તિ પર કદી કોઇને શંકા હોવી ન જોઇએ.
ભારતીય સેનાના કેટલાક અફસરોમાં BSF પ્રત્યે સેના-વિરોધી પોલીસ ફોર્સની ભાવના હતી તેનો પ્રથમ અનુભવ ૧૯૬૯માં અમદાવાદના
હુલ્લડ દરમિયાન કન્ટ્રોલ રૂમની ડ્યુટી દરમિયાન આવ્યો. વાતાવરણ શાંત થયું હતું
અને નિરાંતનો દિવસ હતો. સાંજે ઇન્ફન્ટ્રીના એક કૅપ્ટને જિપ્સી પર સીધો આરોપ
કર્યો કે BSFની રચના મૂળે ભારતીય સેનાની શક્તિને ડામવા માટે જ કરવામાં
આવી હતી. ૧૯૬૫થી ૧૯૬૯ના ગાળામાં જે વાત હું સાવ ભૂલી ગયો હતો, તે અચાનક
પ્રકટ થયેલા જીનની માફક ખિખિયાટા કરતું હોય તેવું લાગ્યું.
કૅપ્ટનની વાતનો જિપ્સીએ પૂર જોશથી વિરોધ કર્યો. વાત આગળ વધે તે પહેલાં
મેજર ટેલર વચ્ચે પડ્યા અને પેલા કૅપ્ટનને લગભગ ચૂપ રહેવાની આજ્ઞા કરી અને
વાદ ખતમ કર્યો. આ વિવાદ ફરી વાર જોવા મળ્યો ૧૯૭૧માં, જ્યારે જિપ્સીનું
પંજાબમાં પોસ્ટીંગ થયું.
***
૧૯૬૫ના ડિસેમ્બરમાં BSFની રચનાની જાહેરાત થયા બાદ છેક ૧૯૬૬ના મધ્યમાં
તેને કલેવર મળવા લાગ્યું. એક સામટી ૧૦૦ બટાલિયનો ખડી કરવાનું કામ
અશક્ય હતું. કેન્દ્ર સરકારે રાજસ્થાન, પંજાબ વિ. જેવા રાજ્યો સાથે વાટાઘાટ
કરી સીમા પર સેવા બજાવી રહેલ તેમની પોલીસ બટાલિયનોને BSFમાં સમ્મિલિત
કરવાની શરૂઆત કરી. તેમની નેમ હતી ગુજરાત, રાજસ્થાન અને પંજાબની
સીમા પર દસ – દસ બટાલિયનો મૂકવાની – એટલે કે ૩૦ બટાલિયનોની.
જો કે એટલી સંખ્યામાં પોલીસ બટાલિયનો ઉપલબ્ધ નહોતી તેથી ૧૯૬૫થી
૧૯૭૧ સુધીમાં પશ્ચિમની સીમા પર તેઓ કેવળ અઢાર બટાલિયનો મૂકી શક્યા હતા. BSFને સૌથી મોટો ફાયદો થયો હોય તો તેમને ભારતીય સેનાના એમર્જન્સી
કમિશન્ડ ઑફિસર્સ મળ્યા, જેમને ૧૯૬૫ના યુદ્ધનો પ્રત્યક્ષ અનુભવ હતો.
જો કે BSFને જેટલા અફસરોની જરૂરિયાત હતી તેના પચાસ ટકા કરતાં ઓછા અફસરો મળ્યા. પંજાબમાં અમારી બટાલિયનની જ વાત કરીએ તો અમારી પાસે કેવળ
બૉર્ડર પરની પાંચ કંપનીઓનું સંચાલન કરવા માટે ફક્ત બે અફસર હતા, જ્યારે દ
રેક કંપનીમાં એક એક ઑફિસર જોઇએ. હેડક્વાર્ટર્સમાં માત્ર પચાસ ટકા અફસર હતા.
