નમસ્કાર, આજે ભર્તૃહરિ કૃત “શૃંગારશતક” માંથી થોડા વધુ મુક્તકો માણીશું. આ પુસ્તકનાં લગભગ ૨૦ (ક્રમાંક ૨૦ થી ૪૦) જેટલા શ્ર્લોકોમાં યુગલની રતિક્રિડાનું રસિક વર્ણન કરાયું છે. જો કે તેમાં લગભગ ક્યાંય, આ પ્રકારના વિષયને વર્ણવતા, અત્યારનાં અમુક સાહિત્ય જેવું છીછરાપણું કે અભદ્ર લાગે તેવું વર્ણન નથી. લેખકશ્રીએ આ મુક્તકોને ભર્તુહરિ દ્વારા દોરાયેલા શબ્દચિત્રો કહ્યા છે. અને વાંચકમાં થોડી પણ કલ્પનાશક્તિ હશે તો તેમને આ શબ્દચિત્રો નજર સમક્ષ જીવંત થતા દેખાશે. હા! યુવાનો માટે આ એક સ__રસ જાતીય શિક્ષણનો પાઠ બની રહે તેમ છે. કોઇને કદાચ આ થોડું કામુક લાગે ! પરંતુ યાદ એ રાખવાનું છે કે આ લખાણ લગભગ ૬ટ્ઠી સદી આસપાસ લખાયું છે, અને અત્યારે આપણે વધુ સુધરેલા એવા ૨૧મી સદીનાં લોકો છીએ, કે જેઓ હજુ શાળાઓમાં જાતીય શિક્ષણ આપવું કે નહીં, અને આપવું તો કઇ રીતે આપવું, તેની ચર્ચાઓ કરે રાખે છે. અને યુવાનો કુદરતનાં ક્રમ પ્રમાણે જરૂરી સમયે, જરૂર પુરતું શીખી જાય છે, પરંતુ સમજી શકતા નથી !!!
અહીં થોડા વિણેલા મુક્તકો જ…
આભાર અશોકસિંહ ભાઈ
LikeLike
વાહ દાદા સુંદર બ્લોગ છે
LikeLiked by 1 person
આભાર ગને તો વાંચતા રહેજો. એક જ દિશાનો રસ જીવનના એનેક રસોથી વંચિત રાખે છે.
LikeLike
મને સાહીત્ય…નવલકથા..વાંચતો તો કયૉ ..તમે..પવિણ શાસ્ત્રી જી ..
LikeLiked by 1 person
પ્રકૃત્તિના નિયમોની સરસ વાત કરી. હાર્મોન્સના ઊછાળા દેહ અને મનના બંધાર્ણા મુજબ થતા જ રહેવાના. જ્યાં સૂધી સમાજે બાંધેલી નિયંત્રીત કક્ષામાં રહે ત્યાં સૂધી સેક્સ સુરૂચિકર રહે. અનેઋચિ એ માનવની અંગત વાત બની રહે. સાહિત્યે એને માણવા યોગ્ય જ બનાવ્યું છે. આગલી કોમેન્ટ કેમ ના દેખાઈ તે સમજાતું નથી.
LikeLike
મેં આ અગાઉ અહિં જ મારા વિચારો મુક્યા હતાં તે કેમ છપાયા નહિ તે મારે માટે પ્ર્શ્ન છે. છતાં તે વિચારોનો સાર લખું. કુદરતે કે પ્રકૃતિઅે જ્યારે જીવ બનાવ્યો…વિજ્ઞાનના મતે…ત્યારે તે જીવને…ભલે તે પ્રાણિ હોય કે વનસ્પતિ….ત્રણ ઉદ્દ્શો સાથે જ પૃથ્વિ ઉપર મુક્યા હતાં. ખાવું, પીવું અને પ્રજનન કરીને પ્રજોત્પ્ત્તિ કરવી. જે કાંઇ થયુ…વિજ્ઞાન આવ્યુ…રીસર્ચ થઇ…આઘુનીકતા આવી…પરંતુ જે બેઝીક ત્રણ ઉદ્દેશો લઇને જીવ જન્મ્યો છે તે તો હજી પણ તેના જીવનના મૂળ ઉદ્દેશો રહ્યા જ છે….અને તે ઉદ્દેશો પળાઇ રહ્યા છે. આ ઉદ્દેશો પાળવા માટે તેણે નવી નવી રીતોનો આનંદ..પ્રમોદ માટે નવી નવી રીતો શોઘી…..અને જ્યારે શબ્દ અે સાહિત્ય માનવના મનમાં જન્મ્યુ ત્યારે તેણે પોતાના અાનંદદાયક પ્રયત્નોને
રસોના નામે જીવનને વઘુ આનંદદાયક બનાવ્યુ… વિજ્ઞાને નવી નવી શોઘો દ્વારા તેના આનંદ પ્રમોદના રસ્તાઓને વઘુ રીસર્ચ વડે શણગારવાનું કામ કર્યુ અને માણસે તેને શબ્દોમા શણગાર્યુ…શૃગાર રસ તે છે…..મનના ભાવોનો શાબ્દિક જન્મ……
LikeLiked by 1 person
ઈ વાત તમારી કાઢી નાખવા જેવી નથી . પરમેશ્વર કરે છે ને સારા માટેજ હોય છે . પ્રવીણકાન્ત ભાઈ બાવા બાયડીયું વિનાના હોય એજ સારું .