અમારી ૧૫ બૉર્ડર આઉટ પોસ્ટના કમાંડર તરીકે ઇન્સ્પેક્ટર કે સબ-ઇન્સપેક્ટર હોવા જોઇએ, તેને બદલે ૮૦% સ્થાન પર સિનિયર હવાલદારોને
ASIનું કામચલાઉ પ્રમોશન આપી પોસ્ટ કમાંડરની ફરજ સોંપવામાં આવી હતી.
જવાનોની સંખ્યા પણ ઓછી હતી. જે ચોકીમાં ૩૦ થી ૩૫ સૈનિકો હોવા જોઇએ
ત્યાં માંડ વીસે’ક જેટલા જવાન હતા. આ કહેવાનું તાત્પર્ય એ છે કે BSFનું કાર્ય
શાંતિના સમયમાં પૂરું કરવા માટે આટલી કમી હોવા છતાં પણ કામ ચાલી જતું,
જેમાં અમારે રોજનું પેટ્રોલિંગ અને રાત્રીના સમયે જ્યાંથી ઘૂસપેઠિયા અને
દાણચોરોને આપણી સીમામાં પ્રવેશ કરવાની
શક્યતા વધુ હતી ત્યાં નાકા (ambush) ગોઠવી ગુનેગારો સામે યોગ્ય કાર્યવાહી
કરવી. યુદ્ધમાં મિલિટરીની જેમ રક્ષાપંક્તિ કરવી હોય તો તે BSF માટે અશક્ય
હતું. આનાં કારણો બતાવવા જઇશું તો આ પોસ્ટ ઘણી લાંબી થઇ જશે, તેથી
ટૂંકમાં આ કહેવામાં આવ્યું છે.
૧૯૬૫ના યુદ્ધના સમયે રાવિ નદી પારની સઘળી ચોકીઓમાં પંજાબની
પોલીસ પાર્ટીઓ હતી. લડાઇ શરૂ થતાં જ તેમને ચોકીઓ ખાલી કરી
પંજાબ આર્મ્ડ પોલીસના મુખ્ય કાર્યાલયોમાં ખસેડવામાં આવ્યા હતા.
આનું કારણ હતું, રાવિ પારની ચોકીઓ ત્રણ તરફથી પાકિસ્તાનની સીમાથી
ઘેરાયેલી અને પાછળની બાજુએ રાવિનાં ઘેરાં, ઊંડા જળનો અંતરાય. અમારી
સામેનો વિસ્તાર એટલે પાકિસ્તાનનો મેદાની mainland. પોલીસ ફોર્સ પાસે
ટૅંકને રોકી શકે તેવા હથિયાર ન હોય તેથી તેમની ટૅંક્સને આ પોલીસ ચોકીઓ
ઉધ્વસ્ત કરી રાવિના કિનારા સુધી પહોંચવામાં અર્ધા કલાકથી વધુ સમય ન
લાગે. આમ નદી પારની ચોકીઓ indefensible ગણાતી. આપણી સેનાની
સંરક્ષણ પંક્તિ રાવિ નદીનાં પૂર ખાળવા માટે બાંધવામાં આવેલ ધુસ્સી બંધની
પાછળ શરૂ થતી. ૧૯૭૧માં BSF પાસે આધુનિક હથિયાર નહોતાં. અમારી પાસે
હજી બીજા વિશ્વયુદ્ધના સમયની બોલ્ટ ઍક્શન રાઇલ્સ હતી. ટૅંક વિરોધી રિકૉઇલલેસ
કમાંડર તરીકે જિપ્સીની નીમણૂંક થયાના બે અઠવાડિયામાં પંજાબની સીમા પર
તહેનાત હતી તે BSFની સઘળી બટાલિયનોને મિલિટરીના ઑપરેશનલ કન્ટ્રોલ નીચે
મૂકવામાં આવી. યુદ્ધનાં વાદળાં ઘેરાતા હતા. તે સમયની સ્થિતિ એવી હતી કે
ભારતીય સેનાની જે ઇન્ફન્ટ્રી બટાલિયનના નિયંત્રણ નીચે BSFની કંપનીને મૂકવામાં
આવે, તેના કંપની કમાંડર અને જવાનો તે બટાલિયનનો જ ભાગ બની જાય અને
તેમના રાશન, દારૂગોળા, યુદ્ધમાં તેમણે શી ફરજ બજાવવાની છે તે BSFનો role
ધ્યાનમાં રાખી તે સોંપવામાં આવે. આમ જે દિવસથી આ કંપની મિલિટરીને સોંપવામાં અવે, BSFના C.O.ની જવાબદારી પૂરી થઇ જાય અને BSFના અફસર અને જવાનોની
સુરક્ષિતતા, રાશન વિ. ની જવાબદારી સંબંધિત ઇન્ફન્ટ્રી બટાલિયન કમાંડરના
શિરે રહે. તેમાંનું કશું કરવામાં આવ્યું નહીં. અમારી logistical સમસ્યા ઘણી
વધી ગઇ. બીજી મહત્વની વાત હતી, BSFની યુદ્ધકાલિન ફરજ શી હશે તેનો
નિર્ણય લેવાયો નહોતો. રણનીતિકારો એવું ધારી બેઠા હતા કે ભારત હુમલાખોર નથી,
તેથી પંજાબ બૉર્ડર પરની સેનાને આક્રમણ કરવાની તૈયારી કરવાની જરૂર નહીં પડે. વળી યુદ્ધ થાય જ, તો તે પૂર્વ બંગાળના મોરચે થશે. આવું થાય તો પાકિસ્તાનને તેની પૂરી સેના પૂર્વ પાકિસ્તાનમાં મોકલવી પડે,
અને પશ્ચિમના મોરચા પર લડાઇની કોઇ શક્યતા ન રહે. આવી વિચારધારાને
કારણે જો પાકિસ્તાન યુદ્ધની ઘોષણા કરે તો BSFના સૈનિકો OP (ઑબ્ઝર્વેશન
પોસ્ટ)નું કામ કરતા રહે. ચોકીઓ પર હુમલો થાય તો ઇન્ફન્ટ્રીના કમાંડરો તેમને
યોગ્ય લાગે તે કાર્યવાહી કરે, પણ તે અંગેના સ્પષ્ટ હુકમ અપાયા નહોતા. BSFના
કમાન્ડીંગ ઑફિસરને અમારા સૈનિકોની સુરક્ષા, તેમનું deployment કે હુમલો થયા
બાદ તેમને ક્યાં મૂકવા તે અંગે કશું પણ કરવાનો અધિકાર નહોતો. અમને મળેલા
હુકમ પ્રમાણે અમારી ચોકીઓ ઉપર હુમલો થાય તો BSFના કંપની કમાંડરે શું કરવું,
ક્યાં મોરચાબંધી કરવી તેનો ન તો 15 Infantry Divisionના જનરલ સાહેબે કે
અમારા direct commander તરીકે સંબંધિત બ્રિગેડ કમાંડરે કોઇ નિર્ણય ન લીધો.
રણનીતિમાં આ એક મોટી ક્ષતિ રહી ગઇ હતી.
અમારા ત્રણે બ્રિગેડ કમાંડર્સ તરફથી BSF માટે કોઇ યોજનાબદ્ધ હુકમ મળતા
નહોતા. તેમણે BSF માટે status quo – જે હાલતમાં છો, તેવી જ રીતે રહોની
નીતિ અપનાવી હતી. અમારી ૨૩મી BSF બટાલિયનના કમાન્ડન્ટ પંજાબ
પોલીસના ચાણાક્ષ બુદ્ધિના અને દુરંદેશી ઑફિસર ગુર ઇકબાલ સિંહ ભુલ્લર
હતા. તેમણે આગેવાની લઇ બે અગત્યના નિર્ણય લીધા. અમારી ચોકીઓની
ભૌગોલિક સ્થિતિ તથા ૧૯૬૫ના અનુભવને ધ્યાનમાં લઇ એક વાત સ્પષ્ટ હતી કે
જો પાકિસ્તાન તરફથી હુમલો થાય, તો તેઓ ત્રણ પગલાં લેશે. ૧. તેમની સેના
સૌ પ્રથમ અમારી ચોકીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ કાપવાનો પ્રયત્ન કરશે.