LikeLike
આતાજી એક રીતે સારું જ છે. આવા સાધુ બાવાઓ સ્ત્રી વિહોણા રહે. એમ તાય તો જ કેટલાક રસિક પુરુષોને એકને બદલે બેત્રણ સ્ત્રીઓનો સંગ મળી શકે. કુદરત તો વિશ્વમાં સ્ત્રી પુરુષનું સમતોલન જાળવે જ છે. ભલેને બાવાઓ સ્ત્રી વગરના રહે!
LikeLike
પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ હું જ્યારે સ્ત્રી વિહોણા સાધુઓના ટોળે ટોળાં જોઉં છું ત્યારે એમાં પરમેશ્વરનું અપમાન થતું હોય એવું મને લાગે છે .
LikeLiked by 1 person
વાહ આતાજી વાહ. સર્જન ક્રિયા અને એ સર્જન ક્રિયાનો આલ્હાદક આનંદ અનેરો જ હોય છે.
LikeLike
પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
મનેતો આ લેખ ખુબ ગમ્યો . સ્ત્રી શક્તિ ઓથી ભાગતા ફરવું એનો પડછાયો પણ ન લેવો અને પ્રભુના નામની માળા ફેરવ્યા કરવી એતો પરમેશ્વરની કૃતિનું અપમાન છે .
કરી નો ત જો વિધિએ કામનીને
રચી નોતજો ચાંદની જામનીને
ભરી નો ત જો રૂપથી ભામનીને
રટી હોત માળા સદા રામનીમે
LikeLiked by 1 person
Intuitively, to exist and perpetuate are the fundamental
drives of the animate world.Sexuality is the power plant.
Each specie expresses it and deal with it differently but
the bottom line is a mutually pleasurable sensory experience for the male-female components resulting into procreation.
પ્રક્રુતિના ખેલમાં પ્રાણી જીવનને સુરક્ષિત અને શાશ્વત રાખવા કામુકતા
રસમય બને છે. સહચર્યને મૈથુન ભેટ મળે છે.પરિણામ પ્રજોત્પાદન.
જગતની ભિન્ન સંસ્કુતિઓએ કામ રહસ્યને સ્થુળથી માંડીને સુરુચિકર
પદ્ય,ગદ્ય,લલિત કલાઓ દ્વારા સદીઓથી માણ્યું છે અને ઉજવ્યું છે.
આમ વિચારો ચાલતા હતાં ત્યારે નિવી બંધનો પ્રસંગ યાદ આવી ગયો.
સ્થુળ મૈથુનનો બીભત્સ ટોપલો ઠાલવવાને બદલે કવિ શ્રેષ્ટે
નાયક નાયિકાની સંવનન લીલા કેવી લાલિત્યસભર અને આલ્હાદિક
લીબાસમાં વર્ણવિ છે?
સંપુર્ણ ઉત્કટ શ્રુંગાર રસના એક ઉદાહરણ તરીખે મમતાના વાંચકો સમક્ષ સંપુર્ણ શ્લોક ધરવા આપણા સાક્ષર સમિક્ષક શ્રી.મધુસુદન કાપડિયાની મદદ માંગી
અને એક સન્મિત્ર ભાવે તેમણે જણાવ્યું
Image result for khajuraho statues line drawings
મેઘદૂતનો શ્લોક:
नीवीबन्धोच्छ्वसितशिथिलं यत्र बिम्बाधराणां
क्षौमं रागादनिभृतकरेष्वाक्षिपत्सु प्रियेषु l
अर्चिस्तुङ्गानभिमुखमपि प्राप्य रत्नप्रदीपान्
ह्रीमूढानाम् भवति विफ़लप्रेरणा चूर्णमुश्ठि:ll
જ્યાં યક્ષાન્ગાના, પ્રિયતમોના હસ્તથી તેમના ચણિયાની નાડી છોડી નાખતાં લજ્જાથી અભિભૂત થઈને મુઠ્ઠી ભરીને (ગુલાલ કે કુમ્કુમ ) ઝળહળ પ્રકાશિત રત્નપ્રદીપ ઉપર (ઓલવી નાખવા માટે) નાખે છે, તેમના પ્રયત્નમાં નિષ્ફળ જાય છે (કારણકે તેતો સ્વ્પ્રકાશિત છે).”
LikeLike
મહેન્દ્રભાઇ, ખુબ સરસ પૃથ્થ્ક્કરણ કર્યું. ખરેખર આમાં મારું તો કશું જ નહિ. લેક્ષિકોન, અસ્મિતાબેનનુમ કાવ્ય અને અશોકભાઈ મોઢવાડિયાનું સંકલન. તમને ગમ્યું અને પ્રતિભાવ દર્શાવી લખવાનો ઉત્સાહ ટકાવી રાખ્યો. આભાર.
LikeLike
very very nicely covered and colored picture of Shrungar– read first time..many old composition and all about rasa- read with rasa..which needs lot of research on your part..
ધર્મશૃંગાર, અર્થશૃંગાર, કામશૃંગાર અને મોક્ષશૃંગાર એવું પણ વર્ગીકરણ કરે છે. this is also best said..
અસ્મિતાબેન શાહની એક કાવ્ય રચના વાંચી. એક સરસ ચિત્ર સર્જાઈ ગયું.
old time our ancestors have expressed there feeling very openly and as said not-vulgar but in classical language –what a command they had ..
now broadly sex has lost that eheric touch and remain as Lust, and virtual sex- sabotage.
And more is majority has social taboo..even at such places to give comments..
and inside as you said they are dreaming Wild…
you are doing classical work- without any Adamber..Good Job
LikeLiked by 1 person