આ માટે સૈનિકોને રાવિ પાર કરવા પત્તન (નૌકા લાંગરવાના સ્થળ) પર કબજો
કરશે. ૨. હુમલો કરતાં પહેલાં પાકિસ્તાની સેના Preparatory Bombardment
કરશે. ૩. ચોકીઓમાં અમારા કેવળ ૨૦થી ૨૫ સૈનિકો હોય છે, અને અમારી
પાસેના મોજુદા હથિયાર વડે અમે તેમનો સામનો નહીં કરી શકીએ. તેઓ
હુમલો કરે તો તેમાં તેઓ સો ટકા સફળ થાય. તેમાં શંકાને સ્થાન નહોતું. આ માટે
શ્રી. ભુલ્લરે ત્રણ પગલાં લીધાં. એક તો ચોકીની ચારે બાજુ બાર્બ્ડ વાયરના કેવળ
બે તારની વાડ બનાવી. આવી વાડ દર્શાવતી હોય છે કે તેમાં લગાડેલા તારની
પાછળ માઇનફિલ્ડ છે. તેથી હુમલાખોર સેના તે પાર કરવાનો પ્રયત્ન નહીં કરે.
૧૯૬૫ની હાલમાં જ લડાઇ પૂરી થઇ હતી. ડિસેમ્બર મહિનામાં અખબારોમાં
જાહેર થયું કે સીમાવર્તી વિસ્તારોમાં તંગદિલી ઓછી કરવા અને યુદ્ધ જેવી
પરિસ્થિતિ ટાળવા ભારત સરકારે કેન્દ્રીય ગૃહ ખાતા નીચે એક નવા હથિયારબંધ
પૅરા મિલિટરી ફોર્સ ઉભું કરવાનો નિર્ણય લીધો છે. સરકારે જાહેર કર્યું કે શ્રી. કે. એફ. રુસ્તમજીના આધિપત્ય નીચે લગભગ ૧૦૦
બટાલિયનોનું – એક લાખ સૈનિકોનું અર્ધલશ્કરી સૈન્ય – BSF – તૈયાર કરવામાં આવશે. આ સૈન્યને ભારતીય સેના જેવા હથિયાર અને શસ્ત્ર
સામગ્રી આપવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય સીમા પર તહેનાત કરી, ભારતીય
‘સેનાને તેમના શાંતિના કેન્ટોનમેન્ટ્સમાં મોકલવામાં આવશે. શ્રી. રૂસ્તમજી એક
જમાનામાં સ્વ. જવાહરલાલ નહેરૂના ખાસ વિશ્વાસુ ગણાતા પોલીસ અફસર હતા,
BSFની સ્થાપના પાછળ જાહેર કરવામાં આવેલા ઉદ્દેશો હતા:
આંતરરાષ્ટ્રીય સીમાની રક્ષા. સીમા પર કોઇ ગંભીર બનાવ બને તો પાકિસ્તાનની સીમા રક્ષક સેના – રેન્જર્સ સાથે ફ્લૅગ મિટિંગ કરી તેનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવો.
યુદ્ધની પરિસ્થિતિ ઉભી થાય ત્યારે સીમા પરથી BSFને ખસેડી ત્યાં ભારતીય સેનાને મૂકવામાં આવે. આવી સ્થિતિમાં BSFને સેનાની રક્ષાપંક્તિના ઊંડાણને સશક્તકરવા મોરચાબંધી કરવા ખસેડવી.
જ્યાં દુશ્મનની સેના દ્વારા થનારા હુમલાની શક્યતા ઓછી હોય ત્યાં લશ્કરી અભિયાન કરવાની છૂટ (limited military action in less threatened sectors) આપવામાં આવે.
દેશના vital points તથા vital installationsની (રેડિયો સ્ટેશન, એરોડ્રોમ્સ, જાહેર સંચાર સાધનો વિ.)ની રક્ષા કરવી.(આગળ જતાં આ કામ માટે CISFની રચના કરવામાં આવી.)
દેશમાં આંતરિક સુરક્ષાની સમસ્યા ખડી થાય તો તેના પર નિયંત્રણ લાવવા રાજ્ય સરકારની મદદે જવા જેવી જવાબદારીઓ સોંપાય.
આ જાહેર થતાં ભારતીય સેનામાં એવી અફવા ફેલાઇ કે ભારત સરકારના રાજકારણી
નેતાઓમાં ભય ઉત્પન્ન થયો છે કે ભારતીય સેનાએ મેળવેલ વિજય અને તેમાંથી
પ્રાપ્ત થયેલી લોકપ્રિયતાનો
લાભ લઇ ભારતીય સેના પાકિસ્તાની સૈન્યની જેમ coup d’état કરી સત્તા ખૂંચવી શકે તેવી સ્થિતિમાં છે. તેનો પ્રતિકાર કરવા
કેન્દ્ર સરકાર તેમના ગૃહ ખાતા હેઠળ શરૂઆતમાં એક લાખ જેટલા સૈનિકોની
સમાંતર સેના ખડી કરવા માગે છે. BSFની રચના તો સીમા સુરક્ષાનું બહાનું છે. અસલ ઇરાદો તો ભારતીય સેનાના
પ્રતિકાર માટે આ ફોજ તૈયાર કરવામાં આવશે.
અફવા સાંભળી ભારતીય સેનાના ચીફ ઑફ આર્મી સ્ટાફથી માંડી સેકન્ડ
લેફ્ટેનન્ટ નરેન જેવા જ્યુનિયરમોસ્ટ અફસરોમાં સનસનાટી ફેલાઇ ગઇ. આની
સાથે સરકારે તરત હુકમ પણ બહાર પાડ્યા કે BSFમાં ભરતી શરૂ કરવામાં આવી છે. સીમા પરના રાજ્યોમાં SRP, રાજસ્થાન આર્મ્ડ કૉન્સ્ટેબ્યુલરી, પંજાબ આર્મ્ડ
પોલીસની બટાલિયનોને BSFમાં સમાવી લઇ સીમા પરથી ભારતીય સેનાને દેશના
અંતરિયાળમાં આવેલા કેન્ટોનમેન્ટ્સમાં મોકલવાની શરૂઆત થઇ ગઇ. આમ
દેશની અગ્રિમ રક્ષાપંક્તિ – First Line of Defenceનું ગૌરવશાળી બહુમાન ભારતીય
સેના પાસેથી ખૂંચવી તે BSF જેવા
“પોલીસ ફોર્સ”ને આપવામાં આવી રહ્યું છે એવો અસંતોષ સેનાના અફસરો અને
JCO તથા NCOના પદાધિકારીઓ સુધી ફેલાઇ ગયો હતો,
સરકારના પરિપત્રોમાં જણાવવામાં આવ્યું હતું કે BSFને સીમા પર તહેનાત
કરવામાં આવશે, તેથી તેના આફસરો તથા સૈનિકોને ભારતીય સેના જેવું પ્રશિક્ષણ આપી, સૈન્ય પાસે છે તેવા જ હથિયાર – જેમાં 3” Mortars, Medium Machine Guns (MMG) વિ. આપી સક્ષમ સૈન્ય તૈયાર કરવામાં આવશે. હજી તો BSFમાં ભરતી
શરૂ પણ નહોતી થઇ ત્યાં ભારતીય સેનાના અફસરો BSFને ધિક્કારવા લાગ્યા.
જિપ્સી પોતે પણ આ માન્યતામાંથી બાકાત નહોતો !
ભારતીય સેનામાં BSF વિરોધી ફેલાયેલા અવિશ્વાસ અને ગેરસમજની પરાકાષ્ઠા
દૂર કરવા લોકલાડીલા વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી કંઇ કરી શકે તે પહેલાં તેમનું
જાન્યુઆરી ૧૯૬૬માં અવસાન થયું. એવું નહોતું કે દેશની ગુપ્તચર સંસ્થાઓને આ
અફવાની જાણ નહોતી થઇ. તેમણે તેનો અહેવાલ ગૃહ ખાતાના અધિકારીઓને તથા
સરકારના મંત્રીમંડળને પહોંચાડ્યો હોય તે શક્ય છે; પણ કોઇએ આ અફવા દૂર
કરવા કોઇ પ્રયત્ન ન કર્યો. જો આવો કોઇ પ્રયત્ન થયો હોત તો આ ગેરસમજ દૂર
કરવા ભારતીય સેનામાં BSF વિશે પૂરી માહિતી આપવામાં આવી હોત. ભારતીય
સેનાના અફસરોને શિક્ષણ આપવામાં આવ્યું હોત કે BSF ભારતીય સેનાનું પ્રતિસ્પર્ધી
કે સમાંતર સૈન્ય નહીં, પણ સેનાનું પૂરક અને સહકારી બળ છે..આવું ન કરવા પાછળના કારણો અંગે જિપ્સીનું વિશ્લેષણ આ પ્રમાણે છે:ભારત સ્વતંત્ર થયા બાદ નહેરૂ ભારતીય સેનાને બરખાસ્ત કરી તેની
જગ્યાએ પોલીસ મૂકવા માગતા હતા. તેમના મક્કમ વિચાર પ્રમાણે ભારત
એક અહિંસક અને શાંતિપ્રિય દેશ છે તેથી તેને સૈન્યની આવશ્યકતા નથી.
આ માન્યતા રત્તાધારી પક્ષ – કૉંગ્રેસમાં હજી ઘોળાતો હતો.
દેશમાં નાગરી સત્તાની સર્વોપરિતા (Civilian Authority over the Military – Armed Forces)ની સ્થાપના માટે નહેરૂના સરકારી બાબુઓ (ICS જેવા) સલાહકારોએ \
ભલામણ
કરી ભારતીય સેનાના Commander in Chiefનો હોદ્દો રદ કર્યો. તેમના સ્થાને
સૈન્યની ત્રણે પાંખો – સેના, નૌકાદળ
અને વિમાનદળને જુદા જુ દા ઉપરી – Chief of Army Staff, Chief of Air
Staff અને Chief of Naval Staffના નવનિર્મિત પદાધિકારીઓની નીચે મૂકવી.
આમ કરવાથી સૈન્ય દ્વારા રાજપલટો ન થઇ શકે. આ અગાઉ C-in-Cનો હોદ્દો સરકારના કૅબિનેટ સેક્રેટરી કરતાં ઉંચો હતો તેથી બાબુઓના મનમાં
પણ આ ભય કરતાં ઈર્ષ્યાની માત્રા વધુ હતી. આ ભય કેટલો સાચો હતો (અને
માટે જે જગ્યા તૈયાર કરવામાં આવે છે તેને પંજાબમાં ‘પત્તન’ કહે છે.
આવી રોમાંચક જગ્યાએ મારૂં પોસ્ટીંગ થયું હતું!
કાળા તેતર દેખાવમાં પણ સુંદર અને તેના સાદમાં “સુભાન તેરી કુદરત” જેવા શબ્દો સંભળાય!
comments:
harnish5May 12, 2009 at 8:10 AMNice account- I recommend a nice book-“Kartography” by Kamila Shamsie. a pakistani writer. This book is about the birth of Bangladesh-It is in Novel form. She has received literary award from Pak prime Minister- She is teaching english in Boston Uni- she is only 35. Captain Saheb-ur last chapter and this is excellent-Very Informative. Thanks